SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ સંગ “પણ જોયું નહીં; પણ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ જોઈ. તે જોઈ ને આશ્ચય સહિત તે રાજા “ આ ઇંદ્રજાળ જેવુ` શુ` થયુ?” એમ વિચારવા લાગ્યા. તેટલામાં તેણે આકાશમાં રહેલા અત્યંત કાંતિવાળા એ દેવાને જોયા. તેમાંથી એક દેવ બેન્ચે કે— “ હે રાજન્! અમારી કથા સાંભળ. وف આ નગરના જ ઉદ્યાનમાં રહેલા ચૈત્યને વિષે માણસેાથી પૂજાતા હું નદી નામનો યક્ષ છું. મને મારા મિત્ર શ્રીમુખ યક્ષે લાવ્યા હતા, તેથી હું તેના ગામમાં ગયા હતા. તે ગામના લેાકેા ખાટી સાક્ષી પૂરનારા છે, તેની યથાયેાગ્ય પરીક્ષા કરી, ત્યારપછી તેણે મને પૂછ્યું કે—“ હું મિત્ર ! તારા નગરના માણસે કેવા છે ?' ત્યારે મેં કહ્યું કે—“ ત્યાં તા . રાજા વિગેરે ઉત્તમ પુરૂષ સત્યવાદી જ છે.” ત્યારે તેણે ફરી પૂછ્યું કે— ચિંતાના સમૂહથી વ્યાકુળ એવા રાજાને વિષે સત્યતા શી રીતે સભવે ? ” 66 આ રીતે વાત કર્યા પછી હે રાજન! તારી પરીક્ષા કરવા માટે હું મારા મિત્ર સહિત અહી આવ્યા, અને અમે તને અશ્વવર્ડ ક્રીડા કરતાં જોયા. પછી હૈ સાત્વિક ! અશ્વને ઉપાડી અરણ્ય, ચાર, તાપસ અને રાક્ષસ એ સવ દેખાડીને અમે તારા સત્યવાદીપણાની પરીક્ષા કરી. તેથી હે રાજન! તું જ ધન્ય છે કે પ્રાણાંતે પણ સત્યવાદી રહ્યો. તેથી આ ભવ અને પરભવમાં તને ષ્ટિ સ'પત્તિ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે કહી વડે રાજાને સ` શત્રુને પરાજય કરનાર ખડ્ગ અને સમગ્ર વ્યાધિને હરનાર મણિ આપી તે બન્ને યક્ષા પાતપેાતાને સ્થાને ગયા. આ વૃત્તાંત જોઈ સવ પ્રજાજનોએ આનંદ પામી રાજાની સ્તુતિ કરી, અને રાજા . પુણ્યના પ્રભાવથી ઉત્તમ રાજ્ય ભાગવવા લાગ્યા. યક્ષે આપેલા ખડ્ગના પ્રભાવથી વશ થયેલા અનેક રાજાએથી સેવાતા, મણિવડે પ્રજાઓના વ્યાધિને દૂર કરતા, અન્યના ઉપકાર કરવામાં પ્રવીણ, સમકિતપૂર્વક શ્રાવકના અણુવ્રતમાં આસક્ત અને સાત ક્ષેત્રમાં ધનનો વ્યય કરતા તે રાજા લાંબા કાળ સુધી ધર્મ ક`મય આયુષ્યને ભાગવીપ્રાંતે સ્વગે ગયેા. આ પ્રમાણે કથા કહી શ્રી જયાનંદ કુમારે ફરીથી કહ્યું કે~& ઘણા સત્પુરૂષ સત્યવાદી હાય છે, તેથી કાઈ નગરમાં જઈ ઉત્તમ પુરૂષને આપણે પૂછીએ. તે આપણા વિવાદ ભાંગશે, એટલે તેની વાણી પ્રમાણ કરીને આપણી શરતને આપણે સત્ય કરશુ.” તે સાંભળી સિંહે પણ · બહુ સારૂં ' એમ કહ્યું. પછી તે અન્ને ચાલતાં ચાલતાં અનુક્રમે શ્રીવિશાળપુર નામના નગરમાં ગયા. ત્યાં ઉદ્યાનમાં મોટા આશયવાળા
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy