SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયાનંદ કેવળી ચરિત્ર મારી કથાને તું સાંભળ-હું હમેશાં એક માણસને ખાઉં છું, તેટલાથી મને એક દિવસની તૃપ્તિ થાય છે, અને બત્રીસ લક્ષણવાળા પુરૂષને જે ખાઉં તે એક વર્ષની તૃપ્તિ થાય છે. એવાં લક્ષણવાળો નંદીપુરના રાજા સાંભળે છે, તેથી હું તેને ખાવા ઈચ્છું છું; પરંતુ તે પરિવાર સહિત પિતાના નગરમાં જ રહે છે. તેથી હું તેને ખાવાને સમર્થ થઈ શકતું નથી. મેં હમણાં કઈકની પાસેથી સાંભળ્યું છે કે કોઈ અશ્વ તે રાજાને હરીને આ વનમાં લાવ્યું છે, પણ તે રાજા મને દેખાતું નથી, તેથી જો તું તેને જાણતા હોય તે કહે, અને મને બતાવ, કારણ કે તાપસ સાચું બોલવાવાળા જ હોય છે. ( આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજાએ વિચાર કર્યો કે–“જે હું સત્ય કહીશ તે આ રાક્ષસ મને ખાઈ જશે, અને જે સત્ય ન કહું તો અસત્ય વચનથી ઉત્પન્ન થતું પાપ મને લાગશે; પરંતુ માત્ર મારા પ્રાણ બચાવવા માટે હું અસત્ય વચન તે બોલીશ નહિ જ, કારણ કે સ્વર્ગાદિકને આપનાર ધર્મ પ્રાણથી પણ મને વધારે વાલે છે. વળી આ રાક્ષસ પિતાને ઈચ્છિત એવા મને ભક્ષણ કરીને એક વર્ષ સુધી બીજાનું ભક્ષણ નહિ કરે, તેથી ૩૬૦ મનુષ્ય ઉપરની દયાથી ઉત્પન્ન થયેલું બીજું પુણ્ય પણ મને પ્રાપ્ત થશે.” આ પ્રમાણે નિશ્ચય કરીને ધર્મવીર પુરૂષમાં શિરોમણિ એવા તે રાજાએ કહ્યું કે –“હે રાક્ષસ ! જ તે રાજા છું, અને બત્રીસ લક્ષણો છું, તેથી તારી ઈચ્છા પ્રમાણે કર.” તે સાંભળી રાક્ષસ બોલ્યા કે-“હે સવના નિધાન ! હું તાપસનું ભક્ષણ કરતું નથી, તેથી તે બુદ્ધિમાન ! તું કહે કે આ તારૂં તાપસપણું કૃત્રિમ છે કે અકૃત્રિમ છે?” રાજાએ કહ્યું “હું સાચે તાપસ નથી. તારા ભયથી જ તાપસના કહેવાથી હમણાં જ મેં આ વલ્કલ વિગેરે ધારણ કર્યા છે.” તે સાંભળી રાક્ષસ બોલ્યો કે– “હુ ક્ષુધાને લીધે હમણાં જ તારું ભક્ષણ કરીશ, માટે તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કર.” ત્યારે રાજા પિતાના શરીરને સરાવી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવા લાગ્યું. તે વખતે તે ભયંકર રાક્ષસ ઘેર અટ્ટહાસ્યાદિકવડે આકાશને ફેડ અને મોટા દાંતને પ્રગટ કરતે ખાવાની ઈચ્છાથી તેની સન્મુખ દોડ્યો; તેપણ રાજા કંઈ પણ ક્ષેભ પામ્યું નહીં. તેટલામાં તે રાજાએ પિતાને પ્રથમની જ જેમ પિતાને નગરની બહાર સૈન્ય, અને આભૂષણ સહિત અશ્વ સાથે ક્રીડા કરતો જો, અને રાક્ષસ કે વન કાંઈ
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy