SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ઉપશમનાકરણ ભાગ-૧ છે. એટલે નિવૃત્તિકરણના કાળરૂપ અન્તર્મુહૂર્તના સમય જેટલા કુલ અધ્યવસાય હોય છે. (નિવૃત્તિ = ફેરફારી) અધ્યવસાયોના ફેફારી નથી માટે આ કરણનું નામ 'અનિવૃત્તિ' છે. વિશુદ્ધિ : એક જ સમયમાં રહેલા સર્વ જીવોને સમાન અધ્યવસાય હોવાથી તિર્થન્મુખી વિશુદ્ધિ હોતી નથી. તથા પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર સમયે અ ંતગુણ વિદ્ધિ હોય છે. સ્થિતિઘાતાદિ : અપૂર્વકરણથી શરૂ થયેલ સ્થિતિઘાદિ ચારે વસ્તુ ચાલુ રહે છે. નિવૃત્તિકરણમાં પ્રવેશ કરતા પ્રથમ સમયે નવો સ્થિતિબંધ, સ્થિતિઘાત, અઘાત ત્રણે સાથે શરૂ થાય છે અને અન્તર્મુહૂર્ત પછી સ્થિતિબંધ, તિઘાત અને રસઘાત સાથે પૂર્ણ થાય છે. તે દમિયાન હજારો સઘાત થઈ જાય છે. ત્યાર પછી બીજો સ્થિતિબંધ, સ્થિતિઘાત અને નવો સઘાત શરૂ થાય છે. આવી રીતે હજારો સ્થિતિબંધ અને સ્થિતિઘાત દ્વારા અનિવૃત્તિકરણના સંખ્યાતા બહુભાગ પસાર થાય છે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે ત્યારે અન્તકરણ કરે છે. અન્તઃકરણ : નિવૃત્તિકરણના સંખ્યાતા બહુભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે નવો ઉતિબંધ અને સ્થિતિઘાત શરૂ થાય છે. તેની સાથે જ નિવૃત્તિકરણના છેલ્લા સંખ્યાતમા ભાગમાં ભોગવાય તેટલા મિથ્યાત્વ મોહનીયની સ્થિતિ રાખી તેની ઉપર અન્તર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાંથી મિથ્યાત્વના દલિકનો સર્વથા અભાવ કરવા રૂપ અન્તકરણ ક્રિયા શરૂ કરે છે. એક જ સ્થિતિઘાતના કાળ દરમિયાન અન્તઃકરણ ક્રિયા પૂર્ણ કરે છે, એટલે કે શરૂ કરેલો તે સ્થિતિઘાત અને સ્થિતિબંધ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે નિવૃત્તિકરણના છેલ્લા સંખ્યાતમા ભાગની ઉપસ્તી અન્તર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાંથી મિથ્યાત્વ મોહનીયના બ્રિકનો અભાવ કરવા રૂપ અંતઃકરણ ક્રિયા પણ પૂર્ણ થાય છે. અન્તર્મુહૂર્ત પ્રમાણ જે સ્થિતિમાંથી મિથ્યાત્વમોહનીયતા દલિકોનો અભાવ કર્યો તે અંતઃકરણ અથવા અંતર કહેવાય છે. જ્યારે નિવૃત્તિકરણના છેલ્લા સંખ્યાતમા ભાગના જે પ્રથમ સ્થિતિઘાત અને સ્થિતિબંધ કાળ દર્ગમયાન આંતરૂ પાડવાની ક્રિયા કરી તે અંતઃકરણ ક્રિયા કાળ કહેવાય છે. અંતઃકરણ ક્રિયા પૂર્ણ થયા પછી બાકી રહેલી અંતઃકરણની નીચેની સ્થિતિ તે પ્રથર્માર્થાત. અંતઃકરણની ઉપરની સત્તાગત સર્વ સ્થિતિ તે હિતીસ્થિતિ. પૂર્વે જણાવ્યુ છે કે ગુણશ્રેણીની ચના અપૂર્વકણ અને નિવૃત્તિકરણથી કંઈક અધિક કાળ સુધી છે. તેથી ગુણશ્રેણી દ્વારા અંતઃકરણમાં (જ્યાંથી મિથ્યાત્વમોહનીયતા
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy