SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ઉપશમનાકરણ ભાગ-૧ ચરમસમય સુધી જાય છે. ચરમસમયે બન્ને વેદ ઉપશાંત થાય છે. તે જ વખતે નપુંસકવેદનો ઉદયવિચ્છેદ અને પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. સ્થિતિબંધ પુરુષવેદનો સંખ્યાતા હજાર વર્ષનો થાય છે. અનંતર સમયથી એટલે કે અવેદનપણાના પહેલા સમયથી હાસ્ય-૬ અને પુરુષવેદ એ સાતેની ઉપશમનાનો પ્રારંભ કરે છે. એ સાતે પ્રકૃતિઓને એક સાથે ઉપશમાવે છે. જે વખતે હાસ્ય-૬ ઉપશાંત થઈ જાય છે તે વખતે પુરુષવેદના ઉદયે ણ માંડનારને જેમ સમયોન બે આવલકાનું બંધાયેલુ દલક અનુપ્રશાંત રહી જાય છે, તેવી રીતે નપુંસકવેદના ઉદયે શ્રેણિ માંડનારને બાકી રહેતું નથી, પરંતુ હાસ્ય-૬ ની સાથે જ પુરુષવેદનું પણ સર્વદલિક ઉપશાંત થઈ જાય છે. તેનું કારણ પૂર્વે કહ્યું છે. તેથી જ કહ્યું છે કે – "तदो अवेदो सत्तकम्माणि उवसामेदि । तुल्ला च सत्तण्हं पि कम्माणमुवसामणा ।" - કષાયપ્રાભૃતચૂર્ણ ૫ ૧૯૩૫. ત્યારપછીની બધી પ્રક્રિયા પુરુષવેદોદયે ણ માંડનારની માફક સમજી લેવી. આમ વેદનાનત્વ સમાપ્ત થયું. (૫) ઉપશામક સંબંધી બોલવું અલ્પબહત્વ હવે પુરુષવેદ અને ક્રોધના ઉદયે શ્રેણિ પ્રારંભ કરનાર જીવ આશ્રય અપૂર્વકરણના પ્રથમ સમયથી ચાવતુ ણ પરથી પડતા અપૂર્વકરણના ચરમસમય સુધીમાં થતી અનેક ક્રિયાઓના કાળનું અલ્પબદુત્વ કહેવાય છે. (1) જઘન્ય રમખંડોત્કિરણા - સર્વથી અલ્પ. આરોહકને સૂક્ષ્મસંઘરાયના ચરમસમયે જ્ઞાનાવરણાદ છયે કર્મોનો જે ૨સઘાત પૂર્ણ થાય છે તેનો કાળ જે અંતર્મુહૂર્ત પ્રમાણ છે તે સર્વાલ્પ ોય છે. (૨) ઉત્કૃષ્ટ ૨મખંડોરિણા - વિશેષાધિક. જ્ઞાનાવરણાદ કર્મોનો અપૂર્વકરણના પ્રથમ સમયે જે ૨સઘાતનો પ્રારંભ થાય છે, તેનો કાળ અહીં સમજવો. (૩) "જઘન્ય સ્થિતિબંધાઢા તથા જાતખંડોતિંરરાષ્ઠા - સંખ્યાતા ૧. લબ્ધિસારમાં છયે કર્મોના સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે થતા છેલ્લા સ્થિતિબંધનો કાળ તથા મોહનીય
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy