SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ દેશવિરતિલાભપ્રરુપણા સ્થાનોમાં પણ અંતર આ રીતે સંભવી શકે છે - મિથ્યાત્વાભિમુખના ઉત્કૃષ્ટ પ્રતિપાતસ્થાન અને આવરતિ અભિમુખતા જઘરા પ્રતિપાતસ્થાન વચ્ચે, તથા તેવી જ રીતે મિથ્યાત્વથી આવનારના ઉત્કૃષ્ટ પ્રતિપદ્યમાનસ્થાન અને અવિરતથી આવનારના જઘન્ય પ્રતિપધમાનસ્થાન વચ્ચે પણ અસંખ્યલોકાકારાના પ્રદેશ પ્રમાણ સ્થાનોનું અંતર સંભવી શકે છે. (આ અંતર મનુષ્ય-તિર્યંચતા સાધારણ સ્થાનોમાં સંભવે) આલ્વી રીતે પ્રતિપાતાદ ત્રણે પ્રકારના સ્થાપિત સ્થાનોમાં પણ અલ્ય અંતરો સંભવતા હોય ત્યાં બહુશ્રુતોએ યોજવા. તથા જઘવ્ય પ્રતિપદ્યમાનસ્થાન ષટ્રસ્થાનકના અનંતગુણવૃદ્ધના સ્થાને આવતું હોય તો પ્રતિપાતસ્થાનો અને પ્રતિપદ્યમાન સ્થાનો વચ્ચે અંતરા વગર પણ ઉત્કૃષ્ટ પ્રતિપાતસ્થાનથી જઇલ્ય પ્રતિપદ્યમાનસ્થાન અનંતગુણ આવી શકે. તેવી જ રીતે ઉત્કૃષ્ટ પ્રતિપધમાન સ્થાન અને જઘન્ય અનુભયસ્થાન વચ્ચે પણ આંતરા વગર ઉત્કૃષ્ટ પ્રતિપદ્યમાનસ્થાનથી જઘન્ય અનુભયસ્થાન અનંતગુણ આવી શકે. માટે સર્વત્ર અંતર તથા સ્થાનોની પ્રરૂપણા બહુશ્રુતો પાસેથી જાણી લેવી. અહીં તત્ત્વ અતિશયજ્ઞાળી જાણે. આમાં ત્રણ પ્રકારના સ્થાનોમાં જઘન્યથી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા સ્થાનો એકલા મનુષ્યને હોય છે, ત્યારપછી અસંખ્ય લોકાકાશપ્રદેશ જેટલા સ્થાનો મનુષ્ય-તિર્યંચ ઉભયયોગ્ય છે, ત્યારપછી અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા સ્થાનો એકાંતે મનુષ્યને હોય છે અને તેથી જ તીવ્રતા-મંદતામાં દરેક ભેદમાં મનુષ્યની સઘળ્યવશુદ્ધિથી તિર્યંચની જઘન્યવિશુદ્ધ અનંતગુણ કહી છે અને તેથી તિર્યંચની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ કહી છે અને તેથી મનુષ્યની ઉત્કૃષ્ટવિશુદ્ધ અનંતગુણ કહી છે, તે ઘટી શકે છે. - આમ અહીં તીવ્રતા-મંદતાની સૂત્રોના આધારે સ્થાપના બતાવી. હવે મત્યદાદિ આઠ અgયોગ દ્વારો વડે દેશવિરતિની પ્રરૂપણા કરીએ છીએ. (1) સત્પદ (૨) ઢબ (૩) ક્ષેત્ર (૪) સ્પર્શતા (૫) કાળ (૬) અંતર () ભાગ (૮) અલ્પમહત્વ (1) સત્યદ - પ્રશ્ન - દેશવિરતની સત્તા જગતમાં છે ? જાબ - છે. (૨) ત્રવ્ય - પ્રશ્ન – જગતમાં સંયતાસંયત જીવો કેટલા છે ? જવાબ - સંયતાસંયત જીવો બે પ્રકારના છે : (1) પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય (૨) પર્યાપ્ત ગર્લજ તિર્યંચ. તેમાં મનુષ્ય સંયતાસંયત સંખ્યાતા છે. તિર્યંચ સંયતાસંયત જીવો ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા છે (અસંખ્યાતા છે).
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy