________________
૫૦૯
યુગે યુગે પાટણની પ્રભુતા સને ૧૫૬૧ ના રોજ બની.
શેખ ફરીદની કબર પાસે જ બહેરામખાનને દફનાવવામાં આવ્યો. આ રોઝો ચોરસ આકારનો છે લગભગ ૩૦ ફૂટ x ૩૦ ફૂટના સુંદર ઘુમ્મટ વચ્ચે વિશાળ બહેરામખાનની મઝાર છે. ચાર બારણા છે. આ સ્થાપત્ય પણ કમળના ફૂલ, કમળનાં પાન જેવાં હિન્દુ મંદિરોમાંથી ઉભુ કરવામાં આવ્યું હશે એમ લાગે છે. કેટલોક ભાગ તૂટી નદીમાં પડી ગયો છે પણ જે બને છે તે જોવા જેવો છે. અંદરની કોતરણી, અદ્ભુત છે.
(3).
રાણીનો મહેલ સહસ્ત્રલિંગ સરોવરની વચ્ચે એક ઉંચા ટેકરા ઉપર મોટી મોટી ઇંટો અને પથ્થરોની દિવાલોથી બાંધેલી આ ઇમારત રાણીનો મહેલ કેમ કહેવાય છે? હકિકતમાં આ મુસ્લીમ સ્થાપત્ય છે. ઉપર છતા નથી. આ ઇમારત ખંડીયેર હાલતમાં છે. આ અષ્ટકોણ આકારની ઇમારતમાં વચ્ચે કબર હતી. જ્યારે આ ઇમારત અકબંધ અને આખી હશે ત્યારે ઇજનેરી વિદ્યા એ વખતમાં કેટલી આગળ વધી હશે તે જાણવા મળે છે. આઠ બાજુથી પ્રવેશ કરી શકાય એવા આક જોવા જેવા છે.
પાટણના સંશોધક સ્વ. કનૈયાલાલ ભાઇશંકર દવે આ ટેકરાને “વિંધ્યવાસિનીનું મંદિરમાં તરીકે જણાવે છે. બગલાને બેસવા માટેનું આ “બકસ્થળ” તરીકે ઓળખાવે છે. જાળવણીના અભાવે આ સુંદર ઇમારત જમીનદોસ્ત થઈ છે.
આ ટેકરી વીરમાયા ટેકરી તરીકે જાણીતી થઈ છે. ટેકરી પર વીરમાયાનું મંદિર તાજેતરમાં બાંધવામાં આવ્યું છે. વણકર સમાજ “વીરમાયા સંકુલને વિકસાવી રહ્યા છે. અત્યારે પર્યટન સ્થળ તરીકે ખ્યાતનામ બની ગયું છે.
(૪) હજરત મકતુમ હિસામુદીન મુલ્લાનીનો રોગો 'પાટણની પશ્ચિમ દિશાએ અનાવાડા રોડ પર ડાબી બાજુએ બરાબર જીમખાના પાછળ આ સુંદર રોઝો આવેલો છે. તેમનો જન્મ ઇ.સ. ૧૨૪૧માં મુલતાનમાં થયો હતો. એમના ગુરૂના કહેવાથી તેઓ અણહિલપુર પાટણ આવ્યા. લગભગ ૪૦ વર્ષ સુધી તેઓ પાટણમાં રહ્યા અને ઈ.સ. ૧૩૩૫માં ૯૪ની ઉમ્મરે ગુજરી ગયા. સુંદર સ્તંભો ઉપરની આ ઇમારત ૩૦ થી ૩૫ ફૂટ લાંબી પહોળી છે. બાર થાંભલા છે. ઘુમ્મટની છત સુંદર કોતરકામથી ભરપૂર છે. દિવાલો, ભીંતો, જાળીયોનું કોતરકામ હિન્દુ મંદિરની યાદ અપાવે છે. વચમાં આ મહાન સંતની પવિત્ર દરગાહ છે. સંકુલમાં સુંદર મજીદ, કુવો, પાણીનો બોજ પણ છે.
ઘુમ્મટ વાળું બાંધકામ ખૂબ સારી હાલતમાં છે. પાટણથી સાવ નજીક એવું આ મુસ્લીમ સ્થાપત્ય ખરેખર જોવા લાયક છે.