________________
૫૧૦
યુગે યુગે પાટણની પ્રભુતા
(પ)
સૈયદ મૌલાના મહેબુબ . સરસ્વતી નદીના કિનારે, સહસ્ત્રલિંગ સરોવર થી એકાદ માઈલ દૂર પશ્ચિમે મૌલાના મહેબબુની વિખ્યાત જગ્યા આવેલી છે. રાજવી કુટુંબમાંથી આવેલા આ મહાન મુસ્લીમ સંત લગભગ ચૌદમી સદીમાં પાટણ આવેલા. તેમનો સ્વર્ગવાસ ઈ.સ. ૧૩૯૫માં થયો હતો.
મૌલાના મહેબુબવાળો ઘુમ્મટ સહિતનું સ્થાપત્ય લગભગ ૫૦ ફૂટ લાંબુ-પહોળું ચોરસ આકારનું છે. ઊંચો વિશાળ ઘુમ્મટ છે. સંત મૌલાના મહેબુબની દરગાહ ઉપરાંત બીજી બે ત્રણ કબરો છે. થાંભલા પર કમળફુલ, હિંચકો વગેરે સુંદર કોતરણી યુક્ત છે. સ્થાપત્યકલાનો સુંદર નમુનો ખરેખર જોવા લાયક છે.
આવા તો અનેક મુસ્લીમ સ્થાપત્યો પાટણ શહેરની અંદરના ભાગમાં તેમજ કોટના બહારના વિસ્તારમાં આવેલાં છે. મુસ્લીમ સમાજ જાગૃત બન્યો હોઈ એના જીર્ણોદ્ધારનું કામ પણ ચાલે છે.
બધાજ મુસ્લીમ સ્થાપત્યોનું વર્ણન કરીએ તો એના માટે જુદો ગ્રંથ બનાવવો પડે. આ ગ્રંથમાં આવા સ્થાપત્યોની એક વિસ્તૃત યાદી જુદા લેખ દ્વારા દર્શાવવામાં આવી છે.