________________
યુગે યુગે પાટણની પ્રભુતા
રાજાએ તપસ્વીને મહાદેવના દેવાલયની પૂજા કરવા રાજ્યગોર તરીકે પધારવા નિમંત્રણ આપ્યું, તપસ્વીએ જવાબ આપ્યો, રાજ્યના અધિકારીને ત્રણ માસે, મઠના અધિકારીને ત્રણ દિવસે અને રાજ્યના પુરોહિતને એક જ દિવસમાં નક્કી નર્કની પ્રાપ્તિ થાય છે.'' આમ રાજાની માંગણીનો અસ્વીકાર કર્યો.
(C
‘પ્રબંધ ચિંતામણિ’માં સર્ગ ૧ માં મૂળરાજ અને કંથડી મહારાજ વચ્ચેના વાર્તાલાપ અને ઉત્તરનો પ્રસંગ સુંદર રીતે વર્ણવેલો છે. ઇતિહાસમાં સોલંકીવંશનો સ્થાપક આ રાજવી મૂળરાજ ૧ લોથી ઓળખાય છે.
પટ્ટણીઓનું અભિમાન
પટ્ટણીઓને ત્રણ બાબતોનું અભિમાન હતું.
(૧) જો કોઈ વિવાદ કરે તો તેઓ સહન કરી શકતા નહિ, અને તેનો નિર્ણય વાદથી કે યુદ્ધથી થતો
૨૫
(૨) ગુજરાતનું વિવેક બૃહસ્પતિત્વ અર્થાત તેમના રાજાનું સિધ્ધચક્રિત્વ
(૩) પાટણનું નરસમુદ્રત્વ