________________
આચારપ્રદીપ
છંદમાં મધ ઝરાવતી = મધ જેવી મીઠી વાણી પ્રગટ કરાય છે તે નામની આવૃત્તિથી પ્રગટ કરાતી નથી, પરિચયના વશથી પ્રગટ કરાતી નથી, શબ્દની વ્યુત્પત્તિથી પ્રગટ કરાતી નથી, ગુરુના એકાંત ઉપદેશથી પ્રગટ કરાતી નથી, પરંતુ જગતમાં સ્વેચ્છાપૂર્વક જે વાણી પ્રગટ કરાય છે તે કવિઓના મહાન સુકૃતના પરિણામથી પ્રગટ કરાય છે.
આ પ્રમાણે સ્તુતિ કરીને તે રાજા પોતાના મહેલે ગયો. આ જિનશાસનની પ્રભાવનાથી વિસ્મયથી આનંદિત થયેલા સંઘે પારાંચિત પ્રાયશ્ચિત્તના બાકીના પાંચ વર્ષો પ્રસાદ પદમાં = ખુશ થવાના કારણે છોડીને મોટા મહોત્સવપૂર્વક તે સૂરીન્દ્રને ગચ્છમાં સ્થાપન કર્યા. અર્થાત્ ગચ્છમાં પાછા લીધા. ત્યાર પછી પોતાના વિહારથી પૃથ્વીને પવિત્ર કરવામાં તત્પર એવા તે સૂરિવરે ક્રમે કરી માલવ દેશમાં આવેલા ૐકાર નામના નગરને અલંકૃત કર્યું.
એક વખત ત્યાંના સંઘે તે આચાર્ય ભગવંતને વિનંતી કરી કે, હે ભગવન્! આ નગરની નજીકમાં એક ગામ હતું. ત્યાં સુંદર નામનો રાજપુત્ર ગામનો મુખી હતો. તેને બે પત્નીઓ હતી. તેમાં પહેલીએ પુત્રીને જન્મ આપ્યો અને એથી ઘણા ખેદને પામી. ત્યારે જ તેની શોક્ય પણ નજીકમાં જ પ્રસવવાળી છે. આ પુત્રને જન્મ આપીને સ્વામીને વિશેષથી વહાલી ન થાવ, એ પ્રમાણે વિચારીને સ્ત્રીત્વને ઉચિત એવી તુચ્છતાથી દુગરિત્રવાળી એવી તેણીએ ઘણા દ્રવ્યના ઉપચયથી અર્થાતુ ઘણું દ્રવ્ય આપીને એક સુયાણીને = પ્રસવ કરાવનારી બાઈને કહ્યું કે, જયારે આ મારી શોક્ય પ્રસવકાળે તને બોલાવે ત્યારે તેને ઉત્પન્ન થયેલો જો પુત્ર હોય તો તારે બીજા સ્થાનમાંથી પહેલેથી જ સંગ્રહી રાખેલા મરેલા કોઈક બાળકને ત્યાં મૂકી દેવો અને તે પુત્રને સ્વયં ગ્રહણ કરીને ગામથી દૂર ત્યાગ કરી દેવો. આ પ્રમાણે તેણીએ પ્રપંચ કર્યો. ભાગ્યયોગે તે પ્રમાણે જ થયું. સુયાણીએ પણ તે પ્રમાણે જ કર્યું. જવના લોભના વિલાસને ધિક્કાર થાઓ! તે પુત્ર જન્મતાં જ સુયાણીએ તેને ગામની દૂર નાખી દીધો. પણ તે પુત્રનું પુણ્ય અધિક હોવાના કારણે તેની કુલદેવતાએ ગાયનું રૂપ કરી દૂધ આપી તેનું પાલન કર્યું.
આ રીતે પાલન કરાતો તે આઠ વર્ષ જેટલો મોટો થયો ત્યારે અહીંના જે શિવ ભવનના (=શિવમંદિરના) અધિકારી એવા ભરટે = પૂજારીએ જોયો. તેને પ્રતિબોધ કરીને પોતાની દીક્ષા ગ્રહણ કરાવી. કોઈ વખત કન્યકુબ્ધ દેશનો અધિપતિ, જન્મથી આંધળો રાજા વિષ્ણુની જેમ વિવિધ દેશોને સાધતો તે નગરી નજીકના સ્થાને આવીને રહ્યો. ત્યારે રાત્રીમાં શિવે લઘુભરટને આ પ્રમાણે સ્પષ્ટ આદેશ કર્યો કે, તારે કન્યકુજ રાજાને વધેલી શેષ આપવી. તે શેષથી આ રાજા સજ્જાક્ષ (= સારી આંખવાળો) થશે. લઘુભરટે તે વાત મોટા ગુરુને કરી. તેની આજ્ઞાથી શેષ લઈને રાજાની છાવણીની મધ્યમાં જઈને રાજાના મંત્રીઓને કહ્યું કે, ભો! ભો ! તમારા નાથને અમારી પાસે લાવો. જેથી સૂર્યના કિરણોથી વિકસિત થયેલા કમળ