________________
પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર
૮૩
અહીં મહેશ્વરના લિંગને સ્થાપન કર્યું. હમણા મારી કરેલી સ્તુતિથી સાવધાન થયેલા અધિષ્ઠાયક દેવના સાન્નિધ્યના બળથી શિવલિંગને ભેદીને શ્રી પાર્શ્વજિનની પ્રતિમા પ્રગટ થઈ. આ પ્રમાણે સત્ય-અસત્યના અંતરને રાજા જુવે. આ સમ્યફ ઉક્તિને સાંભળીને ભવિષ્યમાં જેનું દર્શન શુભ છે એવા, શ્રી જિનમત ઉપર જેને અસાધારણ બહુમાન થયું છે એવા ખુશ થયેલા ચિત્તવાળા વિક્રમાદિત્ય રાજાએ શ્રી પાર્શ્વ જિનેશ્વરની પૂજા માટે સો ગામ આપ્યા. અને સારી રીતે આ પ્રમાણે પ્રશંસા કરી કે, આપના સમાન મહર્ષિ કોણ છે? કારણ કે–
अहयो बहवः सन्ति, भेकभक्षणदक्षिणाः ।
પ: સ વ શેષ: ચીક્કીથUક્ષમ: ? | . દેડકાઓનું ભક્ષણ કરવામાં ચતુર એવા સર્પો તો ઘણા છે. પરંતુ પૃથ્વીને ધારણ કરવામાં સમર્થ તો તે એક શેષનાગ જ છે.
वेरेवोदयः श्लाघ्यः, कोऽन्येषामुदये ग्रहः ? ।
न तमांसि न तेजांसि, यस्मिन्नभ्युदिते सति ॥२॥ સૂર્યનો જ ઉદય પ્રશંસનીય છે, બીજાના ઉદયમાં શું આગ્રહ? જેનો ઉદય થયે છતે અંધકારો રહેતા નથી અને અન્ય તેજો રહેતા નથી. અહો ! તારી કવિત્વકલા અતુલ છે. કારણ કે
पदं सपदि कस्य न स्फुरति शर्करापाकिम, रसाले ! रससे किमु भणितिवैभवं कस्य न ? तवैतदुभयं किमप्यमृतनिर्झरोद्गारिमै
સ્તરતિ યો : ૪ પુનરેવા વ વવવ . ? | સાકર જેવું પરિપક્વ પદ કોને સ્કૂરાયમાન નથી થતું? હે જીભડી! તું બડબડ કેમ કરે છે? વાણીનો વૈભવ કોની પાસે નથી ? તારે તો આ બંને પરિપક્વ પદ અને વાણીનો વૈભવ) છે તો અમૃતના ઝરણા જેવા ઉદ્દગારોથી શું પ્રયોજન છે? જે રસોથી તરંગ જેવું આચરણ કરે છે તે તો ક્યાંય પણ એક જ છે.
'न नाम्नामावृत्त्या परिचयवशाच्छन्दसि न वा, न शब्दव्युत्पत्त्या निभृतमुपदेशान्न च गुरोः । अपि त्वेताः स्वैरं जगति सुकविनां मधुमुचो,
विपच्यन्ते वाचः सुकृतपरिणामेन महता ॥२॥ ૧. આ બંને શ્લોકના અર્થ ચોક્કસ રીતે કરી શકાયા નથી. વિદ્વાનોએ પોતાની મતિ પ્રમાણે વિચારવું.