________________
૮૨
सुखादा लोहचणकाः, सुस्पर्शा वह्नयोऽपि हि । दुष्करं तु जिनोपज्ञं, तपोऽतिचारवर्जितम् ॥ १ ॥
આચારપ્રદીપ
લોઢાના ચણા હજી સુખે ચાવી શકાય તેવા છે, અગ્નિ પણ સારી રીતે સ્પર્શ કરી શકાય તેવો છે. પરંતુ જિનેશ્વર ભગવંતે બતાવેલો તપ (ચારિત્ર) અતિચાર રહિત કરવો દુષ્કર છે.
અને તે ચારિત્ર સ્વજનની અનુમતિપૂર્વક જ અપાય છે. ત્યારપછી સૂર્યોદય પહેલા જ નલિનીગુલ્મ વિમાનમાં જવા માટે અત્યંત ઉત્કંઠાવાળા, સંયમને સ્વીકારવા માટે અતિહર્ષવાળા, પાંચ મુઠ્ઠી લોચ કરીને જેણે સ્વયં સાધુવેષનો સ્વીકાર કર્યો છે એવા તેને આચાર્ય ભગવંતે દીક્ષા આપી. લાંબા સમય સુધી ચારિત્રતપના કષ્ટને સહન કરવા માટે અસમર્થ એવો તે આચાર્ય ભગવંતને પૂછીને શરીરની વેદનાને નહીં ગણકારતો, તીક્ષ્ણદર્ભના અગ્રભાગથી વિંધાયેલા બંને પગમાંથી નીકળતા લોહીની ધારાથી માર્ગને કીચડવાળો કરતો કંથેરિકાકુડંગ નામના સ્મશાનમાં જઈને પાદપોપગમન નામના અનશનને કરીને રહ્યો. તેના લોહીના ગંધથી આકર્ષાયેલી, નવી પ્રસૂતિવાળી, શિશુઓથી યુક્ત, દુષ્ટ, જાણે વિકરાલ કરેલા મુખવાળી વાઘણ ન હોય, જાણે ભૂખી થયેલી રાક્ષસી ન હોય એવી શિયાલણીએ તેનું ભક્ષણ કરવાનું શરૂ કર્યું. તેણીએ અને તેના બચ્ચાઓએ રાત્રીના પહેલા પહોરમાં તેના બંને ચરણો ખાધા. બીજા પહોરમાં તેની સાથળ ખાધી, ત્રીજા પહોરમાં તેનું ઉદર ખાધુ. છતાં પણ તે અવંતીસુકુમાલ મનથી પણ જરા પણ ન કંપ્યો. તેવા પ્રકારના સુકુમાર્યના યોગમાં પણ અહો ! દુઃખે કરી સહન કરી શકાય એવી પ્રસિદ્ધ મહાવ્યાધિના વિસ્તારને સહન કરવાનું (સામર્થ્ય) ! અહો ! મહાસાહસિકોમાં અગ્રેસરતા ! આ પ્રમાણે ચોથા પહોરમાં મહાસત્ત્વશાળી એવો તે મરીને નલિનીગુલ્મ વિમાનમાં મહાઋદ્ધિવાળો દેવ થયો. તેના સાહસથી ખુશ થયેલા દેવોએ તે જ કાળે તેના દેહનો મહિમા કર્યો.
પ્રભાતે શ્રુતજ્ઞાનના ઉપયોગથી જાણ્યો છે તેનો વૃત્તાંત જેમણે એવા ગુરુની વાણીથી તેના સ્વરૂપને જાણીને ભદ્રાની સાથે તેની પત્નીઓ તે સ્મશાનમાં જઈને અતિઘણો વિલાપ કરી કરીને સિપ્રાનદીમાં તેનો અંતિમ સંસ્કાર કર્યો. તેથી વૈરાગ્યથી કોમળ થયેલી, ગર્ભવતી એવી એક પુત્રવધૂને મહેલમાં રાખીને એકત્રીશ પુત્રવધૂઓથી પરિવરેલી ભદ્રાએ દીક્ષા લીધી. ઘરે રહેલી પુત્રવધૂથી ઉત્પન્ન થયેલા પુત્રે અવંતીસુકુમાલના મૃત્યુસ્થાને આ પ્રાસાદ કરાવ્યો છે. મારા પિતાનો અહીં મહાકાલ થયો (= મહાન મૃત્યુ થયું). આથી પ્રાસાદનું મહાકાલ પ્રાસાદ એમ નામ રાખ્યું. તેની અંદર અનુપમ એવી શ્રી પાર્શ્વજિનની પ્રતિમા ઘણા મહોત્સવપૂર્વક સ્થાપન કરી. કેટલોક સમય તે પ્રતિમા ત્યાં પૂજાઈ. ક્રમે કરી મહેશ્વરને માનનારા, અકાર્ય કરવામાં . તત્પર એવા બ્રાહ્મણોએ તેવા પ્રકારનો અવસર પામીને તે પ્રતિમાને પૃથ્વીની અંદર ગુપ્ત કરીને