________________
આચારપ્રદીપ
વૃદ્ધવાદીની કીર્તિને સાંભળીને, તે કીર્તિને સહન નહીં કરતો, પાલખીમાં બેઠેલો તે તેની સન્મુખ જવાની ઈચ્છાવાળો જેટલામાં ભરુચ નગરની નજીકમાં ગયો, તેટલામાં ભૂજનગરમાંથી નીકળેલા વૃદ્ધવાદી માર્ગમાં મળ્યા. પરસ્પર આલાપ થયો. સિદ્ધસેને કહ્યું કે, મને વાદ આપ. અર્થાત્ મારી સાથે વાદ કર. સૂરિએ કહ્યું કે વાદ આપીએ છીએ. પરંતુ અહીં ભાગ્યથી મેળવી શકાય એવા કોઈપણ સભ્યો નથી. સભ્યો વિના વાદમાં જય-પરાજયની વ્યવસ્થા કેવી રીતે કરવી ? વાદ માટે ઉત્કંઠાવાળા અને ગર્વથી ઉત્કૃખલ થયેલા તેણે કહ્યું કે, આ ગોવાળીયાઓ સભ્ય થાવ. ગુરુએ કહ્યું કે તો પછી તને જે ઈષ્ટ હોય તે કહે. તેથી આનંદિત થયેલા તેણે ઉપન્યાસ કરવામાં મોટા સ્વરે સુસંસ્કૃત ભાષામાં લાંબા કાળ સુધી ઘણો જલ્પ કર્યો. ક્રમે કરી તે મૌન થયે છતે ગોવાળીયા બોલ્યા કે, આ કંઈ પણ જાણતો નથી. કેવળ મોટેથી પોકારો (=બરાડા) કરી કરીને અમારા કાનોને પીડા કરે છે. હે વૃદ્ધ તું કંઈ પણ કહે ત્યાર પછી બંને રીતે પણ સમયને જાણનારા, અર્થાત્ સમય એટલે શાસ્ત્રને જાણનારા અને સમય એટલે અવસરને જાણનારા વૃદ્ધવાદી સૂરિ નૃત્ય નિમિત્તે રાસડા આપવા પૂર્વક પીંદણિછંદથી આ પ્રમાણે બોલ્યા—
૭૪
नवि मारिअ न वि चोरिअइ, परदारह गमणु निवारिअ । थोवाथोवं दाइयइ, टगिटगि सग्गिर्हि जाइयइ ॥ १॥
વિ મારીએ, નિવ ચોરીએ, પરદારા (= પરસ્ત્રી) ગમન નિવારીએ, થોડામાંથી પણ થોડું આપીએ તો ઝટપટ સ્વર્ગે જઈએ.
'कालउ कंबल अनु नीबद्दु, छासिई भरिउ दइअड निपड्डु ।
अइवड चडिउ नीलइ झाडि, अवर कि सरगह सिंग निलाडि ॥ २ ॥
જેઓની પાસે કાળી કાંબલ હોય છે, જેઓ વૃક્ષની છાલના વસ્ત્રો પહેરે છે, અને જેઓ છાસથી ભરેલી દોણી ઉપર રોટલા રાખી લીલા સુગંધી આંબાના વૃક્ષ નીચે રહેલા છે એવા ગોવાળીયાને ગુરુ કહે છે કે, તમારે આવી સામગ્રી છે તો પછી તમારા ભાગ્યમાં બીજું શું સ્વર્ગ છે ? અર્થાત્ તમારે તો અહીં જ સ્વર્ગ છે.
ખુશ થયેલા અને જોર જોરથી તે જ છંદથી નાચતા ગોવાળીયાઓ બોલ્યા કે, આ જીતી ગયા, આ સાક્ષાત્ સર્વજ્ઞ છે. ત્યાર પછી સત્યપ્રતિજ્ઞાવાળા અને જેણે અભિમાનનો ત્યાગ કર્યો છે એવા સિદ્ધસેને કહ્યું કે, હે ભગવન્ ! મને દીક્ષા આપો. વાદમાં સભ્યોની સાક્ષીએ હું જીતાયો છું, એથી હું આપનો શિષ્ય છું. હવે ગુરુ બોલ્યા કે, અહીં વાદમાં ગૌરવપૂર્વકનો જય ક્યાં છે ? તેથી ભરુચ નગરમાં હોશિયાર અને પ્રામાણિક પુરુષ જેમાં ઘણા છે એવી ૧. આ ગાથાનો ચોક્કસ અર્થ કરી શકાયો નથી. આત્મપ્રબોધમાં આ બંને ગાથાઓ થોડા ફેરફાર સહિત આપી છે.