SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર આપવી. હું વાણીથી હસું તો અર્થાત્ મોટેથી ખડખડ હસું તો તારે એક લાખ સોના મહોર આપવી. હું તેના ઉપર ખુશ થાઉં તો તારે તરત એક ક્રોડ સોના મહોર આપવી. હે કોશાધીશ! આ મારી સદાની શ્રેષ્ઠ આજ્ઞા છે. આ પ્રમાણે વિક્રમ રાજાએ ઉદાર સ્થિતિને કરી. ૭૩ એક વખત તે રાજાએ પીવા માટે પાણી માગ્યું ત્યારે ઉચિત બોલનારા એવા મગધદેશના કોઈ પુરુષે કહ્યું કે– તારા મુખ રૂપી કમળમાં સદા સરસ્વતી વસે છે, તારા હોઠ સદા લાલ છે, તારા બાહુ રામચંદ્રજીના પરાક્રમની સ્મૃતિ કરાવવામાં ચતુર છે, તારી જમણી બાજુ સમુદ્ર છે, અનેં બંને બાજુ નદીઓ વહી રહી છે. આ બધા ક્ષણવાર પણ તને છોડતા નથી તો પછી હે રાજન્ ! સ્વચ્છ એવા આ તારા મનની અંદર પાણી પીવાનો વારંવાર અભિલાષ કેમ થાય છે ? (ત્યારે રાજાએ) તેને આ પ્રમાણે દાન આપ્યું. આઠ ક્રોડ સોના મહોર, ત્રાણું મોતીઓની તુલાઓ, મર્દની ગંધમાં લુબ્ધ થયેલા ભમરાઓ જેમાં (ગુંજારવ કરી રહ્યા) છે એવા અને ક્રોધથી ઉન્મત્ત થયેલા પચાસ હાથીઓ, લાવણ્યના ઉપચયથી પ્રપંચિત દૃષ્ટિવાળી સો વારાંગનાઓ, પાંડ્યરાજા પાસેથી દંડમાં આવેલું આ બધું સુભાષિત બોલનારા તે વૈકાલિકને (=ભાટચારણને) અર્પણ કર્યું. ઈત્યાદિ દાનાદિ કૃત્યો તેના પ્રસિદ્ધ છે. કાત્યાયન ગોત્રમાં મુકુટસમાન એવો દેવર્ષિ બ્રાહ્મણ તેના રાજ્યમાં માન્ય હતો. તેની પત્ની દેવશ્રી હતી. તે બેને સિદ્ધસેન નામે પુત્ર હતો. બુદ્ધિનો નિધાન હોવાના કારણે જગતને પણ તૃણ જેવું ગણે છે. મિથ્યાર્દષ્ટિઓનો ગર્વ પ્રકૃતિથી સિદ્ધ છે. તેથી કહ્યું છે કે मर्कटो मदिरामत्तो, वृश्चिकेनापि दंशितः । तन्मध्ये भूतसंचारः, कां कां चेष्टा न कुर्वते ॥ १ ॥ જાતે મર્કટ (= વાંદરો) હોય અને વળી મદિરા પીને ઉન્મત્ત થયેલો હોય તેને વળી વીંછીએ દંશ દીધો હોય, તેમાં વળી ભૂતનો પ્રવેશ થયો હોય પછી તે શી શી ચેષ્ટા ન કરે? वृश्चिको विषमात्रेणायुर्ध्वं वहति कण्टकम् । વિષભારસહસ્ત્રેપ, વાતુવિજ્જૈવ વિતઃ ॥ o ૫ વીંછી અલ્પમાત્ર વિષને ધારણ કરે છે છતાં પણ પોતાનો કાંટો ઊંચો ધારણ કરે છે. જ્યારે હજારો ભાર વિષને ધારણ કરતો હોવા છતાં પણ વાસુકિનાગ જરા પણ ગર્વને ધારણ કરતો નથી. જે મને વાદમાં જીતશે તેનો હું શિષ્ય થઈશ એ પ્રમાણે તેની પ્રતિજ્ઞા હતી. ક્રમે કરીને ૧. એક ત્રાજવામાં પુરુષને બેસાડવો, બીજા ત્રાજવામાં મોતીઓ મૂકવા. પુરુષના માપ પ્રમાણ મોતી થાય ત્યારે એક તુલા કહેવાય.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy