________________
૭૨
આચારપ્રદીપ
છે. પરંતુ મૂઢ એવો તે ક્યારે ય આત્મમુખ થતો નથી.
તેથી બોધ પામેલો તે બ્રાહ્મણ દીક્ષા લઈને ગુરુ સાથે વિહાર કરતો ભરુચ નગરે આવ્યો. રાત્રે પણ મોટા સ્વરે પાઠ કરતો હોવાથી નિદ્રાનો ભંગ થવાથી સાધુઓને દુ:ખી થયેલા જાણીને ગુરુએ મુકુન્દ મુનિને કહ્યું કે, હે વત્સ ! તું નવકારને ગણ, રાત્રે મોટા આવાજથી બોલવામાં હિંસક જીવ જાગી જવાથી અનર્થદંડ પણ થાય. છતાં પણ તે મુનિ મોટા અવાજે સ્વાધ્યાય કરે છે ત્યારે કોઈકે હસતા હસતા કહ્યું કે, શું આ આટલી વયવાળો (ઘરડો) આ પ્રમાણે ભણતો મુસલને (સાંબેલાને) પુષ્પવાળો કરશે ? અર્થાત્ મુસલના લાકડાને ફરી ઉગાડીને પુષ્પવાળો ક૨શે ? તે સાંભળીને ખેદ પામેલા તે વિદ્યાર્થીએ તરત જ નાલીકે૨વસતિ નામના ચૈત્યમાં જઈને વિશ્વાસપૂર્વક સરસ્વતીને આરાધી. એકવીસ ઉપવાસે તુષ્ટ થયેલી સરસ્વતીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે, સર્વવિદ્યાસિદ્ધ થા. અર્થાત્ સર્વવિદ્યા તને સિદ્ધ થશે. ત્યાર પછી ચોકમાં જઈને મુસલને અચિત્તપાણીથી સીંચન કરીને તરત જ જેમાં પાંદડા ફૂટી નીકળ્યા છે એવા તે મુસલને પુષ્પવાળું કર્યું અને બોલ્યા કે
पत्तमवलंबिअं तह, जो जंपड़ फुल्लए न मुसलमिहं ।
तमहं निराकरिता, फुल्लड़ मुसलंति ठावेमि ॥ १ ॥
જે પાંદડાઓનું આલંબન કરીને કહે કે મુસલ પલ્લવિત થયું છે, અર્થાત્ પત્રવાળું થયું છે, પણ પુષ્પિત થયું નથી, અર્થાત્ પુષ્પવાળું થયું નથી, તો પુષ્પિત થયેલા આ મુસલને સ્થાપીને હું તેનું નિરાકરણ કરું છું.
'मङ्गोः शृङ्गं शक्रयष्टिप्रमाणं, शीतो वह्निर्मारुतो निष्प्रकम्पः ।
यस्मै यद्वा रोचते तन्न किञ्चित् वृद्धो वादी भाषते कः किमाह ? ॥ २ ॥
એક જાતના માછલાનું શૃંગ ઈન્દ્રધનુષ્ય પ્રમાણ છે, અગ્નિ શીતલ છે અને વાયુ નિપ્રકંપ છે અથવા જેને જે રુચે તે બોલે, વૃદ્ધવાદી કંઈ પણ કહેતા નથી. કોણ શું કહે છે?
જેમ ગરુડના નામથી સર્પો ધ્રુજવા લાગે તેમ તેમના નામથી જ વાદીઓ ધ્રુજવા લાગ્યા. ત્યાર પછી આ વૃદ્ધવાદી છે એમ જાણીને ગુરુએ તેમને પોતાના પદે સ્થાપિત કર્યા, ત્યારે અવંતિમાં સાત્ત્વિક પુરુષોમાં શિરોમણિ, પરોપકારમાં જ નિષ્ઠાવાળા, જેણે બે સુવર્ણ પુરુષને સિદ્ધ કર્યા છે એવા, પૃથ્વીને ઋણ વગરની કરવા આદિ દ્વારા પોતાના સંવત્સરને પ્રવર્તાવનારા વિક્રમાદિત્ય રાજાએ તેના કોશાધ્યક્ષને (= ભંડારીને) દાનનો આદેશ કર્યો. તે આદેશ કાવ્યમાં બતાવે છે તે કાવ્ય આ પ્રમાણે છે— (તેનો અર્થ →) દુઃખી માણસ મારા જોવામાં આવે તો તારે તરત હજાર સોના મહોર આપવી. હું તેને બોલાવું તો તારે તેને દશ હજાર સોના મહોર - ૧. આ ગાથાનો ચોક્કસ અર્થ સમજાયો નથી.