________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
થયે છતે મોક્ષનો અભાવ થાય છે. અને મોક્ષનો અભાવ થયે છતે સાધુ-શ્રાવકની ધર્મની આરાધના, તપ કરવું, ઉપસર્ગ સહન કરવું આદિ કષ્ટકારી અનુષ્ઠાનો પણ નિરર્થક થાય.
૭૧
તેમાં અન્યથા કરવું એટલે પ્રાકૃત સૂત્રનું સંસ્કૃત કરવું. જેમકે— ધમ્મો મંગલમુનિનું એવા પ્રાકૃત સૂત્રનું ધર્મો મનમુĖ એમ સંસ્કૃત કરવું. અથવા તો પદોને વ્યુત્ક્રમથી કહેવા. જેમકે— લિટ્ટુ મડ઼ાં ઘમ્મો. અથવા પદોનું પર્યાયવાચી શબ્દોથી પરાવર્તન કરવું. જેમકે— પુળાળમુક્કોસ અથવા વર્ણોમાં ફેરફાર કરવો. જેમકે— થમ્યો એ પ્રમાણે છે. અહીં ઘ કારના સ્થાને ૢ કાર આદિ બોલે. એટલે કે ધમ્મો ના સ્થાને ભ્ભો ઈત્યાદિ બોલે. અથવા વર્ણોને વિપરીત (= ઊલટા ક્રમે) કરવું. જેમકે - તેવાવિ ના સ્થાને વિવારે બોલે. આ પ્રમાણે અર્થનું અને વ્યંજનાર્થ એમ ઉભયનું અન્યથા કરવામાં અને ન્યૂયાધિક કરવામાં દોષોની વિચારણા કરવી. તેમાં વ્યંજનોને અન્યથા કરવામાં ચૈત્યવંદન આદિ સૂત્રોને સંસ્કૃત ભાષામાં કરું એટલું બોલવામાં પણ પારાંચિત નામનું પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. અહીં શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિનું ઉદાહરણ છે. તેનો વૃત્તાંત આ પ્રમાણે છે—
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિનું દૃષ્ટાંત
વિદ્યાધર ગચ્છમાં શ્રીપાદલિપ્તસૂરિની પરંપરામાં કંદિલાચાર્ય થયા. અનેક સંઘના કાર્યો જેમણે સાધ્યા છે એવા તે કંદિલાચાર્ય ગામે ગામ વિહાર કરતા ગૌડદેશમાં સમવસર્યા. ત્યાં કોશલ નામના ગામનો વાસી મુકુંદ નામનો વૃદ્ધ બ્રાહ્મણ તેમને મળ્યો. અને આ પ્રમાણે દેશના સાંભળી— વિવેકીએ હંમેશા પણ સમ્યધર્મ આરાધવો જોઈએ. વિશેષ કરીને વૃદ્ધપણામાં ધર્મ આરાધવો જોઈએ. કારણ કે—
बालेऽस्ति यौवनशा, स्पृहयति तरुणोऽपि वृद्धभावं च ॥ મૃત્યુત્ત તોડ્યું, વૃદ્ધ: વિમપેક્ષ્ય નિદ્ધમાં ? ॥ o ॥
બાલપણામાં યૌવનની આશા હોય છે, અર્થાત્ યુવાનીમાં ધર્મ કરશે એવી આશા હોય છે. તરુણ પણ ઘડપણની સ્પૃહા રાખે છે, અર્થાત્ ઘડપણમાં ધર્મ કરશું એવી સ્પૃહા રાખીને બેઠો છે. પરંતુ મૃત્યુના ખોળામાં બેઠેલો આ વૃદ્ધ શેની અપેક્ષા રાખીને ધર્મ કરતો નથી ? स्याच्छैशवे मातृमुख - स्तारण्ये तरुणीमुखः ।
वार्द्धके तु पुत्रमुखो, मूढो नात्ममुखः क्वचित् ॥ २ ॥
બાલપણામાં માતૃમુખ હોય છે, અર્થાત્ માતા કહે તેમ કરે છે. યુવાનીમાં સ્ત્રીમુખ હોય છે, અર્થાત્ સ્ત્રી કહે તેમ કરે છે. અને ઘડપણમાં પુત્રમુખ હોય છે, અર્થાત્ પુત્ર કહે તેમ કરે ૧. છાપેલી પ્રતમાં સંસ્કૃતસ્ય સૂત્રસ્ય પ્રાતીનાં એમ પાઠ છે પણ એ અનુપયોગથી લખાણું હોય તેમ જણાય છે. પ્રાણૢ તસ્ય સૂત્રસ્ય સંસ્કૃતીરળ એવો શુદ્ધ પાઠ હોવો જોઈએ. અહીં એવો પાઠ સમજીને અર્થ કર્યો છે.