________________
૭૦
આચારપ્રદીપ
અનિદ્ભવ સંબંધી જ્ઞાનાચાર
શ્રુતગ્રહણ કરનારાએ ગુરુ અને શ્રુત વગેરેનો અનિĀવ કરવો જોઈએ. જેની પાસે શ્રુત ભણ્યો હોય તે અપ્રસિદ્ધ હોય તો પણ, જાતિ-શ્રુત આદિથી હીન હોય તો પણ તેને જ ગુરુ તરીકે કહેવો જોઈએ, પણ પોતાના ગૌરવ માટે પ્રસિદ્ધ અને યુગપ્રધાન વગેરે બીજાને ગુરુ તરીકે ન કહેવો જોઈએ. અથવા જેટલું શ્રુત ભણ્યો હોય તેટલું જ કહેવું જોઈએ, પણ અધિક કે ન્યૂન ન કહેવું જોઈએ. ન્યૂનાધિક કહેવામાં મૃષાવાદ, ચિત્તની કલુષતા, જ્ઞાનનો અતિચાર વગેરે (દોષની) આપત્તિ = પ્રાપ્તિ થાય. ગુરુ આદિનો અપલાપ કરવો એ મહાપાપ છે. લોકમાં પણ કહ્યું છે કે–
एकाक्षरप्रदातारं, यो गुरुं नाभिमन्यते ।
श्वानयोनिशतं गत्वा, चाण्डालेष्वपि जायते ॥ १ ॥
જે એક અક્ષર આપનારને ગુરુ રૂપે માનતો નથી તે સો વખત કુતરાની યોનિમાં જઈને ચાંડાલોમાં પણ ઉત્પન્ન થાય છે. અહીં આ દૃષ્ટાંત છે—
નાપિતનું દૃષ્ટાંત
એક વાળંદ (= હજામ) પોતાની અસ્ત્રો રાખવાની કોથળીને વિદ્યાના બળથી આકાશમાં નિરાધાર રાખતો હતો. બહુ સેવા કરવા દ્વારા તેની પાસેથી જેણે વિદ્યાને પ્રાપ્ત કરી છે એવો એક પરિવ્રાજક ત્રિશુળને આકાશમાં રાખવા દ્વારા સ્થાને સ્થાને લોકો વડે પૂજાતો હતો. એક વખત રાજાએ પૂછ્યું કે, તારો ગુરુ કોણ છે ? તેણે કહ્યું કે, હિમાલય પર્વતમાં રહેનારા, ફળોનો આહાર કરનારા, મહાતપસ્વી મહર્ષિ મારા ગુરુ છે. આ પ્રમાણે તે બોલી રહ્યો છે તે સમયે જ ઊંચે ઉલાળેલા દંડની જેમ તેનું ત્રિશુલ આકાશમાંથી ખડખડ કરતું નીચે પડ્યું. તેથી લોકોમાં તેની મશ્કરી તથા અપમાન થયું. આ રીતે ગુરુનો નિહ્નવ સર્વથા ન કરવો જોઈએ. વિશેષ કરીને ધર્માર્થી જીવે ગુરુનો નિર્ભવ ન કરવો જોઈએ.
આ પ્રમાણે પાંચમા અનિહ્નવ સંબંધી જ્ઞાનાચારનું વ્યાખ્યાન કર્યું.
વ્યંજન-અર્થ-તદ્રુભય સંબંધી જ્ઞાનાચાર
વ્યંજન-અર્થ અને તદુભયથી શુદ્ધ સૂત્ર ભણવું જોઈએ. તેમાં વ્યાયન્તિ અર્થે રૂતિ વ્યગ્નનાનિ-અક્ષત્તિ. અર્થને જણાવે તે વ્યંજનો, અર્થાત્ અક્ષરો. તે અક્ષરોનું અન્યથા કરવું અથવા ન્યૂનાધિક કરવું. અન્યથા કરવામાં અને ન્યૂનાધિક ક૨વામાં અશુદ્ધ થતું હોવાથી મહા આશાતના, સર્વજ્ઞની આજ્ઞાનો ભંગ વગેરે અનેક મહાન દોષો થાય છે. તથા વ્યંજનનો ભેદ થયે છતે અર્થનો ભેદ થાય છે. અર્થનો ભેદ થયે છતે ક્રિયાનો ભેદ થાય છે. ક્રિયાનો ભેદ