SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ૬૯ જેમ સળંગ ઉપવાસ, આયંબિલ આદિ દુષ્કરતપ કરવા દ્વારા પોતાના શરીરને શોષવું. આ પ્રમાણે જો તું કરીશ તો જ તારું આ દુષ્કર્મ નાશ પામશે. બીજી કોઈ રીતે નાશ નહીં પામે. જેથી પરમ ઋષિનું વચન છે કે, “પવામાં રવતુ પો ! ડાળે કમ્મા પુત્ર ક્વેિસા दुप्पडिकंताणं वेइता मुक्खो, नत्थि अवेइत्ता, तपसा वा झोसइत्ता' [दशवै अ.१० प्र.चू.गा.१८] ખરેખર ! પૂર્વે કરેલા, ખરાબ રીતે આચરેલા અને સારી રીતે પ્રતિક્રમણ નહીં કરેલા પાપ કર્મોનો ભોગવટો કરવાથી જ છૂટકારો થાય છે. ભોગવ્યા વિના છૂટકારો થતો નથી. અથવા તો તપથી ખપાવીને છૂટકારો થાય છે. તથા– अनिआणस्स विहीए, तवस्स तविअस्स किं पसंसामो ? । Mિ ને વિUTIો, નિશાબાપ પિ વેમ્પાપ [તપ નવ-૨૦] નિયાણા વગર અને વિધિપૂર્વક કરાયેલા તપની અને તપસ્વીની અમે શું પ્રશંસા કરીએ? કારણ કે જે તપથી નિકાચિત કર્મનો પણ નાશ થાય છે. તેથી શ્રેષ્ઠીનો પુત્ર હોવા છતાં પણ, બાળક હોવા છતાં પણ અને સુખી હોવા છતાં પણ તેણે જ્ઞાનીએ કહેલું તે બધું સવિશેષ તે પ્રમાણે જ ઘણા વર્ષો સુધી ઉત્સાહપૂર્વક જ કર્યું. જેવી રીતે લાકડાને કોતરવામાં તત્પર થયેલા ઘુણના (= લાકડાના કીડાવિશેષના) સમૂહનો યોગ થયે છતે નિબિડ (મજબૂત) એવું પણ લાકડું ધીમે ધીમે અનિબિડ થાય છે, તેમ નિબિડ એવું પણ તેનું તે કર્મ ધીમે ધીમે અનિબિડ થયું. ત્યાર પછી મહાનિશીથ સૂત્રમાં કહેલી મુખ્ય વિધિથી જ તેણે સાવધાન મનવાળા થઈને ઉપધાનવહન કરવાપૂર્વક નમસ્કાર આદિ સૂત્રોને ભણ્યાં. આ પ્રમાણે પૂર્વે કરેલા દુષ્કર્મનો સર્વથા નાશ થયે છતે સમગ્ર શાસ્ત્રનો પાર પામવાના કારણે દેવદત્ત પણ ગુરુદત્તે જે જે ઉપમાઓને પામી હતી તે તે ઉપમાને પામ્યો. તે જોઈને શ્રદ્ધાવાળા થયેલા પ્રાયઃ બધા પણ શ્રાવકોએ વિધિપૂર્વક ઉપધાનનું આરાધન કર્યું. અર્થાત્ ઉપધાન તપની આરાધના કરી. ત્યારપછી પરમ શ્રાવક એવા તે બંનેએ તે પ્રમાણે જ્ઞાનની આરાધના કરી કે જેથી તે ભવમાં પણ દ્રવ્યદીક્ષાનો સ્વીકાર કર્યા વિના પણ કેવળજ્ઞાનને પામીને સિદ્ધિ મહેલમાં નિવાસ કર્યો, અર્થાત્ મોક્ષમાં ગયા. આ પ્રમાણે ઉપધાનની આરાધનાનું અને અનારાધનાનું ફળ જાણીને પ્રમાદની અવગણના કરીને ઉપધાનની આરાધનાની વિધિમાં સમ્યફ ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રમાણે શ્રાવકના ઉપધાન વિષયમાં દષ્ટાંત પૂર્ણ થયું. આ પ્રમાણે ચોથા ઉપધાન સંબંધી જ્ઞાનાચારનું વ્યાખ્યાન કર્યું.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy