SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ કુલમાં અવતર્યા. દેવદત્ત અને ગુરુદત્ત નામના યુગલરૂપે અવતરેલા પુત્રો થયા. પરંતુ મોટાને પૂર્વે કરેલા કર્મના દોષથી અતિમૂર્ખતા અને નિર્બુદ્ધિપણું આદિની પ્રાપ્તિ થઈ. ૬૮ જ્યારે બીજા નાનાને અતિહોંશિયારી અને સુબુદ્ધિપણું આદિની પ્રાપ્તિ થઈ. ક્રમે કરીને પિતાએ બંનેને પણ ભણાવવા માટે અધ્યાપકને અર્પણ કર્યા. મોટાને ઘણો પ્રયત્ન કરવા છતાં પણ અતિ તપેલા પાત્ર ઉપર પાણીનું બિંદુ ન રહે તેમ એક અક્ષરમાત્ર પણ હૃદયમાં રહેતો નથી. તો પછી વધારે તો ક્યાંથી રહે ? લાકડાના પૂતળાની જેમ તેણે અક્ષરોનું વાંચન-લેખન આદિ જરા પણ ન જાણ્યું. પિતા વગેરે ઔષધ, મંત્ર, તંત્ર, યંત્ર, દૈવંતપ્રશ્ન આદિ અનેક ઉપાય કરે છે છતાં પણ અને દ૨૨ોજ ભણાવે છે છતાં પણ નવકાર મંત્રના એક પદમાત્રને પણ તે ન ભણી શક્યો. જ્યારે બીજો નાનો હાર્દને જાણવાથી જાણે બીજો બૃહસ્પતિ ન હોય તેમ થોડા જ દિવસોમાં સુખેથી જ સકલશાસ્ત્રરૂપી સમુદ્રના પારને પામવાથી સર્વ પંડિતોમાં શિરોમણિપણાને વહન કરતો ક્રમે કરી સારી રીતે શ્રાવકધર્મની સમગ્ર વિધિને શીખવવામાં, ઉત્સર્ગ-અપવાદમાં ચતુરાઈ આદિથી શ્રી જિનશાસનમાં અસાધારણ કુશળતાને પ્રાપ્ત કરી. અહો ! જ્ઞાનની વિરાધનાનું અને જ્ઞાનની આરાધનાનું કોઈપણ રીતે ન કહી શકાય એવું વિપાક (= ફળ) ? ત્યાર પછી તે બંનેએ લોકમાં આવા પ્રકારની ઉપમાને પ્રાપ્ત કરી. જેમકે— એકે રાહુની તો બીજાએ સૂર્યની, એકે નાશ પામેલા કમળની તો બીજાએ ચંદ્રની, એકે રાત્રીની તો બીજાએ દિવસની, એકે અમાસની તો બીજાએ પૂર્ણિમાની, એકે અંગારાની તો બીજાએ સુવર્ણની, એકે ધતૂરાની તો બીજાએ ચંપાની, એકે કેરડાની તો બીજાએ કલ્પવૃક્ષની, એકે મષીની તો બીજાએ દૂધની, એકે કાગડાની તો બીજાએ કોયલની, એકે બગલાની તો બીજાએ હંસની, એકે કલિયુગની તો બીજાએ મૃતયુગની, એકે દુર્જનની તો બીજાએ સજ્જનની, એકે ગધેડાની તો બીજાએ ઐરાવણ હાથીની ઈત્યાદિ ઉપમાઓને પ્રાપ્ત કરી. અહો ! બંને સગા ભાઈ હોવા છતાં પણ વિષ અને અમૃતની જેમ આ બંનેનું મોટું અંતર તો જુઓ ! પછી દુર્ભાગ્યથી કરાયેલા પંક્તિભેદથી અતિ ઉદ્વિગ્નતામાં ડૂબેલા ચિત્તવાળો દેવદત્ત અંતરમાં અત્યંત દુઃખેથી સહન કરી શકાય એવા કેવલ દુઃખને વહન કરે છે, અર્થાત્ અત્યંત દુ:ખી દુ:ખી થઈ ગયો છે. કોઈક વખતે પિતાએ પોતાના બંને પુત્રોનો પૂર્વભવ જ્ઞાની ભગવંતને પૂછ્યો. ત્યારે જ્ઞાની ભગવંતે પણ યથાવસ્થિત (જેવું બન્યું હતું તેવું) કહ્યું. ત્યારે પોતાના અંતરમાં અત્યંત પશ્ચાત્તાપને વહન કરતાં અને સુકૃત કરવાના એક ચિત્તવાળા દેવદત્તે ‘પોતાના દુષ્કર્મનો નાશ કરવાનો ઉપાય બતાવો' એ પ્રમાણે જ્ઞાની ભગવંતને વિનંતી કરી ત્યારે જ્ઞાની ભગવંતે કહ્યું કે, ઉપધાન વહન કરનારાઓની અને નવકાર આદિ સૂત્રોને ભણનારાઓની કોઈપણ જાતના કપટ વિના વિનયથી પ્રયત્ન કરવાપૂર્વક, ભોજન આપવું, વિશ્રામણા કરવી ઈત્યાદિથી વેયાવચ્ચ કરવા દ્વારા બધી રીતે ભક્તિથી પોષવા અને મહર્ષિઓની
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy