SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર કરો, કારણ કે— विहिसारं चिअ सेवइ, सद्धालू सत्तिमं अणुट्ठाणं । दव्वाइदोसनिहओ - ऽवि पक्खवायं वहइ तंमि ॥ १ ॥ [ धर्मरत्नप्रकरण - ९१] ૬૭ શક્તિમાન શ્રાવક વિધિપૂર્વક જ અનુષ્ઠાન સેવે છે=કરે છે. દ્રવ્યાદિ દોષથી હણાયેલો હોય, અર્થાત્ દ્રવ્યાદિની અનુકૂળતા ન હોય તો પણ વિધિમાં જ પક્ષપાત વહે છે=કરે છે. आसन्नसिद्धिआणं, विहिपरिणामो उ होइ सव्वकालं । विहिचाउ अविहिभत्ती, अभव्वजिअदूरभव्वाणं ॥ २ ॥ [ दर्शनशुद्धि प्रक० गा० २७] આસન્નસિદ્ધિક = ; = નજીકના કાળમાં જેનો મોક્ષ થવાનો છે એવા જીવોને સર્વકાળ વિધિનો પરિણામ હોય છે. અભવ્યજીવો અને દૂરભવ્યજીવોને વિધિનો ત્યાગ અને અવિધિમાં ભક્તિ હોય છે. પિતાના તે વચનને સાંભળીને બુદ્ધિશાળીઓમાં અગ્રણી, નાનો હોવા છતાં પણ મોટી બુદ્ધિવાળો, વૈદ્ય વડે બતાવાયેલાની જેમ ઈષ્ટ માનતો, નંદિ મહોત્સવ આદિ કરાવવાપૂર્વક, અપૂર્વ બહુમાનપૂર્વક મુખ્ય વિધિથી જ ઉપધાનતપોને વહન કર્યા, મોટોભાઈ તો સાંસારિકસમાં આસક્ત થયેલો, પૌષધ, ઉપવાસ આદિ ક્રિયાને દુષ્કર માનતો, નિર્લજ્જતા આદિનું જેણે સાહસ કર્યું છે એવો, પૂર્વે પણ અસ્ખલિત આદિ ગુણથી યુક્ત સૂત્રો ભણેલ છે તો હવે ફોગટ દુઃખે કરી તપી શકાય એવા તપને તપવા આદિ ક્લેશના આવેશનો આશ્રય કરવાથી શું ? કારણ કે— अतिक्लेशेन ये त्वर्था, धर्मस्यातिक्रमेण च । शत्रूणां प्रणिपातेन, ते ह्यर्था मा भवन्तु मे ॥ १ ॥ અતિફ્લેશથી જે કાર્યો સિદ્ધ થતાં હોય, ધર્મનું અતિક્રમણ કરવાથી જે કાર્યો સિદ્ધ થતા હોય, શત્રુઓને પગે પડવાથી જે કાર્યો સિદ્ધ થતા હોય એવા કાર્યો મને ન થાવ. આ પ્રમાણે ઉપધાનની અવજ્ઞા ક૨વામાં અગ્રેસર એવા તેને પ્રવીણ એવા માતા, પિતા, ભાઈ આદિએ ઘણી ઘણી પ્રેરણા કરી છતાં પણ ગળીયો બળદ ધોંસરીના ભારને વહન ન કરે તે રીતે તેણે કોઈપણ રીતે ઉપધાનોને વહન ન કર્યા. ધર્મિષ્ઠ માણસોના પણ પ્રમાદ રૂપ મદિરાના પાનના અતિરેકથી મદના અતિશય આવેશથી થયેલા વિક્ષોભ ને ધિક્કાર થાઓ. જેઓ સમ્યધર્મની વિધિમાં ચતુર હોવા છતાં પણ જાણે કે અગ્નિથી બળેલા ન હોય તેમ ધર્મની આરાધના કરવા માટે ઉભા થતા નથી. આ પ્રમાણે શ્રાવક ધર્મની આરાધના કરવા છતાં પણ તેણે ઉપધાન વહન નહીં કરવા દ્વારા અને કંઈક ઉપધાનની હીલના કરવા આદિથી તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. બંને પણ શ્રાવકધર્મની આરાધના કરવાના કારણે સૌધર્મ દેવલોકમાં દેવ થઈને દેવપણું અનુભવીને ત્યાંથી ચ્યવેલા તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રેષ્ઠીના
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy