SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર પ્રભાવવાળી રાજાની સભામાં આપણા બંનેનો વાદ થાવ. સિદ્ધસેને કહ્યું કે, હું સમયને જાણનાર નથી. આપ સમયને જાણનાર છો. અર્થાત્ હું શાસ્ત્ર અને અવસરને જાણનાર નથી. આપ શાસ્ત્ર અને અવસરને જાણનારા છો. જે સમયને જાણનાર છે તે સર્વજ્ઞ છે. તેથી હું આપના વડે જીતાયો છું. જલદીથી મને દીક્ષા આપો. અને પ્રશમરસમય આપના શાસ્ત્રને શીખવો. ઈત્યાદિ બોલનારા તે સિદ્ધસેન વાદીને વૃદ્ધવાદી સૂરિએ ત્યાં જ દીક્ષા આપી. તે વૃત્તાંતને જાણીને ભરુચના રાજાએ ત્યાં તાલારસ નામનું મોટું ગામ વસાવ્યું અને પુણ્યશાળી લોકોના ચિત્તને આનંદ આપનારું શ્રી ઋષભદેવનું પ્રાસાદ (= મંદિર) કરાવ્યું. તેમાં શ્રી વૃદ્ધવાદી સૂરિએ પ્રતિષ્ઠા કરી. શ્રી જિનશાસનની મહાન ઉન્નતિ કરી. સિદ્ધસેનનું દીક્ષા સમયે કુમુદચંદ્ર નામ હતું. પરંતુ આચાર્ય પદવી વખતે અલગ અલગ પૂર્વધરો પાસેથી પૂર્વમાં રહેલા શ્રુતનો અભ્યાસ કર્યો હોવાથી સિદ્ધસેન દિવાકર એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું. કહ્યું છે કે— वाई अ खमासमणे, दिवायरे वायग ति एगट्ठा । सुत्ते पुव्वगयंमी एए सद्दा पट्टंति ॥ १ ॥ ૭૫ વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર અને વાચક આ બધા શબ્દો એકાર્થક છે, અર્થાત્ આ બધા શબ્દોનો એક જ અર્થ થાય છે. પૂર્વગત શ્રુતને વિષે આ શબ્દો પ્રવર્તે છે. અર્થાત્ પૂર્વગત શ્રુતને ભણનારાઓને=જાણનારાઓને વાદી, ક્ષમાશ્રમણ આદિ શબ્દોથી ઓળખવામાં આવે છે. અહીં સૂરિની ‘દિવાકર’ એવી જે સંજ્ઞા છે તે સ્વામિવાચક આદિ શબ્દની જેમ જાણવી. હવે શ્રી જિનશાસનનો ઉદ્યોત કરવાં દ્વારા પણ પોતાના નામને સાર્થક કરતા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ પૃથ્વી ઉપર વિહાર કરતા ક્રમે કરી ઉજ્જૈની નગરીમાં સામે આવેલા સંઘ વડે કરાતા મોટા ઉત્સવથી ‘સર્વજ્ઞ પુત્રક' ઈત્યાદિ બિરુદાવલીઓ બંદીઓ બોલે છતે ચોકની અંદર આવતા સૂરિને હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયેલા સામે આવતા વિક્રમાદિત્ય રાજાએ સર્વજ્ઞપુત્રતાની પરીક્ષા કરવા માટે મનથી જ નમસ્કાર કર્યો. પણ માથું નમાવવા દ્વારા કે વચનથી બોલવા દ્વારા નમસ્કાર ન કર્યો. નજીકમાં આવેલા સૂરિ તો તેને ધર્મલાભ બોલ્યા, અર્થાત્ ધર્મલાભ આપ્યો. ત્યારે રાજાએ કહ્યું કે, હું હો ! સૂરીન્દ્ર ! નહીં નમતા એવા પણ અમને ધર્મલાભ શા માટે અપાય છે ? પ્રાપ્ત કરાતો આ ધર્મલાભ શું સસ્તો છે ? સૂરિએ કહ્યુંઃ કરોડો ચિંતામણિથી પણ આ ધર્મલાભ દુર્લભ છે. તેં તો પરીક્ષા માટે અમને મનથી જ નમસ્કાર કર્યો છે તેથી તને ધર્મલાભ આપ્યો છે. તેથી ખુશ થયેલા શ્રેષ્ઠ રાજાએ હાથીના સ્કંધ ઉપરથી નીચે ઉતરીને વંદન કર્યું. અને કરોડ સોના મહોર મંગાવીને સૂરિને ભેટણું કર્યું. નિઃસંગ હોવાથી સૂરિએ તેને ગ્રહણ ન કર્યું અને આપવા માટે કહ્યું હોવાથી રાજાએ પણ ગ્રહણ ન કર્યું. તેથી સંઘના પુરુષોએ જીર્ણોદ્વાર આદિમાં તેનો ઉપયોગ કર્યો અને દાન- વહિકામાં (= ચોપડામાં) તો આ પ્રમાણે લખ્યું
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy