________________
६४
આચારપ્રદીપ *
'उवासगाणंच सीलव्वयवेरमणगुणपच्चक्खाणपोसहोववासपडिवज्जणया उ सुअपरिग्गहा तवोवहाणाई ડિમાગો' શીલવ્રત = અણુવ્રતો. વિરમણ = રાગાદિની વિરતિ. ગુણ = ગુણ વ્રતો. પ્રત્યાખ્યાન =નવકારશી વગેરે પચ્ચક્ખાણો. પૌષધોપવાસ=આઠમ આદિ પર્વ દિવસોમાં આહાર, શરીરસત્કાર આદિનો ત્યાગ. શ્રુતપરિગ્રહો અને તપોપધાનો પ્રસિદ્ધ છે. એમ વૃત્તિમાં કહેલું છે.
વ્યવહારસૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે, શ્રતગ્રહણ કરવાની ઈચ્છા રાખતા શ્રાવકે ઉપધાન કરવું જોઈએ.
જેઓ શ્રાવકોની ઉપધાનવિધિને માનતા નથી તેઓ સાધુઓની યોગવિધિને કેમ માને છે? શ્રાવકની જેમ સાધુઓને પણ યોગોહન વિના પણ સૂત્રપાઠ આદિની શુદ્ધિની આપત્તિ આવશે. તેથી કદાગ્રહરૂપી ગ્રહની પકડને છોડીને સિદ્ધાંત માર્ગને અનુસરવાપણાને અનુસરીને યથોક્ત મહાશ્રુતસ્કંધ અધ્યયન આદિ પરિભાષાથી યુક્ત નવકાર આદિ સૂત્રની આરાધનાના કારણભૂત ઉપધાનોને જિનવચનના પ્રમાણથી પ્રમાણરૂપે સ્વીકારવા જોઈએ.
મહાનિશીથમાં ઉપધાન વિના નવકાર આદિ સૂત્ર ભણવું આદિનો નિષેધ કરેલો છે. વર્તમાનકાળે તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિની અપેક્ષાએ લાભાલાભનો વિચાર કરીને આચરણાથી ઉપધાનતપ વિના પણ સૂત્રપાઠ આદિ કરાવાતું દેખાય છે. કલ્પભાષ્ય (= બૃહત્કલ્પ)માં આચરણાનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે–
असढेण समाइण्णं, जं कत्थय केणई असावज्जं ।
न निवारिअमन्नेहि, बहुमणुमयमेअमायरिअं॥१॥[बृहत्कल्प सूत्र-४४९९] અશઠ ભાવથી કોઈએ જે કંઈ અસાવદ્ય (= નિર્દોષ) આચર્યું હોય અને બીજાઓએ તેનું નિવારણ ન કર્યું હોય પણ બહુમાન્યું હોય તે આચરણા છે. આચરણા પણ જિનાજ્ઞા સમાન જ છે. જેથી (ચૈત્યવંદન) ભાષ્ય આદિમાં કહ્યું છે કે
असढाईण्णऽणवज्जं, गीअत्थअवारिअंति मज्झत्था ।
માયરવિ કુમારિ, વથા સુવ૬ મન્નતિ ૨ [૪૨]. અશઠભાવથી આચરેલું હોય, અનવદ્ય હોય, ગીતાર્થે વારણ ન કર્યું હોય, અર્થાત્ નિષેધ ન કર્યું હોય એવા આચરણને ‘આચરણા પણ આજ્ઞા છે એવા વચનથી મધ્યસ્થ પુરુષો બહુમાને છે.
પરંતુ જેણે પૂર્વે નવકાર આદિ સૂત્રો ભણેલા હોય તેણે પણ યથાયોગ્ય વિલંબ કર્યા વિના જ, અર્થાત્ વહેલામાં વહેલી તકે યથાશક્તિ તપ કરવા દ્વારા પૌષધ ગ્રહણ કરવું આદિ વિધિપૂર્વક અવશ્ય ઉપધાનોને વહન કરવા જોઈએ.