________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
૬૩
હે ગૌતમ ! તેણે પણ તપોપધાન કરવું જોઈએ.
હે ભગવંત ! શા માટે કરવું જોઈએ ?
હે ગૌતમ ! સુલભબોધિના લાભ માટે કરવું જોઈએ.
જો આ પ્રમાણે ન કરે તો તેને જ્ઞાનકુશીલ જાણવો.
પ્રશ્ન– શ્રી આવશ્યક સૂત્રમાં નવકારને સામાયિકના અંગ રૂપે કહેલું છે. મહાનિશીથમાં તેને મહાશ્રુતસ્કંધ રૂપે કહેવું શું યોગ્ય છે ?
ઉત્તર– જેમ આવશ્યકની પ્રથમ અધ્યયનની નિર્યુક્તિમાં અલગ અધિકાર કરાયેલું સામાયિક અલગ અધ્યયન કહેવાય છે. તે જ સામાયિક પ્રતિક્રમણ નામના ચોથા અધ્યયનમાં પ્રતિક્રમણ સૂત્રના એક દેશ રૂપે દેખાય છે. ‘ઞળિ સુત્તાણુળમો નાવ રૂમ ૨ તં પુખ્ત, રેમિ ભંતે' ઈત્યાદિ તેની ચૂર્ણિનું વચન છે. આ પ્રમાણે નવકાર પણ જ્યારે સામાયિક આદિમાં કહેવાય છે ત્યારે સામાયિક આદિનું અંગ જાણવું અને જ્યારે શયન, આસન, નિર્જરા કાર્ય આદિમાં અલગ યાદ કરાય છે ત્યારે અન્ય શ્રુતસ્કંધ જાણવું. અન્યશ્રુત કરતા મહાનિશીથ શ્રુત વિશિષ્ટતર શ્રુતરૂપે દેખાય છે. સળંગ પીસ્તાલીસ આયંબિલ રૂપ મહાનિશીથના આગાઢયોગ અન્ય શ્રુતના યોગ કરતા દુઃખે કરી શકાય એવા તપરૂપ હોવાના કારણે ઉત્કૃષ્ટ છે. આ પ્રમાણે હોવા છતાં પણ જેઓ મહાનિશીથને પ્રમાણ રૂપે માનતા નથી, શ્રુતનો અપલાપ કરવો એ મહાપાપનું કારણ છે તેથી ન જાણે તેઓની કઈ ગતિ થશે ? નંદિસૂત્ર, પાક્ષિકસૂત્ર વગેરેમાં ‘નિસીદું મહાનિશીä” એ પ્રમાણે સાક્ષાત્ કહેલું હોવાથી મુગ્ધબુદ્ધિવાળાઓએ એમ ન કહેવું કે નિશીથવ્રુતનું શ્રુતપણું જ સંદિગ્ધ છે. અને આ નંદિસૂત્ર, પાક્ષિકસૂત્ર પ્રમાણ નથી એમ પણ ન કહેવું જોઈએ. જો એ પ્રમાણે કહેશો તો વર્તમાનમાં વિદ્યમાન શ્રી આચારાંગ, ઔપપાતિક આદિ ગ્રંથો પણ નંદિસૂત્ર આદિમાં કહેલાથી ભિન્ન માનવાનો પ્રસંગ દુઃખે કરી નિવારી શકાશે. અને આ પ્રમાણે વિચાર્યા વિના બોલવાથી આશાતના કરનારાઓને જિન આદિ વિશે પણ જેમ તેમ નિંદા કરવામાં કંઈ પણ અવિષય નહીં બને, અર્થાત્ જિન આદિ પણ નિંદાનો વિષય બનશે.
વળી બીજું– જેઓ પણ અનંત સંસારના દુસ્સહ દુઃખોથી પણ ભય નહીં પામતા કદાગ્રહથી મહાસાહસિકપણાનું આલંબન લઈને મહાનિશીથને પ્રમાણ નથી કરતા તેઓએ પણ ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામિ પ્રણીત શ્રી દશવૈકાલિકનિર્યુક્તિ આદિમાં ‘વ્હાલે વિદ્ વધુમાળે વહાળે' એ પ્રમાણે અનંતર કહેલી ગાથામાં ઉપધાનને સાક્ષાત્ કહેલું હોવાથી ઉપધાન તપને સ્વીકારવું જોઈએ.
સમવાયાંગમાં પણ ઉપાસક દશાંગના સ્વરૂપની પ્રરૂપણા કરવાના અધિકારમાં શ્રાવકોના ઉપધાનોને સાક્ષાત્ જ કહેલા છે. તે આ પ્રમાણે—