SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ૬૧ વળી બીજું- પંચમંગલ સામાયિક કરીને કે સામાયિક કર્યા વિના પણ ભણી શકાય છે. સામાયિક આદિ શ્રુત તો જેણે આરંભ સમારંભનો તથા પરિગ્રહનો ત્યાગ કર્યો હોય અને માવજીવ સુધીનું સામાયિક કર્યું હોય તે ભણી શકે છે. પરંતુ જેણે આરંભ-સમારંભનો તથા પરિગ્રહનો ત્યાગ ન કર્યો હોય અને સામાયિક ન કર્યું હોય તે ભણી શકતો નથી. જે પ્રમાણે પંચમંગલ મહાશ્રુતસ્કંધના આલાપ, આલાપ, આયંબિલ કરવામાં આવે છે તે પ્રમાણે શક્રસ્તવ આદિમાં પણ આલાપકે, આલાપકે આયંબિલ કરવામાં આવે છે. બાર અંગરૂપ શ્રુતજ્ઞાનના ઉદ્દેશામાં અને અધ્યયનોમાં આયંબિલ કરવામાં આવે છે. હે ભગવંત ! પંચમંગલ મહાશ્રુતસ્કંધનું વિનયોપધાન અતિ દુષ્કર કહેલું છે અને આ તો મોટી નિયંત્રણા છે. બાળકો આ નિયંત્રણાનું પાલન કેવી રીતે કરી શકે ? | હે ગૌતમ ! જે કોઈ આ નિયંત્રણાને ન ઈચ્છે અને વિનયોપધાન વિના જ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાનને ભણે અથવા ભણાવે અથવા ભણાવતાને સંમતિ આપે તે પ્રિયધર્મી નથી. (તે દઢધર્મી નથી, તે ભક્તિથી યુક્ત નથી, તે સૂત્રની હલના કરનારો છે, તે અર્થની હીલના કરનારો છે, તે સૂત્રાર્થ ઉભયની હીલના કરનારો છે, તે ગુરુની હીલના કરનારો છે. જે સ્ત્ર, અર્થ અને સૂત્રાર્થ ઉભયની હીલના કરનારો છે), તે અતીત-અનાગત-વર્તમાન તીર્થંકરની આસાતના કરનારો છે. (તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓની આસાતના કરનારો છે.) તે શ્રુતજ્ઞાનની, (અરિહંતની, સિદ્ધની અને સાધુની આસાતના કરનારો છે. સુદીર્ઘકાળ સુધી) અનંત સંસાર સાગરમાં ભટકતા એવા તેને શીત, ઉષ્ણ, શીતોષ્ણ, ભયંકર, અંધકાર, દુર્ગધ, વિષ્ઠા, અશુચિ, ખાર, મૂત્ર, કફ, ચામડું, શરીરનો મેલ, પરૂ, દુર્દિન, ચીખલ, રુધિર, કીચડ, દુર્દર્શન, જરાયુ, કાદવથી બીભત્સ અને ભયંકર એવા તે તે સંકટ અને વિકટ ચોર્યાસી લાખ પ્રમાણ સંખ્યાવાળા ગર્ભાવાસમાં રઝળતા અને એકત્ર થયેલા અંગોપાંગવાળા તેને) અતિશય લાંબા કાળની નિયંત્રણા થાય છે. અને જે આ વિધિની સ્પર્શના કરે છે અને જરા જેટલા પણ અતિચારને લગાડતો નથી. વળી યથોક્ત વિધાનથી જે પંચમંગલ વગેરે શ્રુતજ્ઞાનનું વિનયોપધાન કરે છે. તે ગૌતમ! તે સૂત્રની હીલના નથી કરતો, (તે અર્થની હીલના નથી કરતો, તે સૂત્રાર્થ ઉભયની હીલના નથી કરતો, તે ત્રણે કાળમાં થનારા તીર્થકરોની આસાતના નથી કરતો, તે ત્રણ લોકના શિખરે રહેલા, કર્મમલથી રહિત સિદ્ધ ભગવંતોની આસાતના નથી કરતો, તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની આસાતના નથી કરતો, તે અત્યંત સારી રીતે પ્રિયધર્મી છે, દઢધર્મી છે, ભક્તિથી યુક્ત છે. તે એકાંતે સૂત્રાર્થમાં રાગી મનવાળો શ્રદ્ધા અને સંવેગને પામેલો છે.) તે સંસારરૂપી કારાગારમાં વારંવાર રહેવું વગેરે અનેક પ્રકારની નિયંત્રણાને પામતો નથી.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy