SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ (તું સંસારનો પાર પામ. તું ધન્ય છે. તે સંપૂર્ણ લક્ષણવાળો છે. એ પ્રમાણે કહેતા એવા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા તથા સઘળાય નજીકના સાધર્મિક જનરૂપ) ચતુર્વિધ પણ શ્રમણસંઘે ગંધ મુઠી ગ્રહણ કરવી જોઈએ. અર્થાતુ તેના મસ્તક ઉપર ગંધમુઠી નાખવી જોઈએ. ત્યાર પછી જગતગુરુ જિનેશ્વરની પૂજાના એક દેશથી ગંધયુક્ત, અપ્લાન (= તાજાં ખીલેલાં) જેતપુષ્પની માળા ગ્રહણ કરીને પોતાના હાથથી બંને ખભા ઉપર આરોપણ કરતા' (તેને) ગુરુએ નિઃસંદેહ આ પ્રમાણે કહેવું જોઈએ. (જેમ કે - ભો ! ભો ! જન્માંતરમાં ભેગા કરેલા ઘણા પુણ્યના સમૂહથી સારી રીતે પ્રાપ્ત કરેલા અત્યંત શ્રેષ્ઠ મનુષ્ય જન્મને સફળ કરનારા ! હે દેવાનુપ્રિય ! તારા નરક અને તિર્યંચના દ્વારા બંધ થયા છે. અયશ, અપકીર્તિ, નીચગોત્ર કર્મનો તું અબંધક થયો છે. તું જ્યારે બીજા ભવમાં જઈશ ત્યારે પણ તને પંચનમસ્કાર મહામંત્ર દુર્લભ નથી. ભવિષ્યમાં થનારા જન્મોમાં તું જ્યાં જ્યાં ઉત્પન્ન થઈશ ત્યાં ત્યાં પંચનમસ્કાર મહામંત્રના પ્રભાવથી ઉત્તમજાતિ, ઉત્તમકુળ, ઉત્તમરૂપ, ઉત્તમ આરોગ્યની સંપદા નિશ્ચયથી પ્રાપ્ત કરીશ. વળી બીજું પંચનમસ્કાર મહામંત્રના પ્રભાવથી તને દાસપણાની પ્રાપ્તિ નહીં થાય. દારિદ્ર, દૌર્ભાગ્યની પ્રાપ્તિ નહીં થાય. હિનયોનિપણાની તથા વિકસેન્દ્રિયપણાની પ્રાપ્તિ નહીં થાય. ઘણું કહેવાથી શું? હે ગૌતમ ! જે કોઈ આ વિધિથી પંચનમસ્કાર આદિ શ્રુતજ્ઞાનને ભણનારો છે અને જે અર્થને અનુસાર તેમાં પ્રયત્નવાળો છે સર્વ આવશ્યક આદિ નિત્ય અનુષ્ઠાનોમાં અને અઢાર હજાર શીલાંગોમાં રમતો હોય તે સરાગપણાના કારણે કદાચ નિવૃત્તિને (મોક્ષને) ન પામે તો પણ રૈવેયક અને અનુત્તર આદિમાં લાંબાકાળ સુધી રમીને અહીં (મનુષ્યભવમાં) ઉત્તમકુળમાં ઉત્પત્તિ, ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ સર્વાગ સુંદરપણું, સર્વકલામાં કુશળપણાના કારણે જનના મનને આનંદકારિપણાને પ્રાપ્ત કરીને સુરેન્દ્ર સમાન ઋદ્ધિથી અને એકાંતે દયા અને અનુકંપામાં તત્પર, કામભોગથી નિર્વેદને પામેલો, સદ્ધર્મનું અનુષ્ઠાન કરીને કર્મમળ જેનો દૂર થઈ ગયો છે એવો તે સિદ્ધ થાય છે.) હે ભગવંત! જે પ્રમાણે પંચમંગલ મહાશ્રુત ભણવું જોઈએ તે પ્રમાણે સામાયિક આદિ સંપૂર્ણ શ્રુતજ્ઞાન ભણવું જોઈએ? હે ગૌતમ ! તે જ પ્રમાણે વિનય ઉપધાનથી ભણવું જોઈએ. વિશેષ એ છે કે ભણવાની ઈચ્છાવાળાએ કાલ આદિ આઠ પ્રકારના જ્ઞાનાચારનું સર્વ પ્રયત્નથી રક્ષણ = પાલન કરવું જોઈએ. જો જ્ઞાનાચારનું પાલન કરવામાં ન આવે તો મહાન આશાતના થાય છે. વળી બીજું- બાર અંગરૂપ શ્રુતજ્ઞાનને દરરોજ પહેલા અને છેલ્લા પહોરમાં ભણવું અને ભણાવવું. જ્યારે પંચમંગલને સોળના અર્ધા (= આઠે) પહોર ભણવું-ભણાવવું. ૧. સચિત્ત ફૂલની માળાને ગુરુ ગ્રહણ કરે તે ઘટતું નથી તેથી અહીં કાઉંસમાં તેને ઉમેરેલું છે.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy