________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
- ત્યાર પછી શુભ તિથિ-કરણ-મુહૂર્ત-નક્ષત્ર-યોગ-ચંદ્રબલમાં શક્તિ મુજબ જગગુરુ (= તીર્થકર)ની પૂજાની સામગ્રી જેણે સંપાદિત કરેલી છે, જેણે સાધુ વર્ગને નિર્દોષ આહાર-પાણી વહોરાવ્યા છે, જે ભક્તિના સમૂહથી પરિપૂર્ણ છે, જેનું શરીર રોમાંચકંચુકથી પુલકિત થયેલું છે, જેનું મુખકમળ હર્ષથી વિશિષ્ટ છે અર્થાત્ હર્ષિત છે, જે શ્રદ્ધા, સંવેગ, વિવેક, પરમ વૈરાગ્યવાળો છે, જેણે નિબિડ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વરૂપી મલના કલંકનો નાશ કર્યો છે. જે સુવિશુદ્ધ, સુનિર્મલ, વિમલ, શુભ, શુભતર, પ્રતિસમય અત્યંત ઉલ્લસિત થતા સુપ્રશસ્ત અધ્યવસાયવાળો છે, જેણે ભુવનગુરુ જિનેન્દ્રની પ્રતિમા ઉપર નયન અને મનને સ્થાપિત કરેલા છે, જે અસાધારણ માનસિક એકાગ્રતાવાળા ચિત્તથી “હું ધન્ય છું, હું પુણ્યશાળી છું, મેં મારા જન્મને જિનવંદન આદિ કરવાથી સફળ કર્યો છે એ પ્રમાણે માની રહ્યો છે, જેણે મસ્તક ઉપર કરકમળની અંજલિ કરી છે, જેણે પોતાના બે જાનુને વનસ્પતિ, બીજ અને જંતુથી રહિત ભૂમિ ઉપર સ્થાપન કર્યા છે. જે સુસ્પષ્ટ રીતે જાણીને નિઃશંકિત કરેલા યથાર્થ સૂત્ર, અર્થ અને ઉભયને =સૂત્રાર્થને ડગલે ને પગલે ભાવી રહ્યો છે.) અને સાધુ, સાધ્વી, સાધર્મિક અને સઘળા બંધુવર્ગથી પરિવરેલો જ દઢ ચારિત્ર, શાસ્ત્રજ્ઞ, અપ્રમાદ આદિ અનેક ગુણની સંપદાથી યુક્ત એવા) ગુરુની સાથે પહેલાં તો ચૈત્યવંદન કરે અને ત્યાર પછી ગુણથી સમૃદ્ધ સાધુઓનું તથા સાધર્મિક જનનું શક્તિ પ્રમાણે પ્રણામ આદિ પ્રકારથી અતિશય કિંમતી, મૂદુ, સ્વચ્છ વસ્ત્ર આપવા આદિથી મહાન સન્માન કરવું જોઈએ. આ અવસરે સારી રીતે જામ્યો છેશાસ્ત્રનો સાર જેણે એવા) ગુરુએ (વિસ્તારપૂર્વક આક્ષેપણી, વિક્ષેપણી આદિ કથાઓથી સંસારથી નિર્વેદને ઉત્પન્ન કરનારી, શ્રદ્ધા અને સંવેગને ઉત્પન્ન કરનારી) ધર્મદેશના કરવી જોઈએ.
ત્યાર પછી પરમ શ્રદ્ધા અને સંવેગમાં તત્પર તેને જાણીને યાવજીવનો અભિગ્રહ • આપવો જોઈએ. (જેમકે – સફલ કરેલો છે સારી રીતે પ્રાપ્ત કરેલા મનુષ્ય ભવને જેણે એવા હે દેવાનુપ્રિય !) તારે આજથી માંડીને યાવજીવ સુધી ત્રિકાળ દરરોજ (અધીરાઈ વિના એકાગ્ર ચિત્તથી) ચૈત્યવંદન કરવું જોઈએ. (અપવિત્ર - અશાશ્વત - ક્ષણભંગુર એવા આ મનુષ્યભવનો આ જ સાર છે. પૂર્વાહ્નમાં જ્યાં સુધી ચૈત્યવંદન અને ગુરુવંદન ન કર્યું હોય ત્યાં સુધી જલપાન પણ ન કરવું જોઈએ. તથા મધ્યાહ્ન જ્યાં સુધી ચૈત્યવંદન ન કર્યું હોય ત્યાં સુધી ભોજન પણ ન કરવું જોઈએ તથા અપરાઢે તે પ્રમાણે કરવું જોઈએ કે જેથી ચૈત્યવંદન કર્યા વિના સંધ્યાકાળનું અતિક્રમણ ન થાય.
(આ પ્રમાણે માવજીવ સુધીનો અભિગ્રહનો બંધ કરીને અર્થાત્ યાવજીવ સુધીનો અભિગ્રહ આપીને ત્યાર પછી તે ગૌતમ ! આ જ (વર્ધમાનવિદ્યાથી) અભિમંત્રિત સાત ગંધમુઠી તેના મસ્તર ઉપર “નિત્થારપાર વિનાસિ' “સંસારને અને લીધેલાં અભિગ્રહોને પાર પામનારો થા’ એ પ્રમાણે ઉચ્ચારવાપૂર્વક નાખવી જોઈએ...