SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ ઉપધાન સંબંધી જ્ઞાનાચાર શ્રતના અર્થી જીવે વિધિપૂર્વક ઉપધાન કરવું જોઈએ. ઉપધાન એટલે શ્રુતની આરાધના માટે યથોદિષ્ટ એટલે કે જે પ્રમાણે બતાવવામાં આવેલ હોય તે પ્રમાણે કરાતો વિશિષ્ટ પ્રકારનો તપ, જે તપ વડે સૂત્ર વગેરે ૩૫ = નજીકમાં થી = કરાય છે તે ઉપધાન. આ પ્રમાણે વ્યુત્પત્તિથી થતો અર્થ છે, અને તે ઉપધાન સાધુઓને આવશ્યકાદિ શ્રુતની આરાધના માટે આગાઢ-અનાગાઢયોગ રૂપ સિદ્ધાંતની સાથે વિરોધ ન આવે એ રીતે પોતપોતાની સામાચારી અનુસાર જાણવો. શ્રાવકોને તો શ્રી મહાનિશીથ આદિ આગમમાં પંચપરમેષ્ઠિનમસ્કાર (નવકાર) આદિ સૂત્રોની આરાધના માટે કહેલા છ ઉપધાન પ્રસિદ્ધ જ છે. સાધુઓને જે પ્રમાણે યોગોદ્વહન વિના એટલે કે યોગ કર્યા વિના સિદ્ધાંતનું વાંચવું અને ભણવું વગેરે શુદ્ધ થતું નથી, તે પ્રમાણે શ્રાવકોને પણ ઉપધાનતપ વિના નવકાર આદિ સૂત્રોને ભણવું, ગણવું આદિ શુદ્ધ થતું નથી. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે, અકાલ, અવિનય, અબહુમાન, અનુપધાન આદિ આઠ પ્રકારના જ્ઞાનકુશીલોની મધ્યમાં જે અનુપધાનકુશીલ છે તે મહાદોષવાળો છે. અર્થાત ઉપધાન વિના જે સૂત્રો ભણે છે તે અનુપધાન કુશીલ છે. ઉપધાન વિના સૂત્ર ભણનાર મહાદોષવાળો છે. જેથી કહ્યું છે કે, હે ગૌતમ ! આ આઠ પ્રકારના કુશીલમાંથી જે કોઈ ઉપધાન વિના સૂત્રાર્થ સ્વરૂપ જ્ઞાનને ભણે છે, ભણાવે છે, ભણતા કે ભણાવતાની અનુમોદના કરે છે તે મહાન પાપ કર્મને કરનારો છે, તે સુપ્રશસ્ત જ્ઞાનની મહાન આશાતના કરનારો છે. હે ભગવંત ! જો આ પ્રમાણે છે તો શું પંચમંગલનું ઉપધાન કરવું જોઈએ? (હા, કરવું જોઈએ. કારણ કે -) પઢમં ના તો કયા' પ્રથમ જ્ઞાન અને પછી દયા, દયાથી સર્વ જગતના જીવ (= પંચેન્દ્રિય જીવો), પ્રાણ (= બે ઈન્દ્રિય - તેઈન્દ્રિય – ચઉરિન્દ્રિય જીવો), ભૂત (= વનસ્પતિના જીવો), સત્ત્વ (= પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય અને વાયુકાયના જીવો)ને આત્મ સમાન જોવાનું થાય છે. યાવત્ સર્વ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. આ બધું જ્ઞાનથી જ પ્રવર્તે છે. હે ભગવંત! કઈ વિધિથી પંચમંગલ મહાશ્રુતસ્કંધનું વિનય ઉપધાન કરવું જોઈએ? હે ગૌતમ ! આ વિધિથી પંચમંગલમહાશ્રુતસ્કંધનું વિનયપૂર્વક ઉપધાન કરવું જોઈએ. તે વિધિ આ પ્રમાણે છે– સુપ્રશસ્ત તિથિ-કરણ-મુહૂર્ત-નક્ષત્ર-યોગ-લગ્ન-ચંદ્રબળમાં જાતિ આદિ મંદ સ્થાનની આશંકાનો ત્યાગ કરવા વડે ઉત્પન્ન થયેલી શ્રદ્ધા, સંવેગ, અતિશયતીવ્ર અને મહાન ઉલ્લસિત . થતા શુભ અધ્યવસાયથી યુક્ત ભક્તિ અને બહુમાનપૂર્વક, નિયાણું કર્યા વિના પાંચ ઉપવાસનું
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy