SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર વિવિધ પ્રકારનો વિનય કરવા છતાં પણ મારા પ્રત્યે જેવા પ્રકારનું સમ્યફ બહુમાન આનામાં છે તેવા પ્રકારનું બહુમાન તારામાં નથી. વૈનયિકીબુદ્ધિ પણ સમ્યગુ બહુમાનના સારવાળી છે, અર્થાત્ બહુમાનપૂર્વકના વિનયથી જ સૂરાયમાન થાય છે. તેથી અહીં મારો કોઈ દોષ નથી. આ પ્રમાણે વિનય ઘણો હોવા છતાં બહુમાન અને અબહુમાનનું દષ્ટાંત પૂર્ણ થયું. વિનય અલ્પ હોવા છતાં પણ બહુમાનના કારણે ફળપ્રાપ્તિમાં દાંત આ પ્રમાણે છે શિવપૂજક ભીલનું દષ્ટાંત ક્યાંય પણ ગિરિના ઝરણા પાસે પ્રભાવશાળી શિવની મૂર્તિ હતી. શૌચવાદી બ્રાહ્મણ ચંદન, પુષ્પ વગેરેથી ઘણી ભક્તિથી તે મૂર્તિની પૂજા કરે છે. જેનો એક હાથ ધનુષ્યબાણથી વ્યગ્ર છે અને બીજો હાથે બિલાના પાંદડાથી વ્યગ્ર છે) એવો એક ભીલ પૂર્વે કરેલી પૂજાને પગથી દૂર કરીને કોઈ પણ જાતના ઉપચાર (વિનય) વિના મુખમાં ભરી લાવેલા પાણીથી પક્ષાલ કરીને બિલાના પાંદડાથી પૂજા કરે છે. અને મુગ્ધતા (અજ્ઞાનતા)થી તેવા પ્રકારના વિનયને કરવાનું નહીં જાણતા તેના હાર્દિક બહુમાનના કારણે જ તુષ્ટ થયેલા શિવ તેની સાથે કુશલ પ્રશ્ન પૂછવા આદિ દ્વારા આલાપ કરે છે. એક વખત તે જોઈને ગુસ્સે થયેલા બ્રાહ્મણે તું પણ આવા પ્રકારનો જ નીચ છે એમ શિવને ઠપકો આપ્યો. શિવે કહ્યું: આ મારા ઉપર દઢ અનુરાગવાળો છે. સવારે તું પણ સ્વયં જાણશે. બ્રાહ્મણ તેની અવજ્ઞા કરીને ઘરે ગયો. સવારે શિવ પોતાની એક આંખ ઉખેડીને રહ્યો. બ્રાહ્મણ તેવા પ્રકારના શિવને જોઈને કંઈક ખેદ કરીને રહ્યો. પણ ભીલ તો અત્યંત દુઃખી થયો અને ભાલાથી પોતાની આંખ ઉખેડીને શિવને આપી અને તેથી ખુશ થયેલા શિવે તેને ચહ્યું અને રાજય આપ્યું. કારણ કે ગુરુઓ અને દેવો વગેરે હાર્દિક બહુમાનથી ખુશ થાય છે. જિનસ્તુતિમાં પણ કહ્યું છે કે तुममच्छीहिं न दीससि, नाराहिज्जसि पभूअपूआए । किंतु गुरुभत्तिराएण वयणपरिपालणेणं च ॥१॥ હે ભગવંત! આપ આંખથી દેખાતા નથી, ઘણી પૂજાથી આરાધના કરી શકાતા નથી, પરંતુ ઘણી ભક્તિના રાગથી અને આપની આજ્ઞાના પાલનથી આરાધના કરી શકાઓ છો. તે જોઈને બ્રાહ્મણ પણ ચિત્તમાં ચમત્કાર પામ્યો. આ પ્રમાણે બહુમાન અને અબહુમાનના ફળને વિચારીને વિવેકીએ ગુરુ વગેરેના સમ્યગું બહુમાનમાં પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે ત્રીજા બહુમાન સંબંધી જ્ઞાનાચારનું વ્યાખ્યાન કર્યું.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy