SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. આચારપ્રદીપ તજ્જાતથી તજજાતનો, તત્સદશથી તત્સદશનો, તસ્વરૂપથી તસ્વરૂપનો અને તત્સમાનથી તત્સમાનનો નિર્દેશ કરવો. આ પ્રમાણે નિમિત્તશાસ્ત્રની ઉક્તિ અનુસાર તારો પુત્ર મરી ગયો છે. બીજાએ કહ્યું કે, તું આ પ્રમાણે ન કહે, પુત્ર તો ઘરે આવેલો છે. તે વૃદ્ધ ! તું જલદીથી ઘરે જા, ખોટા સંદેહમાં ન પડ. ખુશ થયેલી તેણી તરત જ ઘરે ગઈ, પુત્રને જોયો અને સ્નેહપૂર્વક મળી. આ બાજુ તે બંને શિષ્યો જેટલામાં ગુરુ પાસે આવ્યા તેટલામાં તે વૃદ્ધસ્ત્રીએ ઘણું ધન અને ધોતિયાની જોડી લઈ આવીને સાચું કહેનાર નિમિત્તવાદીનો સત્કાર કર્યો. બીજો ગુરુ ઉપર ગુસ્સે થયેલો બોલ્યો કે, નિરુપમજ્ઞાનદષ્ટિવાળા, બધું જાણતા હોવા છતાં પણ આપના જેવા પણ જો સુવિનીત એવા પણ પોતાના શિષ્યો ઉપર આવા પ્રકારનું અંતર રાખે છે તો કોની આગળ જઈને કહીએ? અને કોની આગળ જઈને ઠપકો અપાવવાનું પણ પ્રસિદ્ધ કરીએ? જો ચંદ્રમાંથી પણ અગ્નિની વૃષ્ટિ થાય, ' સૂર્યમાંથી પણ અંધકારની સૃષ્ટિ થાય, કલ્પવૃક્ષ પાસેથી પણ દરિદ્રતાની કથા સાંભળવા મળે, ચંદનવૃક્ષથી પણ દુર્ગધની પ્રસિદ્ધિ થાય, અમૃતથી પણ વિષના આવેગનો ઓડકાર આવે, સજ્જન પાસેથી પણ દુર્જનતાનો અતિરેક થાય, સારા વૈદ્યથી પણ માંદગીનો સંભવ થાય, પાણીમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય. તો કોને દોષ દઈએ? ગુરુએ કહ્યું: આમ કેમ બોલે છે? વિદ્યા આપવામાં અને આમ્નાય કહેવા વગેરેમાં મેં ક્યાંય પણ તને ઠગ્યો નથી. તેણે કહ્યું તો પછી આણે માર્ગમાં હાથણી આદિના સ્વરૂપને સારી રીતે કેવી રીતે જાણ્યું? અને મેં કેમ ન જાણું? ગુરુએ કહ્યું હં હો ! સુબુદ્ધ ! તું કહે કે તે સારી રીતે કેવી રીતે જાણું? તેણે પણ કહ્યું કે, આપની કૃપાથી જ, તથા તેવા પ્રકારના અભિજ્ઞાનની (= નિશાનીની) વિચારણા કરવાથી મેં જાણ્યું. તેમાં કાયિકી (= માતરું)ના અભિજ્ઞાનથી હાથણીને જાણી, જમણી બાજુ જ વચ્ચે વચ્ચે મુખ નાખીને તૃણનું ભક્ષણ કરેલું હોવાથી તે ડાબી આંખે કાણી છે એ જાણું, કાયિકી (= માતરું)ના અભિજ્ઞાનથી અર્થાત્ પુરુષનું મારું એક ધારાએ નીકળવાથી ભૂમિમાં તે પ્રમાણેનું નિશાન ઈત્યાદિથી સ્ત્રી-પુરુષને જાણ્યા. સ્ત્રી બે હાથનો ટેકો લઈને ઊભી થવાથી નજીકમાં જ પ્રસવ થવાનો છે તે જાણ્યું, વૃક્ષમાં લાગેલા તાંતણાઓથી પહેરેલું વસ્ત્ર લાલ છે એમ જાણ્યું. માર્ગમાં સ્ત્રીનો જમણો પગ ભારે પડેલો = દબાણપૂર્વકનો પડેલો જણાતો હોવાથી પુત્ર ઉત્પત્તિનો સંભવ જાણ્યો. વૃદ્ધસ્ત્રીના પુત્રનું ઘરે આવવાનું તો ઘડો ભૂમિમાંથી ઉત્પન્ન થયો અને ભૂમિમાં મળી ગયો તેના કારણે જાણ્યું. તેની અતુલ પ્રતિભાથી ખુશ થયેલા ગુરુએ બીજાને કહ્યું કે, હે વત્સ ! ૧. સિ. હે. ૪-૩-૧૦૩ આ સૂત્રથી પત્ નો અઘતની કર્તરિમાં પત આદેશ થયો છે. અદ્યતની બીજો પુરુષ એક વચન આપતઃ રૂપ થયેલ છે.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy