________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
વિદ્યા અથવા વિજ્ઞાનને ખોટા વિનયથી ગ્રહણ કરીને જે આચાર્યની અવજ્ઞા કરે છે તેની વિદ્યા નિષ્ફળ છે.
૫૩
बहु मन्नइ आयरियं, विणयसमग्गो गुणेहिं संजुत्तो ।
રૂમ ના મહિમા વિષ્ના, સા સતા હોર્ તોનૅમિ ॥ ૨ ॥ [૩૭ ]
વિનયથી પૂર્ણ અને ગુણોથી યુક્ત એવો જે આચાર્યનું બહુમાન કરે છે અને એ રીતે બહુમાન કરવાપૂર્વક જે વિદ્યાને ગ્રહણ કરે છે તેની વિદ્યા લોકમાં સફળ થાય છે.
અહીં બે નૈમિત્તિકનું દૃષ્ટાંત છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે—
બે નૈમિત્તિકનું દૃષ્ટાંત
એક સિદ્ધપુત્રને બે શિષ્યો હતા. બંને પણ વિનયપૂર્વક સેવા વગેરે કરે છે. પરંતુ એકને ગુરુ વગેરે ઉ૫૨ સમ્યગ્દ્બહુમાન છે, જ્યારે બીજાને તેવું બહુમાન નથી. બંને પણ અષ્ટાંગ નિમિત્તને ભણ્યા અને તેમાં કુશળ થયા. કોઈક વખત તે બંને તૃણ-કાષ્ઠ લેવા માટે ગયા. માર્ગમાં પગના નિશાન જોઈને એકે કહ્યું કે, આગળ હાથી જાય છે. બીજાએ કહ્યું કે, આ હાથી નથી પણ હાથણી છે અને તે પણ ડાબી આંખે કાણી છે. તેના ઉપર એક સ્ત્રી અને એક પુરુષ બેઠેલા છે. અને તે સ્ત્રી ગર્ભવતી છે. નજીકના સમયમાં જ તેનો પ્રસવ થવાનો છે અને લાલ વસ્ત્ર પહેરેલા છે. વળી તરત જ તે પુત્રને જન્મ આપશે. બીજાએ કહ્યું કે નહીં જોયેલું આવું અસંબદ્ધ કેમ બોલે છે ? તેણે કહ્યુંઃ જ્ઞાન ખાતીના સારવાળું છે. આગળ બધું જણાશે. ત્યાર પછી તે બંને જેટલામાં કેટલીક ભૂમિ આગળ ગયા તેટલામાં સ્ત્રીનો પ્રસવ થવાની તૈયારી હોવાના કા૨ણે ઝાડીની અંદર રહેલા હોવાથી તરત ભેગા થવાથી બધું તે જ પ્રમાણે જોયું. જેટલામાં ત્યાં ક્ષણવાર રહ્યા તેટલામાં તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો. ત્યાર પછી આણે આ કેવી રીતે જાણ્યું એમ બીજો વિસ્મય પામ્યો અને મેં કઈ પણ ન જાણ્યું એમ ખેદ પામ્યો. ત્યાર પછી તે બંને નદીના કિનારે ગયા. ત્યારે એક વૃદ્ધ સ્ત્રી પાણી લેવા ભરવા માટે ત્યાં આવેલી હતી. અને તેનો પુત્ર વિદેશ ગયો હતો. ઘણા દિવસો થઈ જવા છતાં હજી પણ પાછો નથી આવ્યો. એથી તેણીએ તે બંનેને પૂછ્યું કે, મારો પુત્ર ક્યારે આવશે ? આ રીતે પૂછી રહી છે ત્યાં જ તેના માથા ઉપરથી ઘડો નીચે પડ્યો અને ભાંગી ગયો. ત્યારે મંદબુદ્ધિવાળા એકે કહ્યું કે—
=
तज्जाएण य तज्जायं, तण्णिभेण य तण्णिभं । तारूवेण य तारूवं, सरिसं सरिसेण निद्दिसे ॥ १ ॥