________________
પર
આચારપ્રદીપ
કરતા પણ બહુમાનની પ્રધાનતા છે. તેથી જ વિનયાચારથી બહુમાન આચારને જુદો કહેલો છે. શ્રુતના અર્થીએ વિનય અને બહુમાન એમ બંનેનો આશ્રય કરવો જોઈએ. જેથી પરમ ઋષિઓનું વચન છે કે
निद्दाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहि । भत्तिबहुमाणपुव्वं, उवउत्तेहिं सुणेअव्वं ॥१॥[बृहत्कल्प सू.गा०८०३]
નિદ્રા અને વિકથાનો ત્યાગ કરીને, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને અંજલિ જોડીને, ભક્તિ અને બહુમાનપૂર્વક ઉપયોગવાળા થઈને સાંભળવું જોઈએ.
विणओणएहिं कयपंजलीहिं छंदमणुअत्तमाणेहिं ।
મારાદિ ગુગળો, સુર્ગ વહુવિહં તદું રૂ . ૨ r[ગાવવા નિશ૩૮]: ' વિનયથી નમ્ર બનેલા, અંજલિ જોડેલા અને ગુરુની ઈચ્છાને અનુસરનારા શિષ્યવડે આરાધના કરાયેલા ગુરુ ઘણાં પ્રકારના શ્રતને જલદીથી આપે છે.
વિનય અને બહુમાનની ચતુર્ભગી આ પ્રમાણે છે(૧) કોઈકને વિનય હોય પણ બહુમાન ન હોય.
કૃષ્ણવાસુદેવના પુત્ર પાલકને શ્રી નેમિજિનેશ્વર પ્રત્યે વિનય હતો પણ બહુમાન ન હતું. (૨) કોઈકને બહુમાન હોય પણ વિનય ન હોય.
કૃષ્ણવાસુદેવના પુત્ર શાંબને શ્રી નેમિજિનેશ્વર પ્રત્યે બહુમાન હતું પણ વિનય ન હતો. (૩) કોઈકને વિનય અને બહુમાન બંને હોય.
શ્રી ગૌતમસ્વામીને શ્રી વીરજિનેશ્વર પ્રત્યે વિનય અને બહુમાન બંને હતાં. (૪) કોઈકને વિનય અને બહુમાન બંને ન હોય.
કપિલાદાસી અને કાલસૌકરિક વગેરેને વિનય અને બહુમાન બંને ન હતાં.
બહુમાન વિના ઘણા પણ વિનયથી ગ્રહણ કરેલી વિદ્યા ફળ આપનારી થતી નથી. અને બહુમાન હોતે છતે અલ્પ પણ વિનયથી ગ્રહણ કરાયેલી વિદ્યા ફળ આપનારી થાય છે.
શ્રી ગૌતમપૃચ્છામાં પણ કહ્યું છે કેविज्जा विनाणं वा, मिच्छाविणएण गिण्हिडं जो उ। અવન્નિર મારિયે, સા વિજ્ઞા નિખના તપ્ત ૨ [૩૬] .