________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
૪૫
तह देसकालजाणण सव्वत्थेसु तह अणुमती भणिआ ।
उवयारिओ उ विणओ एसो भणिओ समासेणं ॥ २ ॥ શ્રી દશવૈકાલિકની વૃત્તિમાં પૂર્વે જણાવેલી ગાથાઓથી આ ઉપચાર વિનય સાત પ્રકારનો બતાવવામાં આવ્યો છે. (૧) નજીકમાં રહેવું, (૨) ઈચ્છાને અનુસરવું, (૩) કૃતપ્રતિકૃતિ, (૪) કાર્યનિમિત્તે કરવું, (૫) દુઃખીની ગવેષણા કરવી, (૬) દેશ-કાળને જાણવું, (૭) સર્વકાર્યમાં અનુસરવું. આ ઔપચારિક વિનય સંક્ષેપથી જણાવ્યો. (૧) નજીકમાં રહેવું– ગુરુના આદેશની ઇચ્છાવાળા એટલે કે ગુરુ મને ક્યારે આદેશ કરે
એવી ઈચ્છાવાળા શિષ્ય હંમેશા ગુરુની નજીકમાં રહેવું. (ર) ઈચ્છાને અનુસરવું– ગુરુની પાણી પીવાની ઈચ્છા હોય તો પાણી આપવું ઈત્યાદિ
સમજવું. ' (૩) કૃતપ્રતિકૃતિ– ભોજન આદિથી ઉપચાર કરાયેલા ગુરુ પ્રસન્ન થયે છતે સૂત્ર આદિ
આપવા દ્વારા પ્રતિ ઉપકાર કરશે. ગુરુને ભોજન આદિ લાવી આપવા દ્વારા ફક્ત નિર્જરા જ થશે એમ નહીં પણ ગુરુ સૂત્રદાન આદિ પણ કરશે માટે ભોજન આદિ
લાવવામાં પ્રયત્ન કરવો જોઈએ. (૪) કાર્યનિમિત્તે કરવું–આ ગુરુભગવંત પાસેથી મને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થયું છે, આ ગુરુભગવંત
પાસેથી મને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થશે માટે મારે વિશેષ કરીને તેમના વિનયમાં પ્રવર્તવું
જોઈએ અને તે માટે અનુષ્ઠાન (= પ્રયત્ન) કરવું જોઈએ. (૫) દુઃખીની ગવેષણા– દુઃખથી દુઃખી થયેલા ગુરુનો ઔષધ આદિ આપવા દ્વારા ઉપકાર
કરવો જોઈએ. (૯) દેશ-કાળને જાણવું– કયો દેશ છે, ક્યો કાળ છે, અત્યારે મારે શું કરવા યોગ્ય છે.
ઈત્યાદિ અવસરને જાણવું. (૭) સર્વકાર્યમાં અનુસરવું સર્વકાર્યમાં ગુરુને અનુકૂળ થઈને રહેવું.
જ્ઞાનનો અભ્યાસ કરનારાઓનો વિનય–અભ્યાસમાં ઉપયોગી એવું પુસ્તક આદિ સારી રીતે શોધીને તેમને આપવું, ક્રમ પ્રમાણે સૂત્ર અને અર્થનું પ્રદાન કરવું, આહાર લાવી આપવો, ઉપાશ્રય આદિ દ્વારા તેમને અનુકૂળતા કરી આપવા આદિ દ્વારા તેમનો વિનય કરવો.
જ્ઞાનનો વિનય-શ્રદ્ધાપૂર્વક ઉપધાન આદિ વિધિથી સૂત્રાર્થને ગ્રહણ કરવું, તેનો અભ્યાસ કરવો, વિધિપૂર્વક બીજાને સૂત્રાર્થનું પ્રદાન કરવું, સૂત્રમાં કહેલી અર્થની સારી રીતે ભાવના