________________
આચારપ્રદીપ
આચાર્યની શય્યાથી પોતાની શય્યા નીચી કરવી. આચાર્યની ગતિથી પોતાની ગતિ નીચી (ધીમી) કરવી, તેમની પાછળ અતિદૂર નહીં તેમ અતિ નજીક ન ચાલવું, આચાર્યના સ્થાનથી પોતાનું સ્થાન નીચે રાખવું. કોઈ કારણે પીઠનો ઉપયોગ કરવો પડે તો પણ આચાર્ય બેઠા પછી તેમની રજા લઈ નીચી પીઠ ઉપર બેસવું, તથા નમ્ર બનીને પગે લાગવું, વંદન કરવું, કોઈ પણ પ્રશ્ન વગેરે પૂછવું હોય ત્યારે નમ્રકાયા કરી અંજલિ કરી પૂછવું.
૪૪
ભાવથી શુશ્રુષા કરવી એટલે તેમના આદેશને સાંભળવાની ઈચ્છા કરવી = મને ક્યારે આદેશ કરે એમ ઈચ્છા કરવી અથવા તેમના આદેશ અનુસાર પર્યુપાસના કરવી. આ પ્રમાણે શ્રી ઉત્તરાધ્યયનની ટીકામાં વ્યાખ્યા કરેલી છે. શ્રી દશવૈકાલિકની ટીકામાં તો શુશ્રુષા વિનય જ દશ પ્રકારનો પૂર્વે બતાવેલી ગાથાઓથી બતાવેલો છે.
सुस्सूसणा अणासायणा य विणओ अ दंसणे दुविहो । दंसणगुणाहिएसुं, कज्जइ सुस्सूसणाविणओ ॥ १ ॥
દર્શન વિનય બે પ્રકારનો બતાવ્યો છે. (૧) શુશ્રુષા (૨) અનાશાતના. દર્શનગુણથી અધિક હોય તેમનો શુશ્રુષા વિનય કરવામાં આવે છે. શુશ્રુષા વિનય નીચે પ્રમાણે દશ પ્રકારનો છે.
सक्कारब्भुट्ठाणे, सम्माणाऽऽसणअभिग्गहो तह य । आसणअणुप्पयाणं, किइकम्मं अंजलिगहो अ ॥ १ ॥ इंतस्सऽणुगच्छणया, ठिअस्स तह पज्जुवासणा भणिया । गच्छंताणुव्वयणं, एसो सुस्सूसणाविणओ ॥२॥ [ दशकै ०गा० ४८ वृत्तौ ]
(૧) સત્કાર, (૨) અભ્યુત્થાન, (૩) સન્માન, (૪) આસન અભિગ્રહ, (૫) આસન અનુપ્રદાન, (૬) કૃતિકર્મ, (૭) અંજલિગ્રહ, (૮) આવતા હોય તો સામે લેવા જવું, (૯) બેઠા હોય તો પર્યુપાસના કરવી, (૧૦) જતા હોય તો વળાવવા જવું. તથા—
અહીં સત્કાર એટલે તેમની સ્તુતિ કરવી, તેમને વંદન કરવું વગેરે. સન્માન એટલે વસ્ત્ર-પાત્ર આદિ દ્વારા પૂજા કરવી. આસન અભિગ્રહ એટલે બેસવાની ઈચ્છાવાળા હોય તો આદરથી આસન આપવાપૂર્વક આપ અહીં બેસો એમ કહેવું. આસન અનુપ્રદાન એટલે ગુરુ એક સ્થાનેથી બીજા સ્થાને બેસવાની ઈચ્છાવાળા હોય ત્યારે તેમનું આસન એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું. ઉપચાર વિનય પણ આ શુશ્રુષા વિનયની અંતર્ગત આવી જાય છે.
अब्भासऽच्छण, छंदाणुवत्तणं, कयपडिक्किई तह य । कारिअनिमित्तकरणं दुक्खत्तगवेसणा तह य ॥ १ ॥