________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
ભરવાડણનું રૂપ કરીને તેની આગળ ‘છાસ વેંચાય છે, છાસ વેંચાય છે = છાસ લ્યો, છાસ લ્યો’ એ પ્રમાણે ઘોષણા કરતી આવ-જા કરે છે, ત્યારે આ સ્વાધ્યાયનો વ્યાઘાત કરનારી છે એમ વિચારીને તે સાધુએ તેણીને કહ્યું કે, શું આ છાસ વેંચવાનો કાળ છે ? તેણીએ કહ્યું કે, તારો પણ શું આ કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરવાનો કાળ છે ? ત્યાર પછી સાધુએ ઉપયોગ મૂક્યો અને જાણ્યું કે આ સ્વાધ્યાયનો કાળ નથી તેથી મિથ્યા દુષ્કૃત આપ્યું.
આ પ્રમાણે પ્રથમ કાલસંબંધી જ્ઞાનાચારનું વ્યાખ્યાન કર્યું. વિનય સંબંધી જ્ઞાનાચાર
૪૩
ગુરુનો, જ્ઞાનીઓનો, જ્ઞાનનો અભ્યાસ કરનારાઓનો, જ્ઞાનનો અને જ્ઞાનના ઉપકરણો જેવા કે, પુસ્તક, પાટી, તાડપત્ર વગેરે પત્ર, કાષ્ઠની પટ્ટીકા, ઠવળી, સ્થાપનિકા (= સાપડો), ઓળિયું, ટિપ્પણું, દસ્તરિકા (= દાબડો) આદિ (આદિ શબ્દથી કંબિકા, દોરો, ગ્રંથિ, છંદણા, સાંકળ, નવકારવાળી, અકીકનો પથ્થર, ટેબલ, તામ્રપત્ર, શાહીનો ખડીયો, પોથી, કલમ, પેટી વગેરે જ્ઞાનના ઉપકરણો)નો સર્વપ્રકારે આશાતનાનો ત્યાગ કરવો, ભક્તિ કરવી આદિ યથાયોગ્ય વિનય કરવો, આશાતનાના ભેદો અમારી રચેલી શ્રાદ્ધવિધિ પ્રકરણની વૃત્તિમાંથી જાણી લેવા.
ઉપર જણાવેલ ગુરુ આદિના વિનયમાં ગુરુનો અને જ્ઞાનીઓનો વિનય કેવી રીતે કરવો તે જણાવે છે— તેઓ પધારે ત્યારે ઊભા થવું, બેસવા માટે આસન આપવું, આરામ કરવા સંથારો આપવો, તેમના દાંડાને ગ્રહણ કરવું, પગ ધોવા, વિશ્રામણા કરવી, વંદન કરવું, તેઓ જે આદેશ કરે તે આદેશ પ્રમાણે કાર્ય કરવું, તેમની પગ દબાવવા આદિ દ્વારા શુશ્રુષા કરવી વગેરે રૂપે તેમનો વિનય ક૨વો. જેથી ઋષિઓનું વચન છે કે–
अब्भुट्ठाणंजलिकरणं, तहेवासणदायणं ।
गुरुभत्ति भावसुस्सा, विणओ एस विआहिओ ॥ १ ॥ [ ऊ०सू० अ० ३०गा० ३२]
ઊભા થવું, અંજલિ કરવી, આસન આપવું, અતિશય ભક્તિ રાખવી, ભાવથી શુશ્રુષા કરવી તથા આ વિનય કહેલો છે. તથા—
नअं सिज्जं गईं ठाणं, नीअं च आसणाणि अ ।
નીત્રં ચ પાત્ વવિજ્ઞા, નીએ ુખ્ખા ય અનનિ ॥ ૨ ॥ [૪૬ ૩૬૨ ૦૨૭]
૧. પુસ્તકોના અનેક પ્રકારો છે. જેમ કે— ગંડી પુસ્તક, કચ્છપી પુસ્તક, મુષ્ટિ પુસ્તક, સંપુટ પુસ્તક, છેદપાટી, ટિપ્પણાં, કાગળના ત્રિપાટી, પંચપાટી, શુડ અથવા શુઢ, ચિત્ર પુસ્તક, સુવર્ણાક્ષરી, રૌપ્યાક્ષરી, સૂક્ષ્માક્ષરી, થૂલાક્ષરી, કાતરથી કાપીને કે કોતરીને લખેલા પુસ્તકો વગેરે. (કલ્યાણશ્રુતજ્ઞાન વિશેષાંક)