________________
૪૨
पहसंतगिलाणेसुं आगमगाहीसु तह य कयलोए । उत्तरपारणगंमि अ, दिण्णं सुबहुप्फलं होइ ॥ १ ॥
આચારપ્રદીપ
સાધુ ભગવંતો વિહાર કરી માર્ગમાં ચાલવાથી થાકી ગયા હોય, બિમાર હોય, આગમને ગ્રહણ કરતા હોય, લોચ કરાવ્યો હોય અને ઉત્તરપારણું હોય આવા સમયે સાધુ ભગવંતોને જે દાન આપવામાં આવ્યું હોય તે અતિઘણા ફળને આપનારું થાય છે.
काले दिण्णस्स पहेणयस्स अग्घो न तीरए काउं ।
तस्सेव अथक्कपणामिअस्स गिण्हंतया नत्थि ॥ २ ॥
યોગ્ય કાળે આપેલા ભોજનની કિંમત કરી શકાતી નથી અને એ જ ભોજનને અનવસરે કોઈ લેનાર નથી.
करचुलुअपाणिण वि अवसरदिण्णेण मुच्छिअं जिअ । પચ્છા મુઞાળ કુંત્તિ ! ષડસવરિોળ જિ તેળ ? | રૂ ૫
અવસરે આપેલા હાથના ચુલુક જેટલા પાણીથી પણ મૂર્છિત થયેલો માણસ જીવી જાય છે અને હે સુંદર ! મરી ગયા પછી સેંકડો ઘડાઓ આપવાથી પણ શું ?
ખેતી, વેપાર, સેવા વગેરે ઉચિત કાળે કરવામાં આવે તો જ ઘણા ફળવાળું થાય છે. અન્યથા એટલે ઉચિત કાળે ન કરવામાં આવે અને આગળ-પાછળ કરવામાં આવે તો ઘણા ફળવાળું થતું નથી. કહ્યું પણ છે કે—
कालंमि कीरमाणं, किसिकम्मं बहुफलं जहा भणिअं । इअ सव्व च्चि किरिआ निअनिअकालंमि कायव्वा ॥ १ ॥
જેમ ઉચિત કાળે કરાતું ખેતી વગેરે કાર્ય ઘણા ફળવાળું થાય છે, તેમ અહીં પણ સઘળીય ક્રિયા પોતપોતાના ઉચિત કાલે જ કરવી જોઈએ.
મંત્ર, વિદ્યા વગેરેની સાધના પણ યથોક્ત કાળે કરવામાં આવે તો જ સફળ થાય છે. અન્યથા એટલે કે યથોક્ત કાળે ન કરવામાં આવે અને આગળ-પાછળ ક૨વામાં આવે તો ક્યારેક અનર્થનું કારણ પણ બને છે. અર્થાત્ અનર્થ કરનારી પણ થાય છે. તેથી આ રીતે કાળે સ્વાધ્યાય કરવો જોઈએ પણ અકાળે સ્વાધ્યાય ન કરવો જોઈએ. અહીં છાસના ઘડાનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે—
છાસના ઘડાનું દૃષ્ટાંત
મથુરા નગરીમાં એક સાધુ પ્રાદોષિક (પાભાઈ) કાલગ્રહણ લઈને પોરિસી પસાર થઈ. ગઈ હોવા છતાં પણ અનુપયોગથી કાલિકશ્રુતને ભણે છે. આ સાધુ ભગવંતને હલકા દેવો છલી ન જાય એવી બુદ્ધિથી તેમને બોધ કરવા માટે શાસન દેવતા છાસનો ઘડો લઈને