________________
પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર
૪૧
શ્રુતજ્ઞાન મોક્ષનું કારણ છે માટે શ્રુતજ્ઞાન ભણવામાં કાળ-અકાળરૂપ કાળનો વિભાગ કરવો યોગ્ય નથી એમ ન કહેવું. કારણ કે સાધુને આહાર-વિહાર આદિ મોક્ષનું કારણ છે છતાં પણ તેમાં કાળનો વિભાગ બતાવેલો છે. જેથી આગમમાં કહ્યું છે કે, ત્રીજી પોરિસીમાં ભક્તપાનની ગવેષણા કરે. તથા દશવૈકાલિકમાં કહ્યું છે કે
अकाले चरसि भिक्खू, कालं न पडिलेहसि ।
અપાઈ રવિનાશિ, સંનિવેસંગરિસિ { [. .૩ ૨.. ૧] હે ભિક્ષો ! તું પ્રમાદ આદિના કારણે અકાળે ભિક્ષાચર્યા કરે છે. આ ભિક્ષાકાળ છે કે નહીં? એમ જોતો નથી. અકાલચર્યાથી ઘણું અટન કરવું પડે તેથી પોતાને ક્લેશ પમાડે છે. અને ભિક્ષાની પૂરતી પ્રાપ્તિ ન થવાથી આ સંનિવેસ = ગામ બરાબર નથી એમ તેની ગર્તા કરે છે. તથા નિશીથ ચૂર્ણિમાં કહ્યું છે કે
विहारों उडुबद्धे न वासासु, अहवा दिवा न राओ।
મહવા દિવસો વિ તમારૂ જ સાસુ ૨ [૧૦ ૨૨] ઋતુબદ્ધ કાળમાં = ચોમાસા સિવાયના કાળમાં વિહાર કરવાનો છે પણ ચોમાસામાં વિહાર કરવાનો નથી. અથવા દિવસે વિહાર કરવાનો છે પણ રાત્રે વિહાર કરવાનો નથી. અથવા દિવસે વિહાર કરવાનો છે તેમાં પણ ત્રીજા પહોરમાં વિહાર કરવાનો છે પણ બાકીના પહોરમાં વિહાર કરવાનો નથી. લોકમાં પણ કહ્યું છે કે
याममध्ये न भोक्तव्यं, यामयुग्मं न लङ्घयेत् । ' યાનમથ્ય રસોત્પત્તિ-માતૂર્વ વનક્ષ: ૨
એક પહોરની અંદર (બીજી વખત) ભોજન ન કરવું જોઈએ. અને બે પહોરનું ઉલ્લંઘન ન કરવું જોઈએ, અર્થાત્ બે પહોર થાય એટલે ભોજન કરવું જોઈએ. એક પહોરની અંદર (ફરી) ભોજન કરવાથી રસની ઉત્પત્તિ થાય છે અને બે પહોરનું ઉલ્લંઘન કરવામાં બળનો ક્ષય થાય છે.
ग्रीष्महैमन्तिकान् मासा-नष्टौ भिक्षुर्विचङ्क्रमेत् ।
दयार्थं सर्वजीवानां, वर्षास्वेकत्र संवसेत् ॥ २ ॥ સાધુ ગ્રીષ્મઋતુના ચાર મહિના અને હેમંતઋતુના ચાર મહિના એમ આઠ મહિના પ્રામાનુગ્રામ વિહાર કરે પણ એક સ્થાને ન રહે અને સર્વ જીવોની દયા માટે વર્ષાકાળમાં એટલે કે ચોમાસામાં એક સ્થાનમાં રહે.
દાન વગેરે પણ ઉચિત કાળે આપવામાં આવે તો વિશેષ ફળને આપનારું થાય છે. જેથી કહ્યું છે કે