________________
૪૦
આચારપ્રદીપ
સંધ્યાકાળે ચાર કાર્યોનો ત્યાગ કરે. કયા ચાર કાર્યોનો ત્યાગ કરે? આહાર, મૈથુન, નિદ્રા અને વિશેષ કરીને સ્વાધ્યાયનો ત્યાગ કરે.
आहारात् जायते व्याधिः, क्रूरगर्भश्च मैथुनात् ।
निद्रातो धननाशश्च, स्वाध्याये मरणं भवेत् ॥ २ ॥ કારણ કે– સંધ્યા સમયે આહાર કરવાથી વ્યાધિ ઉત્પન્ન થાય છે. સંધ્યા સમયે મૈથુન સેવવાથી ક્રૂર ગર્ભ રહે છે. સંધ્યા સમયે નિદ્રા કરવાથી ધનનો નાશ થાય છે અને સંધ્યા સમયે સ્વાધ્યાય કરવાથી મરણ થાય છે.
તેથી સંધ્યા સમયે સ્વાધ્યાય કરતા આ (જૈન) લોકો પોતાને સર્વજ્ઞના પુત્રો રૂપે પ્રસિદ્ધ કરતા હોવા છતાં પણ આટલું પણ નથી જાણતા? એમ લોકમાં પણ નિંદા થાય છે. તથા સંધ્યા સમયે સ્વાધ્યાયમાં વ્યગ્ર હોવાના કારણે પ્રતિક્રમણ વગેરે આવશ્યક કાર્યમાં સાધુને અને મે દેવપૂજા-પ્રતિક્રમણ આદિ આવશ્યક કાર્યમાં શ્રાવકને ઉપયોગનો અભાવ થાય. અર્થાત્ પ્રતિક્રમણ આદિ આવશ્યક કાર્યમાં ઉપયોગ ન રહે. કાળવેળાએ સ્વાધ્યાય ન કરે તો પ્રતિક્રમણ વગેરે આવશ્યકમાં ઉપયોગ રહે અને નિરંતર સ્વાધ્યાયથી ખિન્ન થયેલા = થાકી ગયેલા સાધુને વિશ્રામ મળી રહે. તેથી શ્રુતપાઠ આદિ કહેલા કાળે જ કરવો જોઈએ. વિશેષ કારણ હોય તો કાળનો ફેરફાર કરવામાં પણ દોષ નથી. અર્થાત્ વિશેષ કારણે કાળવેળાએ પણ સ્વાધ્યાય કરે. નિશીથ વગેરેમાં તે પ્રમાણે પણ કરવાની અનુજ્ઞા આપી છે.
પ્રશ્ન- શુભધ્યાન સર્વકાળે પણ મોક્ષનું કારણ છે એમ કહ્યું છે તે પ્રમાણે શ્રુતજ્ઞાનને પણ સર્વ કાળે મોક્ષનું કારણ કેમ નથી કહ્યું? તે પણ મોક્ષનું કારણ તો છે જ. મોક્ષના કારણને વળી કાળ શું? અને અકાળ શું? * ઉત્તર- તારી વાત સાચી છે. પરંતુ શુભધ્યાન સર્વધર્મક્રિયાને અનુસરનારું છે અને માનસિક છે. તે શુભ ધ્યાનથી કોઈપણ ધર્મક્રિયા બાધા પામતી નથી, ઉલટું બધી ક્રિયા તેનાથી પોષાય છે. તેથી શુભધ્યાનનું સર્વકાળે કારણપણું ઘટે છે. જ્યારે શ્રુતજ્ઞાન તો પઠન-ગુણન આદિથી સાધ્ય છે તેથી બે સંધ્યાએ આવશ્યક આદિની જેમ નિયત કાળે જ ઉચિત છે. જો સર્વકાળે શ્રુતજ્ઞાનનો પાઠાદિ અભ્યાસ કરવામાં આવે તો બીજી બીજી પુણ્યક્રિયાને બાધા જ થાય, અને એ તો યોગ્ય નથી. અન્યોન્ય ક્રિયાને બાધા ન પહોંચે એ રીતે જ ધર્મક્રિયાઓ કરવાનું કહ્યું છે. શ્રી ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે
जोगो जोगो जिणसासणंमि दुक्खक्खया पउंजंतो ।
મનુનમાહી ગણવત્તો રોફ વાયવ્યો ? I [ Hથા ર૭૬] જિનશાસનમાં યોજાતો એકે એક યોગ દુઃખના ક્ષય માટે થાય છે. (પણ તે યોગ કેવી રીતે યોજવો તે બતાવે છે.) એક ક્રિયાથી બીજી ક્રિયા બાધાન પહોંચે એવો અવિરુદ્ધ કરવો જોઈએ.