________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
ઓગણીસ વર્ષના પર્યાયવાળાને બારમું દૃષ્ટિવાદ અંગ વંચાવાય છે. આની પછી જ બાકીનું શ્રુત વંચાવી શકાય એમ જાણવું. સંપૂર્ણ વીસ વર્ષનો પર્યાય થતાં બિંદુસાર વગેરે સર્વશ્રુતને યોગ્ય બને છે. (પંચવસ્તુક - ગાથા - ૫૮૧ થી ૫૮૮)
આ સઘળોય અર્થ વ્યવહાર સૂત્રમાં આ પ્રમાણે છે— ત્રણ વર્ષના પર્યાયવાળા નિગ્રંથને આચાર પ્રકલ્પ નામના અધ્યયનનો ઉદ્દેશો કરવો કલ્પે છે... ઇત્યાદિ.
૩૯
આ પ્રમાણે આગમમાં કહેલા કાળને છોડીને અકાળે દર્પ આદિથી પઠન-ગુણન આદિ કરવામાં આજ્ઞાભંગ થાય છે. જ્ઞાનાચારની વિરાધના આદિ દોષોથી પ્રાયશ્ચિત આવે છે. અકાળે સ્વાધ્યાય કરતો હોવાથી પ્રમાદી છે અને એથી દુષ્ટદેવતા છલી જાય વગેરે દોષો રહેલા છે. નિશીથ ભાષ્યમાં આ પ્રમાણે કહેલું છે—
पुंव्वावरसंझाए, मज्झ तहय अड्डत्तंमि ।
चउसंझा सज्झायं, जो कुणई आणमाईणि ॥ १ ॥ [ गा० ६०६४ ] પૂર્વસંધ્યાએ, અપરસંધ્યાએ, મધ્યાહ્ને તથા અર્ધરાત્રીએ એ ચાર સંધ્યાએ જે સ્વાધ્યાય કરે છે તે આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાને પામે છે.
sas रिहा, संझासु उ गुज्झगा य विचरंति ।
આવાસા વોશો, આસામો ચેવ વિનાનું ॥ ૨ ॥ [T૦ ૬૦ ]
લોકમાં પણ નિંદા થાય છે. સંધ્યા સમયે વ્યંતર દેવો વિચરતા હોય છે. તે દેવો પ્રમાદીને છલી જાય છે. સ્વાધ્યાયથી નિવૃત્તચિત્તવાળો થયેલો સાધુ આવશ્યકમાં ઉપયોગવાળો થાય છે. સ્વાધ્યાયથી ખિન્ન થયેલા સાધુને કાળવેળાએ આશ્વાસન = આરામ મળે છે.
कामं सुअवओगो, तवोवहाणं अणुत्तरं भणिअं ।
पडिसेहिअंमि काले, तहावि खलु कम्मबंधाय ॥ ३ ॥ [ गा० ६०६७ ] પ્રશ્ન— સ્વાધ્યાય સમાન તપ નથી તો શા માટે નિષેધ કરવામાં આવે છે ?
ઉત્તર— વાત સાચી છે, સ્વાધ્યાય કરવાથી શ્રુતનો ઉપયોગ અને અનુત્તર એવો તપોપધાન થાય છે, છતાં પણ નિષેધ કરેલા કાળમાં સ્વાધ્યાય કરવાથી કર્મબંધ થાય છે.
લોકમાં પણ કાળવેળાએ સંધ્યાવંદન, વૈશ્વદેવને બિલ આપવો, હોમ કરવો ઈત્યાદિ શાંતિકર્મ જ કરવાનું પ્રાયઃ કહ્યું છે પણ સ્વાધ્યાય કરવાનું કહ્યું નથી. સ્વાધ્યાય પરમતત્ત્વ સ્વરૂપ છે અને એથી દુષ્ટ વેળામાં = અકાળવેળામાં તેનો નિષેધ કર્યો છે. જેથી કહ્યું છે કે—
चत्वारि खलु कर्माणि, सन्ध्याकाले विवर्जयेत् । આહાર મૈથુન નિદ્રાં, સ્વાધ્યાયં ચ વિશેષતઃ ॥ ? ॥