SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ અહીં બૃહત્કલ્પની વૃત્તિમાં વ્યાખ્યા આ પ્રમાણે છે– આ (ઉ૫૨ જણાવેલા) કાળમાં જે વસતિમાં લીંપણ કરાય તે વસતિ સૂત્રાર્થના વ્યાઘાત વિનાની હોવાથી અનુજ્ઞાત છે. અર્થાત્ આવી વસતિમાં રહેવાની અનુજ્ઞા છે. બાકીના સૂર્યોદય પછીના કાળમાં જે વસતિમાં લીંપણ કરાય છે તે વસતિ પ્રતિકૃષ્ટ (= નિષેધ કરાયેલી) છે. તે વસતિમાં રહેવું કલ્પતું નથી. કારણ કે તે વસતિમાં સૂત્રાર્થના વ્યાઘાતનો સંભવ છે. અહીં પ્રાકૃતિકા છાણનું લીંપણ વગેરે રૂપ જાણવી. વ્યવહાર સૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે— ચાર સંધ્યામાં સ્વાધ્યાય નથી કરાતો. ચાર સંધ્યામાં ત્રણ સંધ્યા રાત્રીની અને એક સંધ્યા દિવસની. તે આ પ્રમાણે— સૂર્યાસ્ત સમયે, અર્ધરાત્રે, પ્રભાતે અને ચોથી દિવસના મધ્ય ભાગે. આ ચારેમાં પણ સ્વાધ્યાય નથી કરાતો. આચરણા તો આ પ્રમાણે છે— રાત્રીમાં બે કાળવેલા– મધ્યરાત્રે અને રાત્રીના અંતે. દિવસે પણ બે કાળવેલા– મધ્યાહ્ને અને દિવસના અંતે. ખરતરગચ્છીય શ્રી જિનદત્તસૂરિષ્કૃત સંદેહદોલાવતી સૂત્રમાં પણ આ પ્રમાણે કહેલું છે કે– ચાર પોરિસીનો દિવસ છે. દિવસના મધ્યની બે ઘડીઓ અને દિવસના અંતની બે ઘડીઓ. એ પ્રમાણે રાત્રીની મધ્યની બે ઘડીઓ અને રાત્રીની અંતની બે ઘડીઓ. તે ચાર કાળવેળા છે. અહીં આ ઐદંપર્ય છે– આગમના અભિપ્રાયથી સાંજે સૂર્યાસ્ત પછી કાળવેલા છે. જ્યારે આચરણાનુસારે તો સૂર્યાસ્ત પહેલાં કાળવેલા છે. આનો સમ્યગ્ નિર્ણય તો સમ્યજ્ઞાનીઓ જાણે. અથવા કાલ એટલે શ્રુતઅધ્યયન કરવાને યોગ્ય વર્ષ વગેરે. જેથી પંચવસ્તુકમાં કહ્યું છે કે— વર્ષ વગેરે કાળના ક્રમથી જે કાળમાં જે આચારાંગ વગેરે સૂત્ર ભણવાની યોગ્યતા પ્રાપ્ત થઈ હોય તે જ કાળમાં તે સૂત્ર ધીર ગુરુએ વંચાવવું, વિપરીત ન કરવું. તે કાળ આ (નીચે કહેવાશે તે) છે. ૩૮ ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળાને આચાર પ્રકલ્પ નામનું એટલે કે નિશીથ નામનું (= આચારાંગ) અધ્યયન વંચાવાય છે, ચાર વર્ષના પર્યાયવાળાને જ સૂત્રકૃતાંગ, પાંચ વર્ષના પર્યાયવાળાને જ દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર અને વ્યવહાર સૂત્ર એ ત્રણ, આઠ વર્ષના પર્યાયવાળાને સ્થાનાંગ અને સમવાયાંગ એ બે, દશ વર્ષના પર્યાયવાળાને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતીજી), અગિયાર વર્ષના પર્યાયવાળાને ક્ષુલ્લિકા વિમાનપ્રવિભક્તિ, મહતી વિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા, વિવાહ ચૂલિકા એ પાંચ, બારવર્ષના પર્યાયવાળાને અરુણોપપાત, વરુણોપપાત, ગરુલોપપાત, વેલંધરોપપાત, વેસમણોપપાત એ પાંચ, તેરવર્ષના પર્યાયવાળાને ઉત્થાનશ્રુત, સમુત્થાન શ્રુત, દેવેંદ્રોપપાત, નાગપર્યાવલિકા, ચૌદ વર્ષના પર્યાયવાળાને આશીવિષ ભાવના, પંદર વર્ષના પર્યાયવાળાને જ દૃષ્ટિવિષ ભાવના, સોળ, સત્તર અને અઢાર વર્ષના પર્યાયવાળાને અનુક્રમે ચારણ ભાવના, મહાસ્વપ્ન ભાવના અને તેજો નિસર્ગ, ૧. વર્તમાનમાં એ આચરણા રહી નથી તેથી શાસ્ત્ર પાઠ પ્રમાણે સૂર્યાસ્ત પછીની બે ઘડી સુધી સ્વાધ્યાયનો અકાળ માનવો એ જ યોગ્ય જણાય છે.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy