SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર ૩૭ પોરિસી અને અર્થ પોરિસી વેળાએ કરવામાં આવતું હોય તો તે વસતિ વ્યાઘાત વસતિ છે. અર્થાત્ સ્વાધ્યાય માટે અયોગ્ય છે. જે વસતિનું લીંપણ છિન્નકાળમાં (= કાળવેળાએ) કરવામાં આવતું હોય તો તે વસતિ નિર્વાઘાત છે. અર્થાત્ સ્વાધ્યાયને યોગ્ય છે. પૂર્વાદ્ધ ગાથા- પૂર્વાહ એટલે સૂર્યોદય પહેલા, અપરાદ્વ એટલે સૂર્યાસ્ત પછી, મધ્યાહ્ન કાળવેળા એટલે અર્થપોરિસી કરીને ઊભા થાય ત્યારે. પ્રકારો છે. તેમાં દ્રવ્યથી-તિર્યંચનું લોહી, માંસ, ચરબી, હાડકું, દાંત, ચામડું કે ખેંચેલા વાળ વગેરે કોઈ પણ દ્રવ્યથી અસ્વાધ્યાય. ક્ષેત્રથી-૬૦ હાથની અંદરની ભૂમિમાં અસ્વાધ્યાય. તેમાં પણ જો નાના ગામમાં વચ્ચે ત્રણ માર્ગો નીકળતાં હોય તો અને મોટા નગરમાં વચ્ચે જો એક મોટો રાજમાર્ગ નીકળતો હોય, તો ૬૦ હાથની અંદર પણ અસ્વાધ્યાય થતો નથી. હા, નાના ગામમાં કોઈ કૂતરા-બિલાડાદિએ કલેવરને ઠેકાણે ઠેકાણે ચૂંથવાથી જો સર્વત્ર રૂધિરાદિ પડ્યું હોય, તો ગામ બહાર જઈને સ્વાધ્યાય કરવો. કાળથી-તે રૂધિરાદિ અંશોના સંભવકાળથી પડ્યા હોય ત્યારથી) માંડીને ત્રણ પ્રહર સુધી અને ભાવથી-નંદી’ વગેરે સૂત્રો નહિ ભણવાં, અથવા બીજી રીતે ચાર પ્રકારો કહ્યા છે કે- જળચરાદિનાં “રૂધિર-માંસ-હાડકું અને ચામડું એ ચાર દ્રવ્યોને અંગે અસ્વાધ્યાય. એમાં વિશેષ એ છે કે- જો ૬૦ હાથની અંદર માંસ ધોયું કે પકાવ્યું હોય, તો તે માંસ બહાર લઈ જવા છતાં ત્યાં અવશ્ય બિન્દુઓ પડે, માટે ત્રણ પ્રહરનો અસ્વાધ્યાય પરંતુ જો ત્રણ પ્રહર પહેલા વરસાદના કે બીજા પાણીના પ્રવાહથી તે ધોવાઈ જાય, તો ત્યારથી અસ્વાધ્યાય મટે. જો કોઈ પક્ષીનું ઈંડ ૬૦ હાથની અંદર પડે પણ ફટે નહિ, તો તે દૂર કરતાં સુધી અસ્વાધ્યાય. જો તે ફૂટે અને તેનો રસ જમીન ઉપર પડે, તો તેને દૂર કરવા છતાં ત્રણ પ્રહરનો અસ્વાધ્યાય. જો કપડાં વગેરે ઉપર પડેલું ઈંડુ ફૂટે, તો પણ ૬૦ હાથની બહાર તે કપડાને ધોવાથી અસ્વાધ્યાય નથી. જો ઇંડાનો રસ કે લોહીનું બિંદુ માખીનો પગ ડૂબે તેટલું અલ્પ પણ પડ્યું હોય, તો અસ્વાધ્યાય ગણવો. વળી જો જરાયુ (ઓવાળ) રહિત હાથણી વગેરેનો પ્રસવ થાય, તો તેનો ત્રણ પ્રહર અસ્વાધ્યાય. જરાયુવાળા ગાય વગેરેનો જો પ્રસવ થાય, તો તેનો ઓવાળ પડયા દૂર કર્યા) પછી ત્રણ પ્રહર અસ્વાધ્યાય. જો ૬૦ હાથમાં રાજમાર્ગ ઉપર રૂધિરાદિના બિંદુઓ પડ્યાં હોય, તો જતાં-આવતાં મનુષ્યો-પશુઓના ચાલવા વગેરેથી જિનાજ્ઞા એવી છે કે-અસ્વાધ્યાય ન થાય તેમજ રાજમાર્ગ સિવાય અન્યત્ર પણ જો ૬૦ હાથમાં પડેલું તિર્યંચનું રૂધિરાદિ વરસાદના પ્રવાહથી ધોવાય કે અગ્નિથી બળી જાય, તો અસ્વાધ્યાય ન થાય, પણ જો તે પડી રહેલું હોય, તો અસ્વાધ્યાય થાય. - હવે મનુષ્ય સંબંધી અસ્વાધ્યાય. તેમાં પણ મનુષ્યનાં રૂધિર, માંસ, ચામડું અને હાડકાં-એ ચાર દ્રવ્યોમાં હાડકાં સિવાયના ત્રણ પૈકી કોઈ સો હાથની અંદર જો પડેલું હોય, તો એક અહોરાત્ર અસ્વાધ્યાય. પરંતુ તિર્યંચનું રૂધિર સાઈઠ કે મનુષ્યનું રૂધિર સો હાથમાં પડેલું સૂકાઈને વર્ણાન્તર જો થઈ ગયું હોય, તો અસ્વાધ્યાય નથી. સ્ત્રી રજસ્વલા થાય ત્યારથી ત્રણ અહોરાત્ર (૨૪ પ્રહર) અસ્વાધ્યાય. તે પછી જો રૂધિર ગળે, તો પણ અસ્વાધ્યાય નહિ. સ્ત્રીને જો પુત્ર જન્મ, તો સાત અને જો પુત્રી જન્મ, તો આઠ અહોરાત્ર અસ્વાધ્યાય જાણવો. હાડકાં પૈકી દાંત સિવાયનું મનુષ્યનું કોઈ પણ હાડકું જો સો હાથની અંદરની જમીનમાં દાટ્યું હોય, તો બાર વર્ષ સુધી અસ્વાધ્યાય થાય, પણ દાંત સો હાથથી દૂર પરઠવ્યા પછી અસ્વાધ્યાય નથી. જો પડેલો દાંત ખોવાઈ જાય અને શોધવા છતાં તે ન જડે, તો અસ્વાધ્યાય નથી. કોઈ એમ કહે છે કે તેને ઓહડાવણાર્થ કાયોત્સર્ગ કરવો જોઈએ. અગ્નિથી બળેલાં હાડકાં જો સો હાથની અંદર હોય, તો પણ અસ્વાધ્યાય નથી. અસ્વાધ્યાયમાં અનુપ્રેક્ષાનો નિષેધ નથી, પણ સૂત્રની વાચના, પૃચ્છના, પરાવર્તન ન થાય, અને ધર્મકથામાં સૂત્ર ન વંચાય. (પ્રવચનસારોદ્ધાર વગેરેના આધારે.) (ધર્મસંગ્રહ ભાષાંતર ભાગ-૨માંથી સાભાર ઉદ્ધત.)
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy