________________
૩૬
આચારપ્રદીપ
पुव्वण्हे अवर, सूरंमि अणुग्गए व अत्थमिए । માળ્યે રૂઞ વસહી, મેસં ાાં પહિલ્લા ॥ ? | [ ગાથા-૨૦૩૬] પૂર્વાà, અપરાઢે અથવા તો સૂર્ય ઉગ્યા પહેલા અને સૂર્યાસ્ત પછી તથા મધ્યાહ્ને. આ કાળમાં વસતિનું લેપણ કરવામાં આવતું હોય તો તે વસતિ કલ્પે. બાકીના કાળમાં વસતિનું લેપણ કરવામાં આવતું હોય તો ન કલ્પે.
આની ચૂર્ણિ આ પ્રમાણે છે– જે વસતિનું (પ્રાકૃતિકા =) છાણ વગેરેથી લીંપણ સૂત્ર
દિવસો અસ્વાધ્યાય સમજવો. ચૈત્રી ઈન્દ્રમહ શુક્લ પ્રતિપદાથી કૃષ્ણ પ્રતિપદા સુધી જો પ્રસિદ્ધ છે, તો પણ વર્તમાનમાં આસો-ચૈત્રમાં સુદિ પના અને અષાઢ-કાર્તિકમાં સુદિ ૧૪ના મધ્યાહ્નથી આરંભી વિદ ૧ની રાત્રિની સમાપ્તિ સુધી અસ્વાધ્યાય પાળવાની આચરણા છે. ફાગણમાં તો જ્યારથી હોલિકા પ્રગટે, ત્યારથી ધૂળ ઉડે (ધૂળેટી સમાપ્ત થાય) ત્યાં સુધી અસ્વાધ્યાયિક ગણાય છે.
૪. વ્યુાહિક=દણ્વિક રાજા વગેરેના પરસ્પર યુદ્ધથી લોકો ભયથી અસ્વસ્થ-ગભરાયેલા હોય તે કારણે સ્વાધ્યાય વર્ઝવો. દણ્વિક રાજાઓ, સેનાપતિઓ કે તેવી પ્રસિદ્ધ કોઈ સ્ત્રીઓ લડે-ઝઘડે ત્યાં સુધી અસ્વાધ્યાય, અથવા મલ્લયુદ્ધ થાય કે કોઈ બે ગામોના લોકો (અથવા એક જ ગામના મોટા પક્ષો) પરસ્પર પત્થર-શસ્ત્ર આદિથી યુદ્ધ કરતાં (ઝઘડતાં) હોય તે શાન્ત ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય, કારણ કે-તેવા યુદ્ધાદિ પ્રસંગે વ્યન્તર વગેરે દેવો પોતપોતાના અધિષ્ઠિત ગામ વગેરેના પક્ષમાં આવવાનો સંભવ હોવાથી સ્વાધ્યાય કરનારને તેઓ ઉપદ્રવ કરે. પ્રજાજનને પણ અપ્રીતિ થાય કે-અમે જ્યારે ભયમાં છીએ, ત્યારે પણ નિર્દાક્ષિણ્ય સાધુઓ નિશ્ચિંત થઈને ભણે છે. કોઈ રાજા મરણ પામે ત્યારે પણ જ્યાં સુધી બીજા રાજાને રાજ્યનો અભિષેક ન થાય, ત્યાં સુધી અરાજકતાના કારણે અસ્વાધ્યાય જાણવો. મ્લેચ્છો વગેરે ગામ ઉપર જ્યારે આક્રમણ કરે, ત્યારે પણ ભયથી લોકો આકુળ-વ્યાકુળ હોય, માટે અસ્વાધ્યાય પાળવો. ઉપર કહ્યા તે વ્યુહાદિના કારણે લોકોમાં ક્ષોભ હોય તે શાન્ત થયા પછી પણ એક અહોરાત્ર અસ્વાધ્યાય પાળવો. મરણ માટે એવો વિવેક છે કે- કોઈ ગામમાલિક કે રાજ્યાધિકારી ઉપાશ્રયથી જો સાત ઘર સુધીમાં મરણ પામે, તો તેનું મૃતક લઈ ગયા પછી એક અહોરાત્ર અસ્વાધ્યાય, જો કોઈ અનાથ મનુષ્યનું મૃતક સો હાથની અંદર પડ્યું હોય, તો તેને શય્યાતર કે કોઈ અન્ય શ્રાવકો વગેરે દૂર ન કરે ત્યાં સુધી અસ્વાધ્યાય, પણ તે અનાથના મૃતકને કૂતરાં વગેરેએ ો તોડ્યું હોય, તો તેના અવયવાદિ અંશો જ્યાં જ્યાં દેખાય, ત્યાં ત્યાંથી દૂર કરે નહિ ત્યાં સુધી અસ્વાધ્યાય, શય્યાતર કે અન્ય કોઈ ગૃહસ્થે ઉપાશ્રયથી જો સાત ઘરો સુધીમાં મરે, તો તેનું મૃતક લઈ ગયા પછી પણ એક અહોરાત્ર અસ્વાધ્યાય પાળવો, અથવા તેને લઈ ગયા પછી બહાર અન્ય કોઈ સાંભળે નહિ તેમ સ્વાધ્યાય કરવો, અન્યથા લોકોમાં સાધુધર્મની હલકાઈ થાય. દુઃખથી રડતી કોઈ સ્ત્રીનો શબ્દ સંભળાય ત્યાં સુધી અસ્વાધ્યાય, ઈત્યાદિ શોક-સંતાપના સમયે ભણવાથી લોકમાં સાધુતાની અપભ્રાજના-નિંદા થવાના સંભવથી અસ્વાધ્યાય કહ્યો છે.
૫-શારીરિક=શરીરની અશુચિ આદિના યોગે ગણાતો અસ્વાધ્યાય, તેના મનુષ્યશરીર અને તિર્યંચ શરીરની અપેક્ષાએ બે ભેદો છે. તેમાં એકેન્દ્રિયથી ચૌરિન્દ્રિય સુધીના શરીરમાં હાડ, માંસ વગેરે ન હોવાથી તેનો અસ્વાધ્યાય ગણાતો નથી. પંચેન્દ્રિય તિર્યંચના મચ્છ-કાચબો વગેરે જળચર, ગાય-ભેંસ વગેરે સ્થળચર અને મેના-પોપટ-કબૂતરો વગેરે ખેચર, એમ ત્રણ પ્રકારો છે, તેના અસ્વાધ્યાયના દ્રવ્યાદિ ચાર ભેદે ચાર