________________
આચારપ્રદીપ
કરવી = ચિંતન કરવું. તેમાં કહેલા (વિધિ) અનુસારે સારી રીતે અનુષ્ઠાન કરવું, સ્વયં પુસ્તક લખવું અથવા બીજા પાસે પુસ્તક લખાવવું, કપૂર આદિથી જ્ઞાનની પૂજા કરવી, જ્ઞાનની આરાધના માટે પંચમી વગેરે તપ કરવું, તપનું ઉઘાપન કરવું ઈત્યાદિ રીતે જ્ઞાનનો વિનય કરવો. કહ્યું છે કે—
૪૬
नाणं सिक्ख नाणं, गुणेइ नाणेण कुणइ किच्चाई |
नाणी नवं न बंधइ, नाणविणीओ हवइ तम्हा ॥ १ ॥ [ दशवै०नि०३१६ ]
જ્ઞાન શીખે છે = નવું ભણે છે, જ્ઞાન ગુણે છે = ભણેલાનું પરાવર્તન કરે છે, જ્ઞાનના આધારે સઘળાય કાર્યો કરે છે, જ્ઞાની નવા કર્મને બાંધતો નથી તેથી તે જ્ઞાનવિનીત કહેવાય છે.
જ્ઞાનના ઉપકરણોનો વિનય– પુસ્તક આદિ નવા બનાવવા, પુસ્તક લખાવવા, પુસ્તકની · શુદ્ધિ કરવી, પૂંઠા ચડાવવા, દોરી બાંધવી આદિ દ્વારા અતિ વિશિષ્ટ રીતે પુસ્તકને તૈયાર કરવું, પુસ્તકો તૂટી ગયા હોય તો તેનું સમારચન કરવું, સમા-નમા કરવા = સાંધવા, કપૂર, પટકૂલ (= વસ્ત્ર) આદિથી તેની પૂજા કરવી ઈત્યાદિ રીતે જ્ઞાનના ઉપકરણોનો વિનય કરવો. કારણ કે—
अस्तं प्रयातेषु जिनेश्वरेषु सर्वेषु विश्वत्रयभास्करेषु । विधीयते सम्प्रति पुस्तकाख्य- दीपैः पदार्थेष्वकृशः प्रकाशः ॥ १ ॥
ત્રણે જગતમાં સૂર્ય સમાન સર્વે જિનેશ્વરો અસ્ત પામે છતે વર્તમાન કાળે પુસ્તક નામના દીવડાઓથી પદાર્થોને પ્રકાશિત કરવા માટે સમર્થ એવો પ્રકાશ કરવામાં આવે છે.
લોકમાં અને લોકોત્તર એવા જૈનશાસનમાં એમ સર્વત્ર પણ સર્વે પ્રયોજનની સિદ્ધિમાં વિનય અવંધ્ય (= નિષ્ફળ ન જાય એવું) કારણ છે. કહ્યું છે કે—
विणओ आवहइ सिरिं, लहइ विणीओ जसं च कीर्त्ति च ।
न कयाइ दुव्विणीओ, सकज्जसिद्धि समाणेइ ॥ १ ॥ [ उपदेशमाला - ३४२ ] વિનય લક્ષ્મીને લાવે છે. વિનીત યશ અને કીર્તિને પામે છે. દુર્વિનીત ક્યારે પણ સ્વકાર્યની સિદ્ધિને પામી શકતો નથી.
સુવિનીત સેવકો, સુવિનીત શિષ્યો, સુવિનીત પુત્રો અને સુવિનીત પુત્રવધૂઓ પોતાના સ્વામીની પદવીને પામતા દેખાય છે, અને જે દુર્વિનીત છે તે તેનાથી વિપરીતપણાને પામતા દેખાય છે. દુર્વિનીત એવા ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરે પશુઓ પણ બંધન, તાડન આદિ ક્લેશ પામે છે અને સુવિનીત એવા તેઓ બંધન, તાડન આદિ ક્લેશ વિના સુખ અને પૂજા