________________
૩૨
આચારપ્રદીપ
પોતાના નગરમાં આવ્યો.
આ પ્રમાણે સુભાષિત શ્લોકના ચારેય પાદના અર્થનાં સંવાદથી = જે પ્રમાણે જણાવ્યું છે તે પ્રમાણે ઘટતું હોવાથી પૃથ્વીપાલ રાજા શાસ્ત્રોમાં ઘણાં બહુમાનવાળો થયો. (૨૩૬)
શાસ્ત્રો અજ્ઞાનનો નાશ કરવા માટે અસ્ત્રો સમાન છે. આદરપૂર્વક શાસ્ત્રને સાંભળતા તેને ધર્મ આરાધન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. ખરેખર ! જ્ઞાનથી શું નથી થતું ? અર્થાત્ જ્ઞાનથી સઘળું ય થાય છે. ભિન્ન ભિન્ન દર્શનીઓના ભિન્ન ભિન્ન ધર્મોને જોઈને સારી રીતે પરીક્ષા કરી જોવાથી તેણે આર્હત ધર્મનો = જૈન ધર્મનો સ્વીકાર કર્યો. જેમ જેમ તેની ધર્મમાં પરિણિત થતી ગઈ તેમ તેમ તેનું શ્રુતજ્ઞાન ઉપર બહુમાન વધતું ગયું. તે શ્રુતને સાંભળવામાં, ભણવા વગેરેમાં એવો તો તન્મય થઈ ગયો કે અત્યંત સમૃદ્ધ એવા સંગીતના રસમાં પણ તે, રસ વિનાનો થયો. અર્થાત્ સંગીતના રસમાં તેને રસ ન રહ્યો. બહુશ્રુત પુરુષોનું બહુમાન કરવું, તેમની આહાર-પાણી આદિ દ્વારા પુષ્ટિ કરવી, તેમની પ્રસિદ્ધિ કરવી તથા પુસ્તક લખાવવા, ઉદ્યાપન કરવું વગેરેથી તેણે શ્રુતની આરાધના કરી.
આ પ્રમાણે મોક્ષરૂપ લક્ષ્મી મેળવવા સાધનારૂપ શ્રુતની આરાધનાથી દુ:ખે કરી સાધી શકાય એવો દુષ્કર્મના ક્ષયને તેણે સાધ્યો. અર્થાત્ દુષ્કર્મનો ક્ષય કર્યો. અત્યંત સારી રીતે ચિત્તની એકાગ્રતાથી શ્રુતના અર્થની ભાવના કરતો તે કોઈક વખત શિવમંદિરની નિસરણી સમાન ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયો અને તે જ સમયે તેણે લોકાલોકને પ્રકાશ કરનારું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અને દેવોએ તેને ઋષિવેશ આપ્યો. પછી તે કેવલી ભગવંતે પોતાના અનુભવેલા દૃષ્ટાંતને પ્રગટ કરવા આદિના ઉપદેશ દ્વારા ઘણા લોકોને શ્રુતજ્ઞાનની આરાધનામાં સાવધાન કર્યા. તે મહામુનિ વિહારની વિધિથી લાંબા કાળ સુધી વિચરીને પ્રતિબોધ કરવા યોગ્ય જીવોને પ્રતિબોધ કરી કરીને અંતે પરમપદને = મોક્ષને પામ્યા.
આ પ્રમાણે શ્રુત આદિમાં માત્ર બહુમાનથી પણ તે જ ભવમાં અમાત્ર માત્રાને ઓળંગી ગયેલું ફળ મળે છે, અર્થાત્ અતિશ્રેષ્ઠ ફળ મળે છે એ પ્રમાણે વિચારીને હે ભવ્યો ! શ્રુતની આરાધનામાં સારી રીતે પ્રયત્ન કરો. (૨૪૭)
=
આ પ્રમાણે શ્રુતજ્ઞાનની આરાધનામાં પૃથ્વીપાલ રાજાની કથા પૂર્ણ થઈ.
સમ્યજ્ઞાનાચારનું આચરણ કરવામાં ચતુરાઈ હોય તો જ શ્રુતજ્ઞાન આદિની આરાધના સંગત બને. અને તે જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે. જેથી શ્રી નિશીથભાષ્યની પીઠિકાની શરૂઆતમાં કહ્યું છે કે–
૧. દૂરથી ફેંકીને લડી શકાય તેવા હથિયારો.