________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
काले विए बहुमाणे उवहाणे तहा अनिह्नवणे । વંના-અત્ય-તવુમમ્, અવિદ્દો નાળમાવાશે | o ૫ [ગાથા−૮ ]
૩૩
કાળ સંબંધી, વિનય સંબંધી, બહુમાન સંબંધી, ઉપધાન સંબંધી તથા અનિદ્ભવ સંબંધી, વ્યંજન-અર્થ અને તદુભય સંબંધી એમ જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે.
તેમાં કાલસંબંધી જ્ઞાનાચાર આ પ્રમાણે છે—
કાલ સંબંધી જ્ઞાનાચાર
સૂત્રપોરિસીમાં સૂત્ર 'ભણવું જોઈએ અથવા ગુણવું જોઈએ અને અર્થપોરિસીમાં અર્થ ભણવો જોઈએ કે ગુણવો જોઈએ. અથવા તો ઉત્કાલિકશ્રુત વગેરે ભણવું-ગુણવું જોઈએ.
ઉત્તરાધ્યયન, આચારાંગ વગેરે કાલિક શ્રુત દિવસની અને રાત્રીની પહેલી અને છેલ્લી પોરિસીમાં જ ભણવું જોઈએ. એટલે કે દિવસની પહેલી અને છેલ્લી અને રાત્રીની પહેલી અને છેલ્લી પોરિસીમાં જ ભણવું જોઈએ.
દશવૈકાલિક વગેરે ઉત્કાલિક શ્રુત અને દૃષ્ટિવાદ શ્રુત બધી પોરિસીમાં ભણવું જોઈએ. કાલિક અને ઉત્કાલિક એમ બંને પણ શ્રુતનો અનધ્યાય આદિ અસ્વાધ્યાય કાળ બતાવવામાં આવ્યો છે. તેમાં અનધ્યાયકાળ અહીં સાક્ષાત્ બતાવવામાં આવ્યો નથી પણ આદિ શબ્દથી જે કાળવેલા (=ચાર સંધ્યા) કહેવાને ઈષ્ટ છે તે અહીં બતાવવામાં આવ્યો છે. અને તે બે બે ઘડી ત્યાગ કરવા યોગ્ય છે. તે આવી રીતે- દરેક અહોરાત્રની ચાર કાલવેલા ત્યાગ કરવા યોગ્ય છે. જેથી નિશીથસૂત્રમાં ઓગણીસમા ઉદ્દેશામાં કહ્યું છે કે— ને મિલ્લૂ વત્ત સંજ્ઞાદિ સાાયું રેડ્
૧. ભણવું = નવું ભણવું.
૨. ગુણવું = ભણેલાનું પરાવર્તન કરવું.
૩. જે જે કારણે સ્વાધ્યાય ન કરી શકાય તે સર્વ અનધ્યાય છે. તે બે પ્રકારે (૧) આત્મસમ્રુત્ય (૨) પરસમુત્થ. (૧) આત્મસમુ સાધુને એક પ્રકારે– ત્રણ આદિના કારણે.
સાધ્વીને બે પ્રકારે– વ્રણ આદિના કારણે અને ઋતુકાળના કારણે.
(૨) પરસમુર્ત્ય પરસમુદ્ઘ પાંચ પ્રકારે છે.
(૧) સંયમઘાતિક, ૨-ઔત્પાતિક, ૩-સદૈવ, ૪-યુાહિક અને પ-શારીરિક. એ પાંચેય પ્રકારના અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરનારને જિનાજ્ઞાનો ભંગ, અનવસ્થા વગેરે દોષો લાગે છે. તેમાં ૧સંયમઘાતિક=સંયમનો ઘાત કરનાર. તેના (૧) મહિકા, (૨) સચિત્ત રજોવૃષ્ટિ અને (૩) અકાયની વૃષ્ટિ, એમ ત્રણ ભેદો છે. તેમાં ૧-મહિકા- કાર્તિકથી માઘ મહિના સુધી આકાશમાં જે ધુમરી (ધુમ્મસ) વરસે છે, આ ધુમ્મસ વરસતાં તુર્ત જ સર્વ સ્થાનો અકાયમય બની જાય છે, માટે અંગોપાંગ સંકોચીને, મૌનપણે, ઉપાશ્રયાદિ સુગુપ્ત સ્થાને બેસી રહેવું જોઈએ, હાથ-પગ પણ હલાવવાં જોઈએ નહિ. ૨-૨જોવૃષ્ટિ- અરણ્યના