SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર હણી નાખે છે. જો ધર્મનો ઉપક્રમ સર્વ કર્મને ન હણતો હોત તો અનંત ભવોમાં ભેગા કરેલા = બાંધેલા અનંતકર્મોનો નાશ કરીને અનંત જીવો શાશ્વત સુખને પામ્યા છે તે કેવી રીતે ઘટે? ચલણી અને દઢપ્રહારી કુકર્મને કરનારા હોવા છતાં ઉપક્રમથી સિદ્ધ થયા તથા ચિલાતિપુત્ર અને રોહિણિયો ચોર ઉપક્રમથી સ્વર્ગમાં ગયા. તેથી જ અનિષ્ટ અને નિષ્ફર કર્મનો નાશ કરવા માટે ધર્માર્થી જીવોએ હંમેશા ઉદ્યમ જ કરવો જોઈએ. આ પ્રમાણે ઉપક્રમ બળવાન છે. તેથી કહ્યું છે કે, सर्वकर्मसु सदैव देहिना-मुद्यमः परमबान्धवो मतः । यं विना हृदयवाञ्छितान्यहो, नाप्नुवन्ति नियतं यदि स्थिराः ॥ २२९ ॥ સર્વ કાર્યોમાં હંમેશા ઉદ્યમ જ જીવોનો પરમ બાંધવ કહેલો છે. અર્થાત જીવોનો પરમ બાંધવ ઉદ્યમ જ છે. અસ્થિર માણસો તો ઉદ્યમ વિના મનોવાંછિતને પ્રાપ્ત કરી શકતા નથી પણ સ્થિર માણસો પણ ઉદ્યમ વિના નિયમા મનોવાંછિતને પામી શકતા નથી. જયાં વિવિધ પ્રકારનો ઉદ્યમ કરવા છતાં પણ જો કાર્યની સિદ્ધિ થતી ન હોય તો ત્યાં અતિતીવ્ર અને સમર્થ એવું કર્મ અવશ્ય ભોગવવા યોગ્ય છે એમ જાણવું. કર્મના કારણે જ શ્રી વીર જિનેશ્વર નીચકુળમાં ઉત્પન્ન થયા. સ્ત્રીરૂપે મલ્લી જિન થયા. પરિખિ (= પ્રદેશ) રાજાનું મરણ થયું. તથા નંદિષેણ અને આદ્રકુમારનું ચારિત્રથી પડવાનું થયું. કહ્યું છે કે, दृग्नाशो बह्मदत्ते, भरतनृपजयः, सर्वनाशश्च कृष्णे; नीचैर्गोत्रावतार-श्चरमजिनपते-मल्लिनाथेऽबलात्वम् । निर्वाणं नारदेऽपि, प्रशमपरिणतिः स्याच्चिलातीसुतेऽपि, इत्थं कात्मवीर्ये, स्फूटमिह जयतः स्पर्द्धया तुल्यरूपे ॥ २३२ ॥ બ્રહ્મદત્ત ચક્રવર્તીની આંખ ફૂટી, ભરતરાજાનો જય થયો, કૃષ્ણનું સર્વનાશ થયું, છેલ્લા તીર્થકરનો નીચગોત્રમાં અવતાર થયો, મલ્લિનાથ સ્ત્રી રૂપે થયા, કજીયાખોર નારદનું પણ નિર્વાણ થયું, ચિલાતિપુત્રને પ્રશમરસની પરિણતિ થઈ. અહીં સમાન સામર્થ્યવાળા કર્મ અને આત્મવીર્ય (ઉદ્યમ) સ્પષ્ટ રીતે સ્પર્ધાથી જય પામે છે. અર્થાત્ ક્યારેક કર્મનો વિજય થાય છે તો ક્યારેક પુરુષાર્થનો વિજય થાય છે. ( આ પ્રમાણે કર્મ અને ઉપક્રમનું તુલ્ય સામર્થ્ય સાંભળીને સારી રીતે ધર્મના ઉપક્રમમાં મતિ થઈ છે એવો ચંદ્રરાજા કુકર્મોનો નાશ કરવા માટે ઉભો થયો અને વિધિપૂર્વક જમાઈને રાજય આપીને દુઃખી એવી પુત્રી સાથે દીક્ષા લઈને રાજા મોક્ષમાં ગયો. હવે ત્યાં રાજ્યને સુવ્યવસ્થિત કરીને પૃથ્વીપાલ રાજા ઈન્દ્ર મહારાજાની જેમ સર્વ ઋદ્ધિથી પોતાની પત્ની સાથે
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy