SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ સૂર્યની પ્રભા જેવી ધનપ્રભા નામની પત્નીઓ હતી. બંને પણ જિનધર્મમાં રત હતી અને પ્રાયઃ કરીને પાપ સ્થાનકોથી અટકેલી હતી. પરંતુ પહેલી ધનશ્રી કૃપણ હતી. ધન આદિનો વ્યય થાય તો અધિક દુઃખ પામતી હતી. ઘણું કહેવાથી શું? ભાવથી પણ મુનિઓને દાન આપતી ન હતી. પરંતુ કૃપણતાને કારણે પોતાના ઘરે આવેલાં સાધુઓને બીજા ઘણું આપશે જ્યારે હું મારા હાથે ઘણું નહીં આપું આ પ્રમાણે વિચારીને ઊભી થઈને બહુભક્તિ અને આદર બતાવતી ઘણી પણ સારભૂત વસ્તુ હોવા છતાં અતિ થોડી જ વસ્તુ છે એ પ્રમાણે મુનિ આગળ પ્રગટ કરતી “જે પ્રમાણે સાધુઓને જરા પણ દોષ ન લાગે તે પ્રમાણે આપવું જોઈએ. સુપાત્રમાં આવેલું થોડું પણ શુદ્ધદાન અનંત ફળને આપનારું થાય છે. આ પ્રમાણે બોલતી માયાથી બીજાને આપવાનો નિષેધ કરીને પોતે જ પોતાના હાથે મુનિઓને મન વિના જ અતિશય થોડું થોડું કંઈ પણ આપે છે. નહીં આપવાની બુદ્ધિથી વસ્તુ હોવા છતાં પણ વસ્તુ નથી એમ કહે છે. વસ્તુ પોતાની હોવા છતાં પારકી છે એમ કહે છે. વસ્તુ શુદ્ધ હોવા છતાં અશુદ્ધ છે એમ કહે છે. ધિક્કાર થાઓ આવી નહીં આપવાની બુદ્ધિને. આ પ્રમાણે તે શ્રાવિકા હોવા છતાં અને ધર્મમાં પરાયણ હોવા છતાં પણ દુર્ધર એવા પ્રકારનું ભોગાંતરાય કર્મ બાંધ્યું. ખરેખર ! કૃપણતાનું આ જ ફળ છે. હાય ! હાય ! મૂઢ જીવો નિર્મલ એવા પણ જિનધર્મને પામીને અઘટિત વર્તન કરવા દ્વારા પોતાના આત્માને મલિન કરે છે. બીજી ઉદારચિત્તવાળી ધનપ્રભા શુદ્ધભાવથી સુપાત્રમાં દાન આપવાદ્વારા શુભભોગફળને બાંધે છે. ખરેખર! જીવો વિચિત્ર પરિણામવાળા હોય છે. તે બંને પણ મરીને દેવલોકમાં દેવપણાને પામી. પરંતુ પહેલી ધનશ્રી કિલ્બિષિકદેવોના વિમાનમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી અવીને તે બંને તારી પ્રેમપાત્ર પુત્રીઓ થઈ. પોતપોતાના કર્મના આધારે બંનેને આવા પ્રકારનું ફળ પ્રાપ્ત થયું. ત્યારે રાજા પૂછે છે કે, હેસ્વામિન્ ! અમારો આ સંદેહછે કે, અહીં જીવોને કર્મ પ્રધાન છે કે ઉદ્યમ પ્રધાન છે? તે આપ કહો. જ્ઞાની મુનિ કહે છે કે, હે રાજનું! અહીં બંને સમાન સામર્થ્યવાળા છે. ક્યાંય કર્મ બળવાન હોય છે તો ક્યાંય ઉદ્યમ બળવાન હોય છે. તેથી કહ્યું છે કે कत्थवि जीवो बलिओ, कत्थवि कम्माई हुँति बलिआई। जीवस्स य कम्मस्स य, पुव्वनिबद्धाइं वेराइं ॥ २२३ ॥ ક્યાંય જીવ બળવાન હોય છે તો ક્યાંય કર્મો બળવાન હોય છે. જીવ અને કર્મનું પૂર્વે બંધાયેલું આ વેર છે. ક્યારેક જીવો કર્મોને વશ થાય છે તો ક્યારેક કર્મો જીવને વશ થાય છે. ક્યારેક ધનિક, બળવાન હોય છે તો ક્યારેક ધારણિક (= કરજદાર) બળવાન હોય છે. જો કે ભવમાં ભમતા જીવોને કર્મ અતિદુઃખ આપે છે, તો પણ ધર્મનો ઉપક્રમ તે સર્વને
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy