________________
પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર
૨૯ જ પ્રમાણે તોષનું પણ તત્કાળ વિપુલ ફળ બતાવું એમ ગર્વ કરીને ચંદ્રરાજાએ રૂપથી દેવ જેવા એક રાજકુમારને મહોત્સવપૂર્વક પોતાની પહેલી = મોટી કન્યા પરણાવી. તે જ દિવસની એટલે કે જે દિવસે નાની કન્યાને કોઢિયા સાથે પરણાવી તે જ દિવસની રાત્રીના બીજા પહોરમાં સારું લગ્ન ગ્રહણ કરીને નગરમાં ચારે બાજુ સર્વઋદ્ધિથી મહોત્સવ મંડાવે છે. જગતના લોકોને હર્ષ ઉત્પન્ન કરનારા તે ઉત્સવથી લગ્નવેળાએ જેની ઘણી પ્રશંસા કરાઈ છે અને જેમાં ઘણો ઉત્સાહ કરાયો છે એવો તે બંનેનો વિવાહ થયો. (૯૫) હવે અશુભ ભાગ્યના વશથી ત્રણ ભુવનનો સંહાર કરનારો, જાણે કે યમરાજાનો બીજો હાથ ન હોય એવો ભયંકર ઉગ્રસર્પ ત્યાં નીકળ્યો. કલ્પાંતકાળના પ્રચંડ પવનથી જેવી રીતે સમુદ્ર ખળભળી ઉઠે તેમ તેનું નામમાત્ર સાંભળવાથી પણ ભયભીત થયેલા સઘળાય લોકો ખળભળી ઉઠ્યા. ત્યારે ભયથી સંભ્રાન્ત થયેલા, કુદાકુદ કરતા વરરાજાએ સાપને કચડ્યો. તેથી ગુસ્સે થયેલા સાપે વરરાજાને ડંખ દીધો અને એથી તે યમના મુખમાં પડ્યો. અર્થાત્ મરણ પામ્યો. તેથી કહ્યું છે કે
- अन्नह परिचिंतिज्जइ, कज्जं परिणमइ अन्नहा चेव ।
* વિદિવસથા નિયા, મુહુ પિ વહુવિર્ષ II ૨૨
કાર્યની વિચારણા કંઈક અન્ય રીતે કરી હોય પણ કાર્ય કંઈક બીજી જ રીતે પરિણમે છે. ભાગ્યને વશ થયેલા જીવોનો માત્ર એક મુહૂર્ત પણ ઘણાં વિખવાળો હોય છે.
આવા સમયે આવું અઘટિત પણ થાય છે છતાં પણ માણસોને જરા જેટલો પણ વૈરાગ્ય થતો નથી તે ધિક્કાર છે. (200) ત્યારપછી અત્યંત શોકના ભારથી મુનિની જેમ બધા મૌન રહે છતે રાજા વગેરે તે દિવ્ય નાટકના ધ્વનિને સારી રીતે સાંભળે છે. ત્યારે જેનું હૃદય આશ્ચર્યને પામ્યું છે એવા તેઓ વિચારે છે કે જેનો વિચાર પણ ન કર્યો હોય એવું અહીં આ શું થઈ રહ્યું છે? આ અસુરેન્દ્રની ઋદ્ધિ છે કે સુરેન્દ્રની ઋદ્ધિ છે? આ પ્રમાણે સર્વ જન ચિત્તમાં ચમત્કાર પામે છતે રાજાએ પ્રભાતે પોતાના માણસોને મોકલીને તપાસ કરાવી કે આ શું છે? જેમણે વૃત્તાંતને જાણ્યો છે એવા તે રાજપુરુષો યથાસ્થિત સર્વ વૃત્તાંત રાજાને જણાવે છે. તેથી રાજા અતિવિસ્મય અને લજ્જાના કારણે નિસાસા નાંખવા લાગ્યો. ત્યાર પછી રાજા અભિમાનના ભારનો અને અનિષ્ટના ભારનો ત્યાગ કરીને પોતાની કન્યાનું સન્માન કરીને પુણ્ય સમર્થ છે એમ માને છે. પછી રાજાએ રાજાઓમાં શ્રેષ્ઠ એવા પૃથ્વીપાલ રાજાને જમાઈની રીતે બહુમાનપૂર્વક ભવન-ધન આદિ ઘણું આપ્યું.
હવે ચંદ્રરાજા કોઈક દિવસ વિશિષ્ટજ્ઞાની એવા મહાત્માને કન્યાના દુઃખનું કારણ પૂછે છે ત્યારે જ્ઞાની મહાત્મા કન્યાના પૂર્વ ભવને કહે છે. જેમકે– આ બંને પુત્રીઓ પૂર્વ ભવમાં ધન અને ધનક નામના શ્રેષ્ઠીની સ્વજનને માનનીય ચંદ્રની જ્યોત્સના જેવી ધનશ્રી અને