________________
૨૮
આચારપ્રદીપ
માતા-પિતા કમાવતર કેવી રીતે થાય? હજી પણ કંઈ પણ બગડ્યું નથી અને કંઈ પણ નાશ નથી પામ્યું. તેથી તું સ્વેચ્છાએ જા અને બીજા કોઈપણ સારા વરને વર અને કૃતકૃત્ય થા. હમણાં કોઈ જોતું નથી અને કોઈ પૂછવાનું ય નથી, તેથી તું સ્વેચ્છાએ જા. કારણ કે લક્ષ્મીનું અને સુંદર રૂપવાળી સ્ત્રીનું બધી જગ્યાએ બહુમાન થાય છે. હું મારા પોતાનો પણ નિર્વાહ કરવા માટે સમર્થ નથી અને અત્યંત નિંદનીય છું. તેથી અપવિત્ર વસ્તુની જેમ મારો અત્યંત દૂરથી ત્યાગ કરવો એ જ જાય છે. અર્થાત્ એ જ સારું છે. તે વચન સાંભળીને જેણે માથું ધુણાવ્યું છે અને કાન બંધ કરી દીધા છે એવી તે કન્યા કહેવા લાગી કે, હા ! નાથ ! દાહને ઉત્પન્ન કરનારું આવા પ્રકારનું અસામાન્ય વચન કેમ બોલો છો? “હે ગૌતમ! તું જાણે કે– અનંતી પાપરાશી જ્યારે ઉદયમાં આવે છે ત્યારે સ્ત્રીપણાની પ્રાપ્તિ થાય છે.” આવા પ્રકારના વચનથી પ્રથમ તો સ્ત્રીનો જન્મ જ અતિ અધમ છે. અને વળી જો તે સ્ત્રી શીલથી ભ્રષ્ટ હોય, તો પછી એઠું-જૂઠું અને અનિષ્ટ જ બાકી રહ્યું. તેથી આ જન્મમાં તો તમારા ચરણોનું જ મારે શરણ છે. કારણ કે સતી સ્ત્રીઓને તો પોતાના પૂર્વે કરેલા કર્મથી અપાયેલો પતિ જ દેવ જેવો છે. આ પ્રમાણેના તેણીના દઢપણાથી તે ચિત્તમાં ચમત્કાર પામ્યો અને આનંદિત થયો. 'રાજા કહે છે કે, હે ભદ્રે ! જન્મનો નિર્વાહ કેવી રીતે થશે? (૮૦) તેથી જો હું કોઈપણ રીતે અત્યંત દેવતાઈ શરીરવાળો નવ યુવાન થાઉં તો જ યોગ્ય થાય, નહીં તો અસમાન એવા યોગમાં શું રસ? આ પ્રમાણે કહીને શ્રેષ્ઠ દેવની શક્તિથી જલદીથી દેવની જેમ દિવ્યરૂપવાળા પોતાના રૂપને કરીને પોતાની પત્નીને અત્યંત આશ્ચર્યથી આનંદિત કરી. તે સ્વામિન્ ! આ શું? એમ તેણી જેટલામાં પૂછે છે તેટલામાં તેના વડે બનાવાયેલા દેવભવનની જેમ મોટા મણિભવનને જુએ છે. અને તેની અંદર એક દિવ્ય પલંગ છે, તે પલંગ ઉપર તેને બેઠેલો જુવે છે. છત્રચામરથી યુક્ત નાટકને જોવામાં તત્પર, અપ્સરાઓના વૃદથી વિંટળાયેલો જાણે ઈન્દ્ર ન હોય. શું આ સ્વપ્ન છે? શું આ ઈન્દ્રજાલ છે? શું આ માયાજાલ છે? કે મોહજાલ છે? આ પ્રમાણે વિસ્મય- મુખવાળી અને સુંદર મુખવાળી તેણીને રાજાએ કહ્યું કે, પ્રેમસ્વરૂપ પોતાના મોટા મનમાં તે વિકલ્પોની કલ્પના ન કર. જેના ઉપર દેવ તુષ્ટ થયેલો છે તે હું રાજા તારા શુભકર્મથી અહીં આવેલો છું. પછી પોતાનું સર્વ ચરિત્ર જણાવીને તેણે કહ્યું કે, હે સુભગે ! તેં જે કર્મને પ્રમાણિત કર્યું છે તે કર્મ જ તારા ઉપર તુષ્ટ થયું છે. રાજાનું ઘણું અજ્ઞાન અને ઘણું મિથ્યા અભિમાન છે, તે પણ પ્રભાતે તારી ઋદ્ધિ જોઈને ચાલ્યું જશે. (૯૦) ત્યારપછી હર્ષથી ઉલ્લસિત હૃદયવાળી તેણીએ આખી રાત્રીએ દિવ્ય નૃત્ય કર્યું. જેથી શક્રનું હૃદય પણ ચમત્કાર પામ્યું.
હવે આ બાજુ- કોઢિયાને કન્યાનું દાન કરીને મેં મારા રોષનું વિપુલ ફળ બતાવ્યું, એ ૧. કોઢિયો જ રાજા છે. તેણે કોઢિયાનું રૂપ ધારણ કરેલ છે.