SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ આચારપ્રદીપ પરાભવોને સહન કરીને દેહમાંથી જેમ જીવ નીકળી જાય તેમ નિર્વેદ પામેલો તે ઘરમાંથી નીકળી ગયો. તેથી કહ્યું છે કે, कुसुमस्तबकस्येव, द्वयी वृत्तिर्मनस्विनः । मुनि वा सर्वलोकस्य, स्थायेत वन एव वा ॥ ४९ ॥ [नीतिशतकम्-२५] પુષ્પના ગુચ્છાની જેમ મનસ્વીની બે સ્થિતિ હોય છે. કાં તો સર્વલોકના મસ્તક ઉપર રહે અથવા તો વનમાં જ રહે. સિંહની જેમ નિર્ભય અને નિસહાય, સાહસી નૃસિંહ (=પુરુષોમાં સિંહ સમાન) એવો તે રાત્રીમાં નગરમાંથી નીકળીને જેટલામાં પૂર્વ દિશામાં આગળ જાય છે તેટલામાં મોટેથી ભયંકર સ્વરવાળી ભૈરવી-દુર્ગાદેવી (ચકલી) ડાબી બાજુ થઈ. ચતુર એવા તેણે જલદીથી પાછા ફરીને દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું અને તે જ ક્ષણે દક્ષિણ દિશાથી અમંગળ આશ્રયવાળી શિયાળવી થઇ. પશ્ચિમ દિશા તરફ ચાલે છતે ધૂકા કરતી ઘુવડ જમણી થઈ. ઉત્તર દિશા તરફ ચાલે છતે સર્પ ડાબેથી ઉતર્યો. આ શું? એ પ્રમાણે સંભ્રાંત. થયેલો તે તે જ પ્રમાણે ત્યાં રહ્યો. કારણ કે न निमित्तद्विषां क्षेमो, नायुर्वैद्यकविद्विषाम् । न श्रीधतिद्विषामेक-मपि धर्मद्विषां न हि ॥१॥ નિમિત્તના દ્વેષીઓને કલ્યાણ હોતું નથી. આયુર્વેદશાસ્ત્રના વેષીઓને આયુષ્ય હોતું નથી. નીતિના દ્વેષીઓને લક્ષ્મી હોતી નથી અને ધર્મદ્રષીઓને આમાનું એક પણ હોતું નથી. માર્ગની ચિંતામાં પડેલો તે સૂતો હોવા છતાં માર્ગની ચિંતાથી જેટલામાં નિદ્રા આવતી નથી તેટલામાં આકાશમાં દિવ્યવાણી થઈ. જેમ કે– નિશ્ચિત થયેલો તું નિદ્રા કેમ કરતો નથી? ફોગટ ચિંતા કેમ કરે છે? કારણ કે તારી ચિંતા કરનારો ભાગ્ય રાત-દિવસ જાગે છે. તેથી વિસ્મિત થયેલા તેણે વિચાર્યું કે, આ વાણીનો વિલાસ શું છે ? વનમાં રહેનારા મારી અહીં નિશ્ચિતતા કેવી રીતે? અથવા તો દિવ્ય વચન સાંભળવા યોગ્ય છે. જ્ઞાનીના વાક્યની જેમ ઓળંગવા યોગ્ય નથી. તેથી અહી જ હું ભાગ્યભરોસે સુખનિદ્રાનો આશ્રય કેમ ન કરું? આ પ્રમાણે વિચારીને ચિંતા વગરના થયેલા, બીજાને પણ વશ કરનારા એવા પણ તેને સ્ત્રી જેમ પોતાને વશ કરે તેમ નિદ્રાએ લીલામાત્રમાં પણ પોતાને વશ કર્યો. મહાપુરુષો અલ્પનિદ્રાવાળા હોય છે, આથી તે ક્ષણવારમાં ઊઠ્યો. સ્વર્ગના મહેલને - પણ જેણે હલકો કર્યો છે એવા સુવર્ણ અને મણિથી બનાવેલા સાત માળવાળા મહેલમાં
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy