________________
ત્રીજો પ્રકાશચારિત્રાચાર
૨૨૭
- કહ્યું: જો મારી પુત્રીને પુત્ર થાય તો નક્કી સંપૂર્ણ ગુણવાળો જ થશે એ પ્રમાણે વિદ્વાનની વાણી છે. મંત્રીની તે વાણીથી રાજાને મંત્રીપુત્રી પ્રિય થઈ. પૂર્વે નામથી પ્રિયા હતી. હવે અર્થથી પણ પ્રિયા થઈ. અહો ! માત્ર આશાનું પણ આવું ફળ છે.
મેરુ પર્વતની ભૂમિમાં જેમ કલ્પવૃક્ષ ઉત્પન્ન થાય, શુક્તિમાં જેમ મોતી ઉત્પન્ન થાય તેમ તે રાણીને ક્રમે કરી શુભસ્વપ્ર છે જેમાં એવો ગર્ભ ઉત્પન્ન થયો. અર્થાતુ ગર્ભ રહ્યો. સપુણ્યની સાથે મિત્રતાવાળા, શ્રેષ્ઠ અભિલાષવાળા પિતાવડે આનંદથી ઋદ્ધિપૂર્વક પૂરાતા દોહલાઓની સાથે તે ગર્ભ ક્રમે કરી વૃદ્ધિ પામ્યો. દોહલા વગેરેને અનુસાર ભવિષ્યમાં થનારા તે પુત્રને વિશાળ રાજયનો સંગમ થશે એ પ્રમાણે રાજાએ નિર્ણય કર્યો. જેવી રીતે પૂર્વ દિશા પૂનમના ચંદ્રને જન્મ આપે, જેવી રીતે મણિની ખાણ માણેકને જન્મ આપે તેવી રીતે તેણીએ પ્રજાની પ્રીતિથી આનંદમય સમયે પુત્રને જન્મ આપ્યો. ત્યારે ઊંચા (=મહાન) પુત્રના જન્મના કારણે જાણે ન હોય તેમ ઊંચા સ્થાને રહેલા ગ્રહોને જાણતાં દૈવ (શુભાશુભને અગાઉથી જાણનારા નૈમિત્તિકે) પણ આ પુત્રની જ ઐશ્વર્ય સંપાને કહી.
રાજાએ તે રાણીના પુત્રનો મહાન જન્મ મહોત્સવ કરે છતે સઘળીય પ્રજા અનુપમ વિસ્યમને પામી. રાજાએ મોટા ઉત્સવપૂર્વક અર્થથી પુણ્ય એ જ છે સાર જેનું એવા તે બાળકને નામથી પણ પુણ્યસાર કર્યો. અર્થાત્ તે બાળકનું પુણ્યસાર એવું નામ રાખ્યું. કારણ કે આ પ્રમાણે સત્યાર્થ નામતા થાય છે. પાંચધાત્રીઓથી પાલન કરાતા, રાજા વગેરેથી લાલન કરાતા, વયથી, તેજથી, યશથી અને કાંતિથી વધતા, બહુત્તેર કળાનો લીલામાત્રથી અભ્યાસ કરવાથી અતુલ કૌશલ્યવાળા, ચાતુર્ય, ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય વગેરે ગુણોનું એક જ સ્થાન, બત્રીસ લક્ષણવાળા, લોકને પ્રિય કરવાની ચેષ્ટાવાળા તેને જોઇને (કેટલાક પુત્રોએ તેને) ઇચ્છયો અને રાજ્ય લેવામાં આસક્ત બનેલા બીજા પુત્રોએ દ્વેષ કર્યો. તે જાણીને વિદ્વાનોમાં અગ્રેસર એવા રાજાએ વિચાર્યું કે, માચ્છીમાર જે પ્રમાણે માછલાનો વધ કરે એ રીતે આ પુત્રો વિશ્વાસવાળા આનો ફોગટ વધ ન કરો. ઘણાઓનો લેષ દુઃખે કરી સહન કરી શકાય તેવો હોય છે. અને વિશેષ કરીને મધ્યવર્તીઓનો અર્થાત્ સાથે રહેનારાઓનો દ્વેષ દુઃખે કરી સહન કરી શકાય તેવો હોય છે. તેથી રત્નનું યત્ન કરવું એ ભવિષ્યમાં કલ્યાણકારી છે. આ પ્રમાણે વિચારીને રાજાએ વિશિષ્ટ વસ્તુ આપવા વગેરેમાં તે પુત્રોનું બહુમાન કર્યું. અર્થાત્ તે પુત્રોને સારી સારી વસ્તુ આપી પણ નાના પુત્રનું બહુમાન ન કર્યું. અર્થાત્ નાના પુત્રને સારી સારી વસ્તુઓ ન આપી. તેથી રાજાએ આપેલા માનના મદથી ઉદ્ધત્ત થયેલા તેઓએ ઘરના નોકરની જેમ તેની ડગલે ને પગલે તે પ્રમાણે હાંસી કરી કે જેથી તે અત્યંત દુઃખ પામ્યો. તેથી પિતા અને ભાઈઓથી થયેલા