SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રકાશચારિત્રાચાર ૨૨૯ સાતમા માળે મણિકટ્ટિમ ઉપર =મણિથી બાંધેલા ભોંયતળીયા ઉપર) અતુલ્ય દિવ્ય પલંગ ઉપર તેણે પોતાને બેઠેલો જોયો. ત્યારે ત્યાં ચારે બાજુ પણ ફેલાયેલા રત્નના ઉદ્યોતથી હમણાં રાત્રી છે કે દિવસ છે? એમ તેણે ન જાણ્યું. સ્વાભાવિક નિત્ય ઉદ્યોતના સ્વભાવવાળું શું આ સ્વર્ગ સંબંધી છે? અથવા તો માનવમાત્રને સ્વર્ગની સંગતિ ક્યાંથી હોય? શું આ સ્વમ છે? આ ભ્રમ છે? કે કોઈક ઈન્દ્રજાલ છે? અથવા શું આ દેવતાનો વિલાસ છે? આ પ્રમાણે તે જેટલામાં વિતર્ક કરે છે તેટલામાં જયજયારવનો કોલાહલ કરવામાં તત્પર થયેલા પ્રધાનપુરુષોએ ત્યાં આવીને આ સત્ય કહ્યું કે અહીં શબ્દથી અને અર્થથી પ્રસિદ્ધ શ્રીસાગર નગરમાં અર્થાત્ શબ્દથી શ્રીસાગર નામના અને અર્થથી લક્ષ્મીનો ભંડાર એવા નગરમાં જેનો સારો યશ શોભી રહ્યો છે એવો શ્રીરાજ નામનો રાજા શોભી રહ્યો છે. પત્ર વિનાના પુત્ર પ્રાપ્તિની અતિશય પીડાવાળા તેને લક્ષ્મીઓને આશ્ચર્ય કરનારી પિતા વગેરેને પ્રીતિનું એક પાત્ર એવી પુત્રી હતી. સઘળાય ગુણોથી યુક્ત, સર્વ અંગે સુલક્ષણવાળી, સઘળી ય કળામાં ચતુર એવી તે યૌવન ઉન્મુખ થઈ. વિશ્વમાં પણ શ્રેષ્ઠ એવા તેના વરને પોતાની રાજયલક્ષ્મી આપવાની ઈચ્છાવાળા રાજા વરની પ્રાપ્તિ માટે ઉત્સુક થયો. સઘળી ય જગ્યાએ શોધ કરવા છતાં પણ આ રાજાએ ક્યાંય પણ તેવા પ્રકારના શ્રેષ્ઠ વરને આંખથી જોયો નહીં અને કાનથી પણ સાંભળ્યો નહીં. તેથી ચિંતાથી અત્યંત દુઃખી થયેલા તે રાજાએ દેવથી સેવાયેલા શ્રી વીતરાગ દેવની આઠ પ્રકારની પૂજાથી પૂજા કરીને જેટલામાં સ્વભાવથી સ્થિર આશયવાળો તે કાયોત્સર્ગમાં રહ્યો તેટલામાં હિતકારી દિવ્યવાણી પ્રગટ થઈ. ભો ! ભૂપ ! ફોગટ અતિ ઘણી ચિંતા કેમ કરે છે? કારણ કે મનુષ્યોનું જન્મ, મરણ, વિવાહ વગેરે ભાગ્યને આધીન હોય છે. આગામી રાત્રીમાં ચોથા પહોરે શુભભાગ્યથી ખેંચાયેલા શ્રેષ્ઠ કન્યાના વરનો સમાગમ થશે. આ મણિમંદિરની પથારી ઉપર બેઠેલો ઘણા શુભોદયવાળો, શિષ્ટ બુદ્ધિવાળો, ઈષ્ટ એવો તે જલદીથી તારા વડે જોવા યોગ્ય છે. - આકસ્મિક વિસ્મયને કરનારી, અમૃત સમાન આ વાણીથી જાણે વિશ્વના ઐશ્વર્યને પ્રાપ્ત કર્યું ન હોય એમ રાજા આનંદિત થયો. તને લેવા માટે રાજાએ મોકલેલા અમે અહીં આવ્યા છીએ. તેથી તે સ્વામિ ! પોતાના દર્શનથી અમારા સ્વામીને ખુશ કરો. ત્યાર પછી ખુશ થયેલો શ્રેષ્ઠકુમાર તે રાજાની પાસે આવ્યો. રાજાએ પ્રીતિપૂર્વક તેને પ્રણામ કર્યા અને પોતાના ખોળામાં પુત્રની જેમ ધારણ કર્યો અને ઘણા પ્રેમપૂર્વક કહ્યું કે મારી કન્યાનો સ્વીકાર કર. ઉદાર અને સ્વચ્છ હૃદયવાળા હે વત્સ! અમારી વાત્સલ્યતાનો સ્વીકાર કર. આ પ્રમાણે કહીને પોતાની કન્યા આપીને મહાન મહોત્સવો કરાવીને તેણે સ્નેહને ધારણ કર્યું. પોતાની પુત્રી પરણાવીને પોતાનું રાજ્ય પણ આપ્યું. અહો ! ભાગ્યશાળીઓનું અવિનાશી ભાગ્ય જાગે છે. જેથી આ રીતે વિદેશમાં પણ એક સાથે દેશનું અધિપતિપણું પ્રાપ્ત થયું. કન્યા
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy